મુંબઇ: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. આ બધાની શરૂઆત એક અફવા સાથે થઈ હતી કે, અભિનેતાની પત્ની આલિયા સિદ્દીકીએ તેને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. તે જ સમયે, આલિયા દ્વારા તેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ઘણાં ઇન્ટરવ્યુમાં, આલિયાએ (જેણે તેનું જૂનું નામ અંજના કિશોર પાંડે રાખ્યું છે) નવાઝના પરિવાર પર આરોપ લગાવતા, છુટાછેડા કરવાનો દાવો કર્યો હતો.
તાજેતરમાં નવાઝુદ્દીનની પત્નીએ તેના પર 'છેતરપિંડી કરવામાં સામેલ ', 'ઇરાદાપૂર્વક અને આયોજિત રીતે માનહાનિ માટે ' અને 'ચારિત્ર્યને બદનામ ' કરવાના આરોપમાં એક નોટિસ મોકલી હતી.
અભિનેતાએ તેની પત્ની આલિયાને કાનૂની નોટિસ મોકલી છે અને તેની સામે વાંધાજનક નિવેદનો આપવા માટે લેખિત સ્પષ્ટીકરણની માગ કરી છે. જેના પર આલિયાએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે અને પોતાની આગામી પગલા વિશે જણાવ્યું હતું.
-
Good that you have finally spoken @Nawazuddin_S
— Anjana Anand kishor pandey (@ASiddiqui2020) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Do await my reply. I will have no reasons to now hold back any actions as sought to be initiated against you personally, by me.
">Good that you have finally spoken @Nawazuddin_S
— Anjana Anand kishor pandey (@ASiddiqui2020) June 26, 2020
Do await my reply. I will have no reasons to now hold back any actions as sought to be initiated against you personally, by me.Good that you have finally spoken @Nawazuddin_S
— Anjana Anand kishor pandey (@ASiddiqui2020) June 26, 2020
Do await my reply. I will have no reasons to now hold back any actions as sought to be initiated against you personally, by me.
તેને પોસ્ટમાં લખ્યું કે, 'સારું કે તમે છેલ્લે વાત કરી છે. મારા જવાબની રાહ જુઓ. હું તમારી વિરુદ્ધ વ્યક્તિગત રૂપે શરૂ કરેલા કોઈપણ પગલા પાછુ ખેંચવા માટે મારી પાસે કોઈ કારણ નથી.
નવાઝુદ્દીન સિદ્દીકીએ મુલાકાત દરમિયાન કહ્યું કે, અમે જે કાનૂની નોટિસ મોકલી રહ્યા છે, તેનો કોઈ જવાબ આપ્યો નથી. આલિયાએ એવો દાવો પણ કર્યો હતો કે, નવાઝે માસિક ભથ્થું મોકલવાનું પણ બંધ કરી દીધું છે.
આ અંગે નવાઝુદ્દીન સિદ્દીકીના વકીલે કહ્યું કે, અભિનેતા હજી પણ તેની પત્નીને EMI ચૂકવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, અન્ય ખર્ચઓને પણ આવરી લેવામાં આવ્યા છે.તેને વધુમાં કહ્યું કે, છૂટાછેડાની નોટિસનો જવાબ આપવામાં આવ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો,નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લે ફિલ્મ 'ઘૂમકેતુ' માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ZEE5 પર 22 મે, 2020ના રોજ રીલિઝ થઇ હતી. મુખ્ય ભૂમિકામાં નવાઝ ઉપરાંત રાગિની ખન્ના, અનુરાગ કશ્યપ, ઇલા અરૂણ, રઘુવીર યાદવ અને બ્રિજેન્દ્ર કલા જોવા મળ્યા હતા. તેનું નિર્દેશન પુષ્પેન્દ્ર નાથ મિશ્રાએ કર્યું છે.