નવી દિલ્હીઃ રમત પ્રધાન કિરણ રીજિજુએ કહ્યું કે, ભારત ઓલમ્પિક રમતોમાં સારો દેખાવ કરવા માંગે છે તો દેશના તરવૈયાની રમતો અને ખાસ કરીને તરવૈયાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.
ઓલમ્પિકમાં તરવૈયાઓની સફળતા મહત્વની છે અને તરવૈયાઓની રમતમાં એવોર્ડ પણ વધારે મળે છે.

ભારતે ઝડપથી તેના પર કામ કરવાની જરૂર છે, જેથી 2028 રમતોમાં તરવૈયાઓ હરીફ બની શકે. છેલ્લા પાંચ ઓલમ્પિકમાં અમેરિકાએ પોતાના મેડલના 31 ટકા મેડલ તો ફક્ત તરવૈયાઓ પર મેળવ્યા છે.
કોઇ પણ દેશ પાસે તક છે કે, તરવામાં ઘણી સ્પર્ધાઓ થાય છે. આજે આપણે તરવૈયાઓમાં ઓલમ્પિકમાં ક્યાય પણ નથી, પણ જો યોજના બનાવી પ્રયત્ન કરીએ તો આ ખેલમાં સારી સંભાવનાઓ છે. આ પહેલા કિરણ રીજિજુએ કહ્યું કે, 2028માં ભારત મેડલ જીતવામાં ટોપ-10માં પહોચાડવું મુશ્કેલ છે પણ અસંભવ નથી.