ETV Bharat / sports

સરકારે સ્ટેડિયમ ખોલવાની મંજૂરી આપી...તો શું IPL યોજાશે?

ગૃહ મંત્રાલયે રવિવારે રમત પ્રેમીઓ માટે રાહતના સમાચાર આપ્યાં છે. તેમણે દેશના તમામ સ્ટેડિયમ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં આ વર્ષે આઈપીએલનું આયોજન કરવું શક્ય બન્યું છે, પણ સોશિયલ ડિસન્ટન્સ જરૂરી છે.

author img

By

Published : May 17, 2020, 11:34 PM IST

Etv Bharat
IPL

હૈદરાબાદ: ભારત સરકારે રવિવારે લોકડાઉનના ચોથા તબક્કાની જાહેરાત કરી છે. આ લોકડાઉન 31 મે સુધી ચાલશે, પરંતુ આ લોકડાઉનમાં રમત પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, દેશના તમામ સ્ટેડિયમ ખોલવામાં આવશે, ટૂર્નામેન્ટો શરૂ થઈ જશે, પરંતુ આ તમામ ટૂર્નામેન્ટો પ્રેક્ષકો વિના રમાશે.

ગૃહ મંત્રાલયે જારી કરેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે, રમત સંકુલ અને સ્ટેડિયમ ખોલવાની છૂટ છે, પરંતુ પ્રેક્ષકોને ત્યાં જવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે, કોરોના વાઈરસને કારણે દેશની તમામ રમત-ગમત ટૂર્નામેન્ટ્સ રદ થઈ હતી અથવા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તે બધાના આયોજનની આશા છે.

આવી સ્થિતિમાં વિશ્વની સૌથી રોમાંચક ક્રિકેટ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તેનું આયોજન થવાની સંભાવના છે. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી 4 મે દરમિયાન રમવાની હતી, પરંતુ 25 માર્ચથી દેશમાં લોકડાઉન થવાને કારણે મેચ મુલતવી રાખવામાં આવી હતી.

ક્યારે થઈ શકે છે IPLનું આયોજન?

ચાહકોને આશા છે કે, આઈપીએલની 13મી સીઝન યોજાય છે. એમ કહી શકાય કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપને બદલે આઇપીએલ ભારતમાં યોજાઈ શકે છે. જો કે, ટી-20 વર્લ્ડકપ મોકૂફ થવાના સમાચાર હજુ સુધી આવ્યાં નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, 28 મેના રોજ ICCની બેઠકમાં તેના પર વિચાર કરવામાં આવશે, ત્યાર બાદ તેને મુલતવી રાખવાના સમાચાર સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે. જો આવું થાય તો આઈપીએલ ઓક્ટોબરમાં યોજાઈ શકે છે.

ટી-20 વર્લ્ડકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો, પરંતુ 30 સપ્ટેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન છે. દેશના વર્તમાન નિયમોની વાત કરીએ તો, લોકડાઉનના ચોથા તબક્કામાં પણ ફ્લાઇટ્સ અને ટ્રેનો શરૂ કરવામાં આવી નથી, પરંતુ કદાચ ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જાય. તેમ છતાં જો વિદેશી ખેલાડીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી ન મળે, તો આઈપીએલ ભારતીય ખેલાડીઓ સાથે જ રમાશે, તેનાથી રોમાંચ ચોક્કસપણે ઓછો થશે.

હૈદરાબાદ: ભારત સરકારે રવિવારે લોકડાઉનના ચોથા તબક્કાની જાહેરાત કરી છે. આ લોકડાઉન 31 મે સુધી ચાલશે, પરંતુ આ લોકડાઉનમાં રમત પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, દેશના તમામ સ્ટેડિયમ ખોલવામાં આવશે, ટૂર્નામેન્ટો શરૂ થઈ જશે, પરંતુ આ તમામ ટૂર્નામેન્ટો પ્રેક્ષકો વિના રમાશે.

ગૃહ મંત્રાલયે જારી કરેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે, રમત સંકુલ અને સ્ટેડિયમ ખોલવાની છૂટ છે, પરંતુ પ્રેક્ષકોને ત્યાં જવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે, કોરોના વાઈરસને કારણે દેશની તમામ રમત-ગમત ટૂર્નામેન્ટ્સ રદ થઈ હતી અથવા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તે બધાના આયોજનની આશા છે.

આવી સ્થિતિમાં વિશ્વની સૌથી રોમાંચક ક્રિકેટ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તેનું આયોજન થવાની સંભાવના છે. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી 4 મે દરમિયાન રમવાની હતી, પરંતુ 25 માર્ચથી દેશમાં લોકડાઉન થવાને કારણે મેચ મુલતવી રાખવામાં આવી હતી.

ક્યારે થઈ શકે છે IPLનું આયોજન?

ચાહકોને આશા છે કે, આઈપીએલની 13મી સીઝન યોજાય છે. એમ કહી શકાય કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપને બદલે આઇપીએલ ભારતમાં યોજાઈ શકે છે. જો કે, ટી-20 વર્લ્ડકપ મોકૂફ થવાના સમાચાર હજુ સુધી આવ્યાં નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, 28 મેના રોજ ICCની બેઠકમાં તેના પર વિચાર કરવામાં આવશે, ત્યાર બાદ તેને મુલતવી રાખવાના સમાચાર સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે. જો આવું થાય તો આઈપીએલ ઓક્ટોબરમાં યોજાઈ શકે છે.

ટી-20 વર્લ્ડકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો, પરંતુ 30 સપ્ટેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન છે. દેશના વર્તમાન નિયમોની વાત કરીએ તો, લોકડાઉનના ચોથા તબક્કામાં પણ ફ્લાઇટ્સ અને ટ્રેનો શરૂ કરવામાં આવી નથી, પરંતુ કદાચ ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જાય. તેમ છતાં જો વિદેશી ખેલાડીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી ન મળે, તો આઈપીએલ ભારતીય ખેલાડીઓ સાથે જ રમાશે, તેનાથી રોમાંચ ચોક્કસપણે ઓછો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.