પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને ટી-20 સ્પોર્ટ ફિક્સિંગ મુદ્દે સાથી ક્રિકેટરોને લાંચ આપવાના ગુનામાં સામેલ થવા માટે અપરાધી ગણવામા આવ્યો છે.
બે અન્ય વ્યક્તિ યુસૂફ અનવર અને મોહમ્મદ એજાજને PSL ખેલાડીઓને લાંચ આપવાની વાતનો સ્વીકાર કર્યો છે. ત્રણેયની સજા ફેબ્રુઆરીમાં નક્કી કરવામાં આવશે.
![નાશિર જમશેદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5326086_mk.jpg)
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, 2016માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પણ ફિક્સિંગનો પ્રયાસ કર્યો હતો. જ્યારે PSL 2017માં મેચ ફિક્સ કરવામાં આવ્યા હતા. બંન્ને કેસમાં આ બેટ્સમેને એક ઓવરના પ્રથમ બોલમાં રન બનાવ્યા નહોતા, જેના બદલામાં તેમને રૂપિયા આપવામાં આવ્યા હતા.
જમશેદે PSLમાં 9 ફેબ્રુઆરીના રોજ ઈસ્લામાબાદ યુનાઈટેડ અને પેશાવર જલ્મીના વચ્ચે દુબઈમાં રમવામાં આવેલા મેચમાં ખેલાડીઓને ફિક્સિંગ માટે ઉપસાવવામાં આવ્યા હતા.
જમશેદ પાકિસ્તાન માટે ટેસ્ટ, વન-ડે અને ટી-20 મેચ રમી ચૂક્યો છે.