ETV Bharat / sitara

સુશાંત કેસ અંગે ભાજપના સાંસદ સુશીલ સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો

author img

By

Published : Jul 31, 2020, 4:30 PM IST

ભાજપના સાંસદ સુશીલ કુમાર સિંહે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. તેમણે દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

etv bharat
સુશાંત કેસ અંગે ભાજપના સાંસદ સુશીલ સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો

ઔરંગાબાદ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછીથી જ દરેક લોકો આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ મામલે ભાજપના સાંસદ સુશીલ કુમાર સિંહે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો છે. ભાજપના સાંસદે સુશાંત સિંહના મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

તેમના પત્રમાં ભાજપના સાંસદે લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની મોતનું સત્ય આખું દેશ જાણવા માંગે છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસ પર અસહકારી વલણ અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવું જોઈએ. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસ સહકાર આપવાને બદલે બિહાર પોલીસને હેરાન કરવામાં લાગી છે. જે ક્યાંયથી યોગ્ય નથી.

પરિવારના સભ્યોએ કોર્ટમાં અરજી કરી હતી

જણાવવામાં આવેતો શુક્રવારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે સુશાંતના પરિવાર દ્વારા પટના હાઇકોર્ટમાં એક પત્ર અરજી કરવામાં આવી હતી. અરજીમાં કેસની તપાસ પોલીસ પાસેથી હટાવીને સીબીઆઈને આપવાની માંગ કરવામાં આવી છે.

સુશાંતે 14 જૂને મુંબઈમાં આત્મહત્યા કરી હતી

14 જૂને સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી હતી. આ મામલે પટના પોલીસે મુંબઇમાં તપાસ તેજ કરી છે. પટના પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીએ બિહારની ટીમ સાથે વાત કરી નથી.

ઔરંગાબાદ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછીથી જ દરેક લોકો આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ મામલે ભાજપના સાંસદ સુશીલ કુમાર સિંહે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો છે. ભાજપના સાંસદે સુશાંત સિંહના મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

તેમના પત્રમાં ભાજપના સાંસદે લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની મોતનું સત્ય આખું દેશ જાણવા માંગે છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસ પર અસહકારી વલણ અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવું જોઈએ. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસ સહકાર આપવાને બદલે બિહાર પોલીસને હેરાન કરવામાં લાગી છે. જે ક્યાંયથી યોગ્ય નથી.

પરિવારના સભ્યોએ કોર્ટમાં અરજી કરી હતી

જણાવવામાં આવેતો શુક્રવારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે સુશાંતના પરિવાર દ્વારા પટના હાઇકોર્ટમાં એક પત્ર અરજી કરવામાં આવી હતી. અરજીમાં કેસની તપાસ પોલીસ પાસેથી હટાવીને સીબીઆઈને આપવાની માંગ કરવામાં આવી છે.

સુશાંતે 14 જૂને મુંબઈમાં આત્મહત્યા કરી હતી

14 જૂને સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી હતી. આ મામલે પટના પોલીસે મુંબઇમાં તપાસ તેજ કરી છે. પટના પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીએ બિહારની ટીમ સાથે વાત કરી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.