ETV Bharat / sitara

સુશાંત તેના પિતાના બીજા લગ્નના નિર્ણયથી નાખુશ હતો: સંજય રાઉત

author img

By

Published : Aug 9, 2020, 10:06 PM IST

શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે, સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેના પિતા કે. કે. સિંહના બીજા લગ્નના નિર્ણયથી ખુશ ન હતો. જેના કારણે પિતા-પુત્ર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ

મુંબઈ: બોલિવૂડના સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રાજકારણ ગરમાઈ રહ્યું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે.

સંજય રાઉતે આરોપ લગાવતા જણાવ્યું કે, સુશાંતનો પરિવાર એટલે તેના પિતા પટનામાં રહે છે. અભિનેતાનો તેના પિતા સાથેનો સંબંધ સારો ન હતો. સુશાંત તેના પિતાના બીજા લગ્નના નિર્ણયથી ખુશ ન હતો. જે બાદ સુશાંતનો તેના પિતા સાથે ભાવનાત્મક જોડાણ તુટી ગયું હતું.

આ સાથે જ સંજય રાઉતે બિહાર પોલીસ અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ મળીને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. એટલું જ નહીં તેમને તો બિહારના DGP પર આરોપ લગાવ્યો હતો કે, DGP ભાજપના કાર્યકર્તાની જેમ વર્તી રહ્યા છે.

સંજયે વધુમાં જણાવ્યું હતું કે, જો સુશાંતનો કેસ મુંબઈ પોલીસ પાસે થોડો સમય વધુ રહ્યો હોત તો કંઈ આભ ન તુટી પડેત. આ રાજકીય દબાણની રાજનીતિ છે. સુશાંતના પ્રકરણની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ ગઈ હતી. સુશાંત જેવા કેસમાં કેન્દ્રની દખલ તો મુંબઈ પોલીસનું અપમાન છે. સંજય રાઉતે CBI પર આરોપ લગાવ્યો હતો કે CBI મફત અને ન્યાયી નથી. જેની સરકાર કેન્દ્રમાં છે, તેમના ઇશારે CBI કામ કરે છે.

મુંબઈ: બોલિવૂડના સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રાજકારણ ગરમાઈ રહ્યું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે.

સંજય રાઉતે આરોપ લગાવતા જણાવ્યું કે, સુશાંતનો પરિવાર એટલે તેના પિતા પટનામાં રહે છે. અભિનેતાનો તેના પિતા સાથેનો સંબંધ સારો ન હતો. સુશાંત તેના પિતાના બીજા લગ્નના નિર્ણયથી ખુશ ન હતો. જે બાદ સુશાંતનો તેના પિતા સાથે ભાવનાત્મક જોડાણ તુટી ગયું હતું.

આ સાથે જ સંજય રાઉતે બિહાર પોલીસ અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ મળીને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. એટલું જ નહીં તેમને તો બિહારના DGP પર આરોપ લગાવ્યો હતો કે, DGP ભાજપના કાર્યકર્તાની જેમ વર્તી રહ્યા છે.

સંજયે વધુમાં જણાવ્યું હતું કે, જો સુશાંતનો કેસ મુંબઈ પોલીસ પાસે થોડો સમય વધુ રહ્યો હોત તો કંઈ આભ ન તુટી પડેત. આ રાજકીય દબાણની રાજનીતિ છે. સુશાંતના પ્રકરણની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ ગઈ હતી. સુશાંત જેવા કેસમાં કેન્દ્રની દખલ તો મુંબઈ પોલીસનું અપમાન છે. સંજય રાઉતે CBI પર આરોપ લગાવ્યો હતો કે CBI મફત અને ન્યાયી નથી. જેની સરકાર કેન્દ્રમાં છે, તેમના ઇશારે CBI કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.