ETV Bharat / state

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં નવા 16 કેસ સાથે કુલ 239 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - Corona virus update of gujarat

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજ સુધીમાં નવા 19 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા ગ્રામ્ય વિસ્તારનો કુલ આંકડો 239 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં કુલ 239 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં કુલ 239 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
author img

By

Published : Jun 1, 2020, 7:13 PM IST

અમદાવાદ: દસક્રોઈ તાલુકામાં સોમવારે નવા 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તાલુકામાં આંકડો વધીને 87 પર પહોંચ્યો છે. જ્યારે ધોળકામાં કોરોનાના કુલ 82 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાયા હતા. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના સંક્રમણ શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 30, બાવળામાં 12, ધંધુકામાં 4, વિરમગામમાં 11, અને માંડલ તાલુકામાં 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 14 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.93 લાખ લોકોનુંં સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 23 હજાર જેટલા ઘરોનું સર્વેલંસ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 82 અને સાણંદમાં 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે ૮૭ હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: દસક્રોઈ તાલુકામાં સોમવારે નવા 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તાલુકામાં આંકડો વધીને 87 પર પહોંચ્યો છે. જ્યારે ધોળકામાં કોરોનાના કુલ 82 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાયા હતા. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના સંક્રમણ શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 30, બાવળામાં 12, ધંધુકામાં 4, વિરમગામમાં 11, અને માંડલ તાલુકામાં 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 14 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.93 લાખ લોકોનુંં સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 23 હજાર જેટલા ઘરોનું સર્વેલંસ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 82 અને સાણંદમાં 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે ૮૭ હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.