ETV Bharat / sports

હોકીના દિગ્ગજ ખેલાડી બલબીરસિંહના નિધન પર રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી બલબીરસિંહ સીનિયરનું 96 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રમતગમત પ્રધાન કિરણ રિજિજુએ શોક વ્યક્ત કર્યો છે.

author img

By

Published : May 25, 2020, 7:21 PM IST

સુપ્રસિદ્ધ હોકી ખેલાડી બલબીરસિંહ સીનિયરનું 96 વર્ષની વયે નિધન
સુપ્રસિદ્ધ હોકી ખેલાડી બલબીરસિંહ સીનિયરનું 96 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી બલબીરસિંહ સીનિયરનું 96 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રમતગમત પ્રધાન કિરણ રિજિજુએ શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લાંબી માંદગી બાદ સોમવારે બલબીરસિંહનું 96 વર્ષની વયે અવસાન થયું હતું.

  • हॉकी के दिग्गज खिलाड़ी श्री बलबीर सिंह सीनियर के निधन के बारे में सुनकर दुख हुआ। तीन बार ओलंपिक स्वर्ण पदक विजेता, पद्मश्री से सम्मानित और भारत के महानतम खिलाड़ियों में से एक बलबीर सिंह जी से भारत की भावी पीढ़ियां प्रेरणा पाती रहेंगी। उनके परिवार व प्रशंसकों को मेरी शोक-संवेदनाएं

    — President of India (@rashtrapatibhvn) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રિજિજુએ ટ્વિટ કર્યું, "સુપ્રસિદ્ધ હોકી ખેલાડી બલબીર સિંહના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. લંડન ઓલિમ્પિક્સ-1948, હેઇસિંકી ઓલિમ્પિક્સ-1952 અને મેલબોર્ન ઓલિમ્પિક-1956માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના તેઓ ભાગ હતા. હું તેમને દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના આત્મની શાંતિ માટે પ્રાર્થના કરું છું."

  • Deeply saddened by the tragic demise of India's legendary Hockey Player — Balbir Singh Sr. He was part of India's gold medal winning team at 1948 London, 1952 Helsinki & 1956 Melbourne Olympics. I pay my heartfelt tribute and pray for the eternal peace of the departed soul🙏🏑 pic.twitter.com/hknd1G5DFz

    — Kiren Rijiju (@KirenRijiju) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે, "મહાન હોકી ખેલાડી બલબીરસિંહ સીનિયરના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. ત્રણ વખતના ઓલિમ્પિક સુવર્ણચંદ્રક મેળવનારા પદ્મશ્રી અને ભારતના મહાન ખેલાડીઓમાંના એક, તેમનો વારસો ભવિષ્યની પેઢીઓને પ્રેરણારૂપ બનાવશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના."

બલબીરસિંહના પરિવારે તેમના નિધન અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ હતી. તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 8 મી મેના રોજ, તીવ્ર તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોવિડ -19 ટેસ્ટ પણ કરવામાં પણ આવ્યું હતું, જે નેગેટિવ આવ્યો હતો. બલબીર સિંહ સીનિયર 1948 લંડન ઓલિમ્પિક્સ, 1952 ની હેલસિંકી ઓલિમ્પિક્સ અને 1956 માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમના સભ્ય હતા. બલબીર સિંહ સીનિયરે, મેલબોર્ન ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમનું નેતૃત્વ કર્યું હતું.

તે 1975 માં વર્લ્ડ કપ વિજેતા ટીમનો કોચ હતા અને તેમનો કોચ હોવાને કારણે, ટીમે 1971 ના વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 1957 માં તેમને પદ્મશ્રી પણ મળ્યો હતો.

નવી દિલ્હી: ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી બલબીરસિંહ સીનિયરનું 96 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રમતગમત પ્રધાન કિરણ રિજિજુએ શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લાંબી માંદગી બાદ સોમવારે બલબીરસિંહનું 96 વર્ષની વયે અવસાન થયું હતું.

  • हॉकी के दिग्गज खिलाड़ी श्री बलबीर सिंह सीनियर के निधन के बारे में सुनकर दुख हुआ। तीन बार ओलंपिक स्वर्ण पदक विजेता, पद्मश्री से सम्मानित और भारत के महानतम खिलाड़ियों में से एक बलबीर सिंह जी से भारत की भावी पीढ़ियां प्रेरणा पाती रहेंगी। उनके परिवार व प्रशंसकों को मेरी शोक-संवेदनाएं

    — President of India (@rashtrapatibhvn) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રિજિજુએ ટ્વિટ કર્યું, "સુપ્રસિદ્ધ હોકી ખેલાડી બલબીર સિંહના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. લંડન ઓલિમ્પિક્સ-1948, હેઇસિંકી ઓલિમ્પિક્સ-1952 અને મેલબોર્ન ઓલિમ્પિક-1956માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના તેઓ ભાગ હતા. હું તેમને દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના આત્મની શાંતિ માટે પ્રાર્થના કરું છું."

  • Deeply saddened by the tragic demise of India's legendary Hockey Player — Balbir Singh Sr. He was part of India's gold medal winning team at 1948 London, 1952 Helsinki & 1956 Melbourne Olympics. I pay my heartfelt tribute and pray for the eternal peace of the departed soul🙏🏑 pic.twitter.com/hknd1G5DFz

    — Kiren Rijiju (@KirenRijiju) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે, "મહાન હોકી ખેલાડી બલબીરસિંહ સીનિયરના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. ત્રણ વખતના ઓલિમ્પિક સુવર્ણચંદ્રક મેળવનારા પદ્મશ્રી અને ભારતના મહાન ખેલાડીઓમાંના એક, તેમનો વારસો ભવિષ્યની પેઢીઓને પ્રેરણારૂપ બનાવશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના."

બલબીરસિંહના પરિવારે તેમના નિધન અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ હતી. તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 8 મી મેના રોજ, તીવ્ર તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોવિડ -19 ટેસ્ટ પણ કરવામાં પણ આવ્યું હતું, જે નેગેટિવ આવ્યો હતો. બલબીર સિંહ સીનિયર 1948 લંડન ઓલિમ્પિક્સ, 1952 ની હેલસિંકી ઓલિમ્પિક્સ અને 1956 માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમના સભ્ય હતા. બલબીર સિંહ સીનિયરે, મેલબોર્ન ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમનું નેતૃત્વ કર્યું હતું.

તે 1975 માં વર્લ્ડ કપ વિજેતા ટીમનો કોચ હતા અને તેમનો કોચ હોવાને કારણે, ટીમે 1971 ના વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 1957 માં તેમને પદ્મશ્રી પણ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.