મુંબઈ: જાણીતા અભિનેતા આશુતોષ ભાકરનો આત્મહત્યા કેસ સામે આવ્યો છે. આશુતોષે મહારાષ્ટ્રના નાંદેડમાં પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી અત્યાર સુધી તેની આત્મહત્યાનું કોઈપણ કારણ સામે આવ્યો નથી આ ઘટનાથી આસુતોષનો પરિવાર શોકમાં છે. આશુતોષે આવું પગલું કેમ ભર્યું તેની કોઈ જાણકારી હજી સુધી મળી નથી.
અત્યાર સુધીમાં મળેલી જાણકારી મુજબ આસુતોષ ભાકર છેલ્લા કેટલા દિવસથી ડિપ્રેશનમાં હતા. થોડા દિવસ પહેલા તેમને સોશિયલ સાઇટ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કેમ કરી શકે.
આશુતોષ ફિલ્મ એન્ડ ટીવી એક્ટ્રેસ મયુરી દેશમુખના પતિ હતા 21 જાન્યુઆરી 2016 ના રોજ આશુતોષ અને મયુરીના લગ્ન થયા હતા મહારાષ્ટ્રના નાંદેડમાં તે રહેતા હતા થોડા સમય પહેલા જ તે ત્યાં તેમના ઘરે આવ્યા હતા.
આશુતોષ ઇન્ડસ્ટ્રીમાં બહુચર્ચિત એક્ટર હતા તેમણે ‘ઈચ્છાર થારલા પક્કા’ નામની ફિલ્મ બનાવી હતી આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી મયુરી પણ મરાઠી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે તેમણે પણ સીરીયલ ‘ખુલતા કાલી ’ દ્વારા ઘર-ઘરમાં જાણીતી હતી બન્નેની એક્ટિંગ અને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
આશુતોષના નિધનથી તેના સાથી કલાકારો શોકમાં છે તેમના પ્રશંસકોને હજી પણ વિશ્વાસ નથી કે આશુતોષ હવે તેમની સાથે નથી રહ્યા.
આશુતોષ આત્મહત્યાની ખબર આવા સમયમાં આવી રહી છે. જ્યારે સમગ્ર દેશ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી શોકમાં ડૂબેલો છે.