ETV Bharat / sports

ભારતીય ટીમના નવા ચીફ સિલેકટર બન્યા સુનીલ જોશી - ગગન ખોડા

મુંબઈમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટીના 5 સદસ્યોને સિલેક્ટર પદના ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં ચીફ સિલેક્ટર MSK પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ પૂરો થયો હતો. આ બન્ને પદ માટે પૂર્વ ભારતીય ખેલાડીઓ મદનલાલ, સુલક્ષણા નાઇક અને આરપી સિંહ વાળી CACએ પાંચ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતાં.

etv bharar
etv bharar
author img

By

Published : Mar 4, 2020, 9:00 PM IST

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ક્રિકેટ સલાહકાર સમિતિએ સુનીલ જોષીને ભારતીય ટીમના નવા પસંદગી નિયુકત કરવામાં આવ્યા છે. ભારતીય પૂર્વ સ્પિનર સુનીલ જોષીને એમએસકે પ્રસાદના સ્થાને નવા પસંદગીકાર તરીકે પસંદગી કરાઈ છે, ત્યારે ગગન ખોડાના સ્થાને પૂર્વ બોલર હરવિંદર સિંહનું નામ ફાઈનલ કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમને બે નવા પસંદગીકારો મળી ગયા છે, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સિરીઝ માટે ટીમની પસંદગી કરશે.

આ લીસ્ટમાં રાજેશ ચૌહાણ, હરવિંદર સિંહ, વેંકટેશ પ્રસાદ, શિવરામકૃષ્ણન અને સુનીલ જોષીનું નામ સામેલ હતું. આપને જણાવી દઈએ કે, સુનીલ જોષી એમએસકે પ્રસાદના સ્થાને સીનિયર પુરૂષ પસંદગી સમિતિના અધ્યક્ષ હશે.

હરવિંદર સિંહ
હરવિંદર સિંહ
સુનીલ જોશીનું કરિયર
સુનીલ જોશીનું કરિયર

નિયમો અનુસાર સમિતિના સભ્યોમાં જેને વધુ ટેસ્ટ મેચ રમી હોય તે મુખ્ય પસંદગીકાર બને છે. જોશીએ ભારત માટે 15 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે હરવિંદરે ત્રણ ટેસ્ટ મેચ રમી છે, ત્યારે જોષી નવા પસંદગીકાર બનવું નક્કી છે. સુનીલ જોષી એમએસકે પ્રસાદના સ્થાને સિનિયર પુરુષની પસંદગી સમિતિના અધ્યક્ષ હશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, નવી પસંદગીકારોની પેનલ 12 માર્ચથી ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરુ થઈ રહેલી વન-ડે સીરિઝમાં ટીમની પસંદગી કરશે.

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ક્રિકેટ સલાહકાર સમિતિએ સુનીલ જોષીને ભારતીય ટીમના નવા પસંદગી નિયુકત કરવામાં આવ્યા છે. ભારતીય પૂર્વ સ્પિનર સુનીલ જોષીને એમએસકે પ્રસાદના સ્થાને નવા પસંદગીકાર તરીકે પસંદગી કરાઈ છે, ત્યારે ગગન ખોડાના સ્થાને પૂર્વ બોલર હરવિંદર સિંહનું નામ ફાઈનલ કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમને બે નવા પસંદગીકારો મળી ગયા છે, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સિરીઝ માટે ટીમની પસંદગી કરશે.

આ લીસ્ટમાં રાજેશ ચૌહાણ, હરવિંદર સિંહ, વેંકટેશ પ્રસાદ, શિવરામકૃષ્ણન અને સુનીલ જોષીનું નામ સામેલ હતું. આપને જણાવી દઈએ કે, સુનીલ જોષી એમએસકે પ્રસાદના સ્થાને સીનિયર પુરૂષ પસંદગી સમિતિના અધ્યક્ષ હશે.

હરવિંદર સિંહ
હરવિંદર સિંહ
સુનીલ જોશીનું કરિયર
સુનીલ જોશીનું કરિયર

નિયમો અનુસાર સમિતિના સભ્યોમાં જેને વધુ ટેસ્ટ મેચ રમી હોય તે મુખ્ય પસંદગીકાર બને છે. જોશીએ ભારત માટે 15 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે હરવિંદરે ત્રણ ટેસ્ટ મેચ રમી છે, ત્યારે જોષી નવા પસંદગીકાર બનવું નક્કી છે. સુનીલ જોષી એમએસકે પ્રસાદના સ્થાને સિનિયર પુરુષની પસંદગી સમિતિના અધ્યક્ષ હશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, નવી પસંદગીકારોની પેનલ 12 માર્ચથી ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરુ થઈ રહેલી વન-ડે સીરિઝમાં ટીમની પસંદગી કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.