ETV Bharat / sitara

જયેશભાઈ જોરદાર, તૂફાન અને સરદાર ઉધમસિંહની રિલીઝ તારીખમાં થયો ફેરફાર

YRF અને એક્સેલ એન્ટરટેઇન્મેન્ટે પોતાની તમામ મોટી ફિલ્મોની રિલીઝ તારીખમાં ફેરફાર કર્યો છે. રણવીર સિંહની જયેશભાઇ જોરદાર અને ફરહાન અખ્તરની તૂફાનની તારીખમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. બોક્સ ઓફિસ ક્લેશથી બચવા માટે સરદાર ઉધમ સિંહની રિલીઝ ડેટ પણ આવતા વર્ષ સુધી લંબાવામાં આવી છે.

author img

By

Published : Mar 13, 2020, 10:34 PM IST

જયેશભાઈ જોરદાર, તૂફાન અને સરદાર ઉધમસિંહની રિલીઝ તારીખમાં થયો ફેરફાર
જયેશભાઈ જોરદાર, તૂફાન અને સરદાર ઉધમસિંહની રિલીઝ તારીખમાં થયો ફેરફાર

મુંબઈઃ યશરાજ ફિલ્મ્સ તથા એક્સેલ એન્ટરટેઈન્મેન્ટે સાથે મળીને આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ તથા ‘તૂફાન’ને એકબીજા સાથે રિલીઝ ડેટ્સ એક્સચેન્જ કરી છે. પહેલાં ‘જયેશભાઈ જોરદાર’ 18 સપ્ટેમ્બરે અને ‘તૂફાન’ બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની હતી.

  • On March 13th 1940, #SardarUdham singlehandedly assassinated Michael O' Dwyer in London to honour the lives lost at the Jallianwala Bagh massacre.

    His story deserves justice onscreen too. Starring Vicky Kaushal, we will now see you in cinemas on 15th January 2021! pic.twitter.com/JcMfOgaRYM

    — Rising Sun Films (@filmsrisingsun) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ હવે બીજી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. જ્યારે ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ 18 સપ્ટેમ્બરે રિલીઝ થશે. હવે, રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની ટક્કર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ તથા વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ સાથે થશે. ફરહાન અખ્તરની ફિલ્મ તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરુબા’ સાથે ટકરાશે.

ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ ગુજરાતી બન્યો છે. ફિલ્મમાં ‘અર્જુન રેડ્ડી’ ફૅમ શાલિની પાંડે છે. આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યો છે.

ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ની વાત કરવામાં આવે તો ફિલ્મમાં એક્ટર પ્રોફેશનલ બોક્સરના રોલમાં છે. આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મેહરા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે ફરહાન અખ્તર છેલ્લાં એક વર્ષથી તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં ફરહાન ઉપરાંત પરેશ રાવલ, મૃણાલ ઠાકુર, ઈશા તલવાર જેવા કલાકારો છે.

મુંબઈઃ યશરાજ ફિલ્મ્સ તથા એક્સેલ એન્ટરટેઈન્મેન્ટે સાથે મળીને આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ તથા ‘તૂફાન’ને એકબીજા સાથે રિલીઝ ડેટ્સ એક્સચેન્જ કરી છે. પહેલાં ‘જયેશભાઈ જોરદાર’ 18 સપ્ટેમ્બરે અને ‘તૂફાન’ બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની હતી.

  • On March 13th 1940, #SardarUdham singlehandedly assassinated Michael O' Dwyer in London to honour the lives lost at the Jallianwala Bagh massacre.

    His story deserves justice onscreen too. Starring Vicky Kaushal, we will now see you in cinemas on 15th January 2021! pic.twitter.com/JcMfOgaRYM

    — Rising Sun Films (@filmsrisingsun) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ હવે બીજી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. જ્યારે ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ 18 સપ્ટેમ્બરે રિલીઝ થશે. હવે, રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની ટક્કર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ તથા વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ સાથે થશે. ફરહાન અખ્તરની ફિલ્મ તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરુબા’ સાથે ટકરાશે.

ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ ગુજરાતી બન્યો છે. ફિલ્મમાં ‘અર્જુન રેડ્ડી’ ફૅમ શાલિની પાંડે છે. આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યો છે.

ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ની વાત કરવામાં આવે તો ફિલ્મમાં એક્ટર પ્રોફેશનલ બોક્સરના રોલમાં છે. આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મેહરા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે ફરહાન અખ્તર છેલ્લાં એક વર્ષથી તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં ફરહાન ઉપરાંત પરેશ રાવલ, મૃણાલ ઠાકુર, ઈશા તલવાર જેવા કલાકારો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.