ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં આવશે શરિયા કાયદો, જાણો શું છે આ કાયદો...

author img

By

Published : Aug 19, 2021, 6:16 PM IST

શરિયા કાયદો ઇસ્લામની કાનૂની વ્યવસ્થા છે, જે કુરાન અને ઇસ્લામિક વિદ્વાનોના આદેશ પર આધારિત છે, અને મુસ્લિમોની દિનચર્યા માટે આચારસંહિતા તરીકે કામ કરે છે.

અફઘાનિસ્તાનમાં આવશે શરિયા કાયદો
અફઘાનિસ્તાનમાં આવશે શરિયા કાયદો
  • શરિયા કાયદા હેઠળ અફઘાનિસ્તાનમાં રહેવા તલિબાનીઓનું ફરમાન
  • તાલિબાનના શાસનની મહિલાઓ પર પડશે અસર
  • મહિલાઓને ઉંચી એડીના સેન્ડલ કે ચંપલ પહેરવા પર પ્રતિબંધ

હૈદરાબાદ: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયું છે. સત્તા કબજે કર્યા બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અહીં મહિલાઓની શું હાલત હશે. સમગ્ર વિશ્વમાં આ અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. આ દરમિયાન તાલિબાને કહ્યું કે, મહિલાઓએ માત્ર શરિયા કાયદા હેઠળ અફઘાનિસ્તાનમાં રહેવું પડશે અને તેમને મુસ્લિમ કાયદા હેઠળ જ આઝાદી મળશે, પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે, તાલિબાન હેઠળ શરિયા કાયદાનું અર્થઘટન શું છે અથવા તેમની નજરમાં શરિયા કાયદો શું છે?, આવી સ્થિતિમાં, તાલિબાન હેઠળ શરિયા કાયદો કેવો હશે અને તે મહિલાઓની સ્થિતિ પર કેવી અસર કરશે તે જાણવું જરૂરી છે.

આ પણ વાંચો: તાલિબાને હિન્દુઓ અને શીખોને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

શરિયા કાયદો શું છે?

શરિયા કાયદો ઇસ્લામની કાનૂની વ્યવસ્થા છે, જે કુરાન અને ઇસ્લામિક વિદ્વાનોના આદેશ પર આધારિત છે, અને મુસ્લિમોની દિનચર્યા માટે આચારસંહિતા તરીકે કામ કરે છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે તેઓ (મુસ્લિમો) દૈનિક દિનચર્યાથી વ્યક્તિગત સુધીના તમામ ક્ષેત્રોમાં ઈશ્વરની ઇચ્છાને અનુસરે છે. અરબીમાં શરિયાનો વાસ્તવમાં અર્થ થાય છે 'માર્ગ'. શરિયા કાયદો મૂળભૂત રીતે કુરાન અને સુન્નાના ઉપદેશો પર આધાર રાખે છે, જેમાં પૈગંબર મોહમ્મદની વાતો, ઉપદેશો અને પ્રથાઓ છે. શરિયા કાયદો મુસ્લિમોના જીવનના દરેક પાસાને અસર કરી શકે છે, પરંતુ તેનું પાલન કેટલું કડક રીતે કરવામાં આવે છે, તે તેના પર છે.

શરિયા કાયદો મુસ્લિમ કોર્ટના ન્યાયાધીશ પર નિર્ભર

શરિયા કાયદા હેઠળ સજા, એટલે કે, જો ગુનાની ગંભીરતા ઓછી હોય, તો તે મુસ્લિમ કોર્ટના ન્યાયાધીશ પર નિર્ભર કરે છે કે તે કેવા પ્રકારની સજા આપે છે. બીજો 'કિસાસ', એટલે કે ગુનેગારને ગુનાઓના પરિણામે ભોગ બનનાર જેટલું જ દુ:ખ ભોગવવું પડે છે, જ્યારે ત્રીજું 'હુદદ' જે સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે, જે ભગવાનના કાયદાની વિરુદ્ધ ગણવામાં આવે છે. હુદદના ગુનાઓમાં ચોરી, લૂંટ, અશ્લીલતા અને દારૂ પીવાનો સમાવેશ થાય છે અને આ જોગવાઈ હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં હાથ -પગ કાપવા, ચાબુક મારવા અને મૃત્યુદંડની પણ જોગવાઈ છે. કિસાસ એક ઇસ્લામિક શબ્દ છે, જેનો અર્થ થાય છે 'આંખ માટે આંખ'. હત્યાના કિસ્સામાં, જો ગુનેગાર પરનો આરોપ સાબિત થાય, તો આ કાયદા હેઠળ, અદાલત હત્યારાનો જીવ લેવાનો અધિકાર આપે છે.

આ પણ વાંચો: તાલિબાનના સમર્થનમાં મુનાવ્વર રાણાએ કહ્યું - ભારતમાં વધુ ક્રૂરતા, અહિયા રામરાજ નહી, કામરાજ છે

કાયદાને ટાંકીને અફઘાનિસ્તાનમાં મોટો નરસંહાર

તાલિબાનનો શરિયા કાયદો શરિયા કાયદા હેઠળ તાલિબાને દેશમાં કોઈપણ પ્રકારના ગીત અને સંગીત પર પ્રતિબંધ મુક્યો હતો. આ વખતે પણ, કંદહાર રેડિયો સ્ટેશન પર કબ્જો કર્યા પછી, તાલિબાનોએ ગીત વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, છેલ્લી વખત ચોરોના હાથ કાપી નાખવામાં આવ્યો હતો. આ સાથે, યુએન દસ્તાવેજ અનુસાર, તાલિબાનોએ શરિયા કાયદાને ટાંકીને અફઘાનિસ્તાનમાં મોટો નરસંહાર કર્યો છે. તે જ સમયે, લગભગ એક લાખ 60 હજાર લોકોને ભૂખ્યા રાખવા માટે, તેમના અનાજને બાળી નાખવામાં આવ્યા હતા અને તેમના ખેતરોમાં આગ લગાડવામાં આવી હતી. તાલિબાન શાસન હેઠળ, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, આ ઉપરાંત, કોઈપણ પ્રકારની ફિલ્મ પર પણ પ્રતિબંધ હતો.

તાલિબાન શાસનની મહિલાઓ પર અસર

તાલિબાન શાસન હેઠળ, મહિલાઓને અસરકારક રીતે નજરકેદ હેઠળ રાખવામાં આવી હતી અને તેમના શિક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે દરમિયાન, 8 વર્ષથી ઉપરની બધી છોકરીઓ માટે બુરખો પહેરવો ફરજિયાત હતો અને તેઓ એકલા ઘરની બહાર નીકળી શકતા નહોતા. આ વખતે પણ તાલિબાને આ જ નિયમ લાગુ કર્યો છે. મહિલાઓને ઉંચી એડીના સેન્ડલ કે ચંપલ પહેરવા પર પ્રતિબંધ હતો. તાલિબાન માને છે કે ઉંચી એડીના પગરખાં માણસોના મનમાં ખોટા વિચારો લાવે છે. આ સાથે મહિલાઓ અને છોકરીઓ માટે બારીમાંથી જોવાની મનાઈ હતી અને તે ઘરની બાલ્કનીમાં પણ આવી શકતી ન હતી.

  • શરિયા કાયદા હેઠળ અફઘાનિસ્તાનમાં રહેવા તલિબાનીઓનું ફરમાન
  • તાલિબાનના શાસનની મહિલાઓ પર પડશે અસર
  • મહિલાઓને ઉંચી એડીના સેન્ડલ કે ચંપલ પહેરવા પર પ્રતિબંધ

હૈદરાબાદ: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયું છે. સત્તા કબજે કર્યા બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અહીં મહિલાઓની શું હાલત હશે. સમગ્ર વિશ્વમાં આ અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. આ દરમિયાન તાલિબાને કહ્યું કે, મહિલાઓએ માત્ર શરિયા કાયદા હેઠળ અફઘાનિસ્તાનમાં રહેવું પડશે અને તેમને મુસ્લિમ કાયદા હેઠળ જ આઝાદી મળશે, પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે, તાલિબાન હેઠળ શરિયા કાયદાનું અર્થઘટન શું છે અથવા તેમની નજરમાં શરિયા કાયદો શું છે?, આવી સ્થિતિમાં, તાલિબાન હેઠળ શરિયા કાયદો કેવો હશે અને તે મહિલાઓની સ્થિતિ પર કેવી અસર કરશે તે જાણવું જરૂરી છે.

આ પણ વાંચો: તાલિબાને હિન્દુઓ અને શીખોને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

શરિયા કાયદો શું છે?

શરિયા કાયદો ઇસ્લામની કાનૂની વ્યવસ્થા છે, જે કુરાન અને ઇસ્લામિક વિદ્વાનોના આદેશ પર આધારિત છે, અને મુસ્લિમોની દિનચર્યા માટે આચારસંહિતા તરીકે કામ કરે છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે તેઓ (મુસ્લિમો) દૈનિક દિનચર્યાથી વ્યક્તિગત સુધીના તમામ ક્ષેત્રોમાં ઈશ્વરની ઇચ્છાને અનુસરે છે. અરબીમાં શરિયાનો વાસ્તવમાં અર્થ થાય છે 'માર્ગ'. શરિયા કાયદો મૂળભૂત રીતે કુરાન અને સુન્નાના ઉપદેશો પર આધાર રાખે છે, જેમાં પૈગંબર મોહમ્મદની વાતો, ઉપદેશો અને પ્રથાઓ છે. શરિયા કાયદો મુસ્લિમોના જીવનના દરેક પાસાને અસર કરી શકે છે, પરંતુ તેનું પાલન કેટલું કડક રીતે કરવામાં આવે છે, તે તેના પર છે.

શરિયા કાયદો મુસ્લિમ કોર્ટના ન્યાયાધીશ પર નિર્ભર

શરિયા કાયદા હેઠળ સજા, એટલે કે, જો ગુનાની ગંભીરતા ઓછી હોય, તો તે મુસ્લિમ કોર્ટના ન્યાયાધીશ પર નિર્ભર કરે છે કે તે કેવા પ્રકારની સજા આપે છે. બીજો 'કિસાસ', એટલે કે ગુનેગારને ગુનાઓના પરિણામે ભોગ બનનાર જેટલું જ દુ:ખ ભોગવવું પડે છે, જ્યારે ત્રીજું 'હુદદ' જે સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે, જે ભગવાનના કાયદાની વિરુદ્ધ ગણવામાં આવે છે. હુદદના ગુનાઓમાં ચોરી, લૂંટ, અશ્લીલતા અને દારૂ પીવાનો સમાવેશ થાય છે અને આ જોગવાઈ હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં હાથ -પગ કાપવા, ચાબુક મારવા અને મૃત્યુદંડની પણ જોગવાઈ છે. કિસાસ એક ઇસ્લામિક શબ્દ છે, જેનો અર્થ થાય છે 'આંખ માટે આંખ'. હત્યાના કિસ્સામાં, જો ગુનેગાર પરનો આરોપ સાબિત થાય, તો આ કાયદા હેઠળ, અદાલત હત્યારાનો જીવ લેવાનો અધિકાર આપે છે.

આ પણ વાંચો: તાલિબાનના સમર્થનમાં મુનાવ્વર રાણાએ કહ્યું - ભારતમાં વધુ ક્રૂરતા, અહિયા રામરાજ નહી, કામરાજ છે

કાયદાને ટાંકીને અફઘાનિસ્તાનમાં મોટો નરસંહાર

તાલિબાનનો શરિયા કાયદો શરિયા કાયદા હેઠળ તાલિબાને દેશમાં કોઈપણ પ્રકારના ગીત અને સંગીત પર પ્રતિબંધ મુક્યો હતો. આ વખતે પણ, કંદહાર રેડિયો સ્ટેશન પર કબ્જો કર્યા પછી, તાલિબાનોએ ગીત વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, છેલ્લી વખત ચોરોના હાથ કાપી નાખવામાં આવ્યો હતો. આ સાથે, યુએન દસ્તાવેજ અનુસાર, તાલિબાનોએ શરિયા કાયદાને ટાંકીને અફઘાનિસ્તાનમાં મોટો નરસંહાર કર્યો છે. તે જ સમયે, લગભગ એક લાખ 60 હજાર લોકોને ભૂખ્યા રાખવા માટે, તેમના અનાજને બાળી નાખવામાં આવ્યા હતા અને તેમના ખેતરોમાં આગ લગાડવામાં આવી હતી. તાલિબાન શાસન હેઠળ, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, આ ઉપરાંત, કોઈપણ પ્રકારની ફિલ્મ પર પણ પ્રતિબંધ હતો.

તાલિબાન શાસનની મહિલાઓ પર અસર

તાલિબાન શાસન હેઠળ, મહિલાઓને અસરકારક રીતે નજરકેદ હેઠળ રાખવામાં આવી હતી અને તેમના શિક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે દરમિયાન, 8 વર્ષથી ઉપરની બધી છોકરીઓ માટે બુરખો પહેરવો ફરજિયાત હતો અને તેઓ એકલા ઘરની બહાર નીકળી શકતા નહોતા. આ વખતે પણ તાલિબાને આ જ નિયમ લાગુ કર્યો છે. મહિલાઓને ઉંચી એડીના સેન્ડલ કે ચંપલ પહેરવા પર પ્રતિબંધ હતો. તાલિબાન માને છે કે ઉંચી એડીના પગરખાં માણસોના મનમાં ખોટા વિચારો લાવે છે. આ સાથે મહિલાઓ અને છોકરીઓ માટે બારીમાંથી જોવાની મનાઈ હતી અને તે ઘરની બાલ્કનીમાં પણ આવી શકતી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.