મુંબઇ: અભિનેત્રી ઉર્વશી શર્મા લોકડાઉનમાં ક્રાફ્ટની વસ્તુઓ બનાવવા માટે પોતાના સમયનો ઉપયોગ કરી રહી છે. તેમના દ્વારા, તે જરૂરીયાતમંદો માટે નાણાં એકત્ર કરવા માંગે છે.
'નકાબ', 'બાબર', 'ખટ્ટા મીઠા' અને 'ચક્રધાર' જેવી ફિલ્મ્સ માટે જાણીતી અભિનેત્રી એક નવા પેશન પર કામ કરી રહી છે. આ દિવસોમાં તે મીણબત્તી બનાવવાનું અને ભરતકામ કરી રહી છે.
આતિફ અસલમની 'દૂરી' અને મીકાના 'સમથિંગ સમથિંગ' જેવા ગીતોમાં પણ દેખાઈ ચૂકેલી ઉર્વશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ હું મીણબત્તી અને ફૂલ બનાવવાની, ભરતકામ, વણાટ અને મણકાના કામની શરૂઆત કરી છે.હું પોતાના બાળકો સાથે સમય પસાર કરવા ઉપરાંત હું પેઇન્ટિંગ પણ કરું છું.
હાલમાં ભરતકામથી ભગવાન શંકર બનાવવાનું કામ કરી રહેલી ઉર્વશીએ કહ્યું, "સર્જનાત્મકતા મારો જૂનૂન છે. હું કંઈપણ સામાન્ય નથી કરતી.અમારા પ્રિય ઘરના દરેક ખૂણામાં એક ખાસ વાત છે."
પહેલા સાંઇ બાબા, હનુમાન, ભગવાન ગણેશ, ઈસુ, મધર મેરી અને બેબી જીસસ પણ ભરતથી બનાવી ચુકેલી અભિનેત્રી એ કહ્યું, કે "મને આવી એક કલાકૃત્રિ બનાવવામાં લગભગ 2-3 અઠવાડિયા લાગે છે. "
અભિનેત્રીના લગ્ન સચિન જે. જોશી સાથે થયા છે, જે અત્યારે દુબઇમાં છે.તેમને બે બાળકો છે છોકરી સમાયરા અને છોકરો શિવાંશ .
ઉર્વશી એ કહ્યું કે, " હું કલા અને શિલ્પને પ્રેમ કરુ છું અને મને દરરોજ આની માટે સમય મળી રહે છે. હું અમારા બિગ બ્રધર ફાઉન્ડેશન માટે પૈસા એકત્રિત કરવા માટે તેમને વેચીશ. "
બિગ બ્રધર ફાઉન્ડેશન ની સ્થાપના 2012 માં થઈ હતી, ગ્રામીણ ભારતમાં નબળા બાળકો અને મહિલાઓ સશક્તિકરણ પર કામ કરે છે. ફાઉન્ડેશન હાલ ચાલી રહેલા આરોગ્ય સંકટ દરમિયાન લોકોને મદદ કરી રહ્યું છે.
ઉર્વશીએ લોકડાઉન વિશે કહ્યું, કે "મારા માટે આ બધું કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. અમે હંમેશાં જે બાબતો માટે ઉત્સાહી છીએ તેના માટે સમય કાઢીએ છીએ."