- શોએબ અખ્તરે ચાલું શોમાં આપી દીધું રાજીનામું
- પીટીવી સ્પોર્ટ્સના એન્કર અને શોએબ વચ્ચે ડખો થયો
- એન્કરે લાઇવ શોમાં બધા વચ્ચે શોએબને કર્યો અપમાનિત
કરાચી: પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ સમયે વિવાદોમાં ઘેરાયા જ્યારે તેમણે એક ટીવી કાર્યક્રમને અધવચ્ચે છોડીને ક્રિકેટ નિષ્ણાતના પોતાના પદેથી રાજીનામું આપી દીધું, કેમકે સરકાર નિયંત્રિત પીટીવી (PTV Sports)ના એન્કરે તેમને બહાર જવા કહ્યું હતું.
કાર્યક્રમના એન્કરે ખરાબ વ્યવહાર કર્યો
અખ્તરે કહ્યું, મંગળવારના પાકિસ્તાનની ટી-20 વિશ્વ કપમાં ન્યુઝીલેન્ડ (Pakistan vs New Zealand) સામે 5 વિકેટથી જીત બાદ કાર્યક્રમના એન્કરે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેમનું અપમાન કર્યું. પાકિસ્તાન તરફથી 46 ટેસ્ટ અને 163 વનડે રમનાર 46 વર્ષના અખ્તર ઉભા થયા, તેમનું માઇક્રોફોન હટાવ્યું અને જતા રહ્યા.
-
Dr Nauman Niaz and Shoaib Akhtar had a harsh exchange of words during live PTV transmission. pic.twitter.com/nE0OhhtjIm
— Kamran Malik (@Kamran_KIMS) October 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dr Nauman Niaz and Shoaib Akhtar had a harsh exchange of words during live PTV transmission. pic.twitter.com/nE0OhhtjIm
— Kamran Malik (@Kamran_KIMS) October 26, 2021Dr Nauman Niaz and Shoaib Akhtar had a harsh exchange of words during live PTV transmission. pic.twitter.com/nE0OhhtjIm
— Kamran Malik (@Kamran_KIMS) October 26, 2021
સર વિવિયન રિચર્ડ્સ સહિતના દિગ્ગજો સ્તબ્ધ થઈ ગયા
કાર્યક્રમના યજમાન નૌમાન નિયાઝે તેમને પાછા બોલાવવાનો પ્રયત્ન ના કર્યો અને કોઈ પ્રતિક્રિયા ના દર્શાવી અને કાર્યક્રમ ચાલું રાખ્યો, પરંતુ કાર્યક્રમના અન્ય મહેમાન સર વિવિયન રિચર્ડ્સ, ડેવિડ ગોવર, રાશિદ લતીફ, ઉમર ગુલ, આકિબ જાવેદ અને પાકિસ્તાનની મહિલા ટીમની કેપ્ટન સના મીર આ જોઇને સ્તબ્ધ હતા.
લોકોએ નિયાઝને માફી માંગવા કહ્યું
અખ્તરના કાર્યક્રમ છોડીને જવાથી સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો. લોકોએ નિયાઝને માફી માંગવા કહ્યું. અખ્તર અને નિયાઝની વચ્ચે વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. અખ્તરે બુધવારના ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી.