મુંબઈ: બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર તાજેતરમાં ફેક ન્યુઝનો શિકાર બન્યો હતો. તેના વિશે એવી અફવા ઉડાડવામાં આવી હતી કે તેણે લોકડાઉનમાં તેની બહેનના પરિવારને આવન જાવન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ છે. જોકે તેણે આ અફવાને રદિયો આપતા જણાવ્યું હતું કે આ એક અસત્ય છે અને તેણે કોઈ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી.
અભિનેતાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે તેની બહેન લોકડાઉનની જાહેરાત થયા બાદ ક્યાંય ગઈ નહતી અને તેને માત્ર એક જ સંતાન છે જયારે આ ન્યુઝમાં એમ જણાવવામાં આવ્યું છે કે તેને બે સંતાનો છે.
ઉપરાંત તેના ગીત 'ફિલહાલ'ની બીજી આવૃત્તિ માટે પણ નવા કલાકારોની શોધ કરવામાં આવી છે તેવા પ્રકારની પણ વાતો ઉડી હતી જેના જવાબમાં અભિનેતાએ જણાવ્યું હતું કે જે કોઈ આ અફવાઓ ફેલાવી રહ્યું છે તેની સામે કાયદેસર પગલા લેવાશે.