ETV Bharat / international

ભારત માટે કોરોના બન્યો કેર: જાપાની દરિયા કિનારે ઉભેલા ક્રૂઝમાં 4 ભારતીય અસરગ્રસ્ત

author img

By

Published : Feb 18, 2020, 11:36 AM IST

જાપાનના દરિયા કિનારે ઉભેલા ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર કુલ 3,711 મુસાફરો છે, જેમાંથી ક્રૂ અને મુસાફરો સાથે 138 ભારતીય છે. જેમાં સોમવારે 2 ભારતીય પર કોરોના વાયરસની અસર જોવા મળી હતી. આ ઉપરાંત મંગળવારે પણ વધુ 2 ભારતીયમાં કોરોના વાયરસની અસર જોવા મળી છે.

ETV BHARAT
જાપાનના દરિયા કિનારે ઉભેલા જહાજમાં વધુ 2 ભારતીય અસરગ્રસ્ત

ટોક્યો: જાપાનના દરિયા કિનારે ઉભેલા ક્રૂઝ જહાજમાં વધુ 2 ભારતીયમાં કોરોનાની અસર જોવા મળી છે. ભારતે આશ્વાસન આપ્યું કે, કોરોના વાયરસની ફાઈનલ તપાસ બાદ આપણા નાગરિકોને પરત લાવવા માટે તમામ સંભવ પ્રયાસ કરશું.

ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર કુલ 3,711 લોકો મુસાફરી કરી રહ્યા છે. જેમાં ક્રૂ અને મુસાફરો સાથે 138 ભારતીય છે. ક્રૂઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં જાપાન દરિયા કિનારે પહોંચ્યું હતું. આ ઉપરાંત જહાજ પર કોરોના વાયરસથી અસગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 355 થઇ છે.

હુબેઈમાં 1,807 નવા કેસ સામે આવ્યાં છે, જેની સાથે જ પ્રાંતમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 59,989 થઇ છે. જ્યારે ચીનમાં કુલ 1,432 નવા કેસ સામે આવ્યાં છે. આયોગે જણાવ્યું કે, 1,097 દર્દી ગંભીર છે અને 11,741 દર્દીની તબિયત નાજુક છે.

હોંગકોંગમાં સોમવાર સુધી 60 કેસની પુષ્ટી થઈ હતી. મકાઉમાં 10 અને તાઈવાનમાં અત્યાર સુધી 1 વ્યક્તિના મોત સહિત 22 કેસ સામે આવ્યાં છે. કોરોના વાયરસને રોકવાના પ્રયાસોમાં વૈશ્વિક જાણકારો પણ સામેલ થયા છે.

ટોક્યો: જાપાનના દરિયા કિનારે ઉભેલા ક્રૂઝ જહાજમાં વધુ 2 ભારતીયમાં કોરોનાની અસર જોવા મળી છે. ભારતે આશ્વાસન આપ્યું કે, કોરોના વાયરસની ફાઈનલ તપાસ બાદ આપણા નાગરિકોને પરત લાવવા માટે તમામ સંભવ પ્રયાસ કરશું.

ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર કુલ 3,711 લોકો મુસાફરી કરી રહ્યા છે. જેમાં ક્રૂ અને મુસાફરો સાથે 138 ભારતીય છે. ક્રૂઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં જાપાન દરિયા કિનારે પહોંચ્યું હતું. આ ઉપરાંત જહાજ પર કોરોના વાયરસથી અસગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 355 થઇ છે.

હુબેઈમાં 1,807 નવા કેસ સામે આવ્યાં છે, જેની સાથે જ પ્રાંતમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 59,989 થઇ છે. જ્યારે ચીનમાં કુલ 1,432 નવા કેસ સામે આવ્યાં છે. આયોગે જણાવ્યું કે, 1,097 દર્દી ગંભીર છે અને 11,741 દર્દીની તબિયત નાજુક છે.

હોંગકોંગમાં સોમવાર સુધી 60 કેસની પુષ્ટી થઈ હતી. મકાઉમાં 10 અને તાઈવાનમાં અત્યાર સુધી 1 વ્યક્તિના મોત સહિત 22 કેસ સામે આવ્યાં છે. કોરોના વાયરસને રોકવાના પ્રયાસોમાં વૈશ્વિક જાણકારો પણ સામેલ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.