મુંબઇઃ ફિલ્મ નિર્માતા કરણ જોહરે તે તમામ સમાચારોને ખોટા ગણાવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ 19ને લીધે લોકડાઉનમાં તેની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની ટીમને મળનારી રકમમાં કાપ મૂકવામાં આવશે.
તેમણે લોકોને આ વાતની એપીલ કરી કે, કોઇ નિષ્કર્ષ સુધી પહોંચવા પહેલા આધિકારીક જાહેરાતની રાહ જોવી જોઇએ.
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા પ્રખ્યાત સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
-
My hugest request to my media friends not to reach any assumptions on our fraternity films...these are challenging times for the business and false news only makes the situation worse! Please wait for official news on any account!! This is a humble request....
— Karan Johar (@karanjohar) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My hugest request to my media friends not to reach any assumptions on our fraternity films...these are challenging times for the business and false news only makes the situation worse! Please wait for official news on any account!! This is a humble request....
— Karan Johar (@karanjohar) May 4, 2020My hugest request to my media friends not to reach any assumptions on our fraternity films...these are challenging times for the business and false news only makes the situation worse! Please wait for official news on any account!! This is a humble request....
— Karan Johar (@karanjohar) May 4, 2020
એવા અહેવાલો આવ્યા હતા કે, ફિલ્મના વ્યાવસાયિક રીતે કામ કરતા રહે તે રીતે આખી કાસ્ટ સ્વેચ્છાએ તેમના પગારમાં ઘટાડો કર્યો છે. અફવાઓ મુજબ રણબીર, આલિયા અને અયાન પગાર કાપવા આગળ આવ્યા છે.
ફિલ્મ નિર્માતાએ ટ્વીટ કર્યું, "હું મીડિયામાંના મારા બધા મિત્રોને વિનંતી કરું છું કે, અમારી ફિલ્મ વિશે કોઈ નિષ્કર્ષ પર ન આવે. તે ધંધા માટે એક પડકારજનક સમય છે અને ખોટા સમાચારો ફક્ત પરિસ્થિતિને વધુ વણસી બનાવે છે." . કોઈપણ વિષય પર સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી રાહ જુઓ !! આ નમ્ર વિનંતી છે.
ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના સહયોગથી ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્માણિત 'બ્રહ્માસ્ત્ર: ભાગ વન'ને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ પાંચ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.