ETV Bharat / city

વડોદરામાં ઓક્સિજનની અછત સર્જાતા OSD વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટને આપી નોટિસ

author img

By

Published : Apr 25, 2021, 7:01 AM IST

મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં શનિવારે સાંજે ઓક્સિજનની અછત સર્જાતા દર્દી અને તેમના પરીજનનોના જીવ તાળવે ચોટ્યા હતા. OSD ડો. વિનોદ રાવ અને એડવાઇઝર ડૉ. શિતલ મિસ્ત્રી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

vadodara
વડોદરા ઓક્સિજનની અછત OSD વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટને આપી નોટિસ

  • શનિવારે સાંજે SSG હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય ખોરવાયો
  • OSD ડૉ. વિનોદ રાવ અને એડવાઇઝર ડૉ. શિતલ મિસ્ત્રી હોસ્પિટલમાં દોડી આવ્યા
  • OSD ડૉ વિનોદ રાવે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને ફટકારવામાં આવી નોટીસ



વડોદરા: મધ્યગુજરાતની સૌથી મોટી ગણાતી SSG હોસ્પિટલમાં શનિવારે ઓક્સિજન સપ્લાય ખોરવાયો હતો. પ્રાણવાયુનો સપ્લાય ખોરવાઇ જવાને પગલે દર્દીઓ અને તેમના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતા જ OSD ડૉ. વિનોદ રાવ અને એડવાઇઝર ડૉ. શિતલ મિસ્ત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ.વિનોર રાવે SSG હોસ્પિટલના એડમીનીસ્ટ્રેટર ડૉ. રંજન ઐયરને શો કોઝ નોટીસ ફટકારવાનું જણાવ્યું હતું.

OSD દોડી આવ્યા SSG હોસ્પિટલમાં

શનિવારે OSD ડૉ. વિનોદ રાવ દ્વારા શહેરમાં કોરોનાની સુવિધાઓ વચ્ચે ઓક્સિજન મેળવવાનો પડકાર હોવાનું જણાવ્યું હતું. શહેરને ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકારને ચુંટાયેલી પ્રતિનીધીઓનું મંડળ જાય તે પહેલા જ સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાય તેવી ઘટના સામે આવી હતી. શનિવારે સાંજે મધ્યગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલના કોવિડ કેરમાં ઓક્સિજન સપ્લાય ખોરવાતા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ OSD ડૉ વિનોદ રાવ અને ડૉ. શિતલ મિસ્ત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દરમિયાન દર્દીના સગા તેઓને અન્યત્રે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.. ચાર દર્દીઓને સુમનદીપ ખાતે કાર્યરત કોવિડ કેરમાં મોકલી આપવામાં આવ્યા હતા.

તંત્રની બેદરકારી

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શહેરને ફાળવવામાં આવતો ઓક્સિજનનો જથ્થો જેતે શહેરને મળી રહેશે. જો કે શનિવારે સાંજે જ SSG હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાઇ હતી. જેને પગલે સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.

વડોદરામાં ઓક્સિજનની અછત સર્જાતા OSD વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટને આપી નોટિસ

આ પણ વાંચો : વડોદરાના મેયર કેયુર રોકડિયાએ સીએમ રૂપાણીની કોન્ફરન્સ અંગે પત્રકારોને માહિતગાર કર્યા

મેડીકલ સુપ્રિટેન્ડેન્ટને ફટકારવામાં આવી નોટીસ

SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડ ડૉ. રંજન ઐયરે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, અમારી ગાડી ભરાવવા ગઇ છે. કલાક થશે. બધી જગ્યાએથી જલ્દી ઓક્સિજન ભરાઇને આવતા નથી. દર્દીઓને ઓક્સિજન કોન્સ્ટન્ટ્રેટર પર શિફ્ટ કર્યા છે. OSD ડૉ. વિનોદ રાવે જણાવ્યું કે, SSG હોસ્પિટલમાં ઓક્સિજન ખુટ્યો નથી. અત્યંત સીરીયસ દર્દીને એમ્બ્યુલન્સમાંથી અંદર લઇ જવાનો વેઇટીંગ પીરીયડમાં વધારો થયો છે. મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ તરફથી ગંભીર બેદરકારી સામે આવી છે. તે અંગે હું તેમને શો – કોઝ નોટીસ આપું છું. OPDમાં વ્યવસ્થિત મેનેજમેન્ટ થવું જોઇએ. અગાઉ પણ આ પ્રકારની બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો : વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા

હોસ્પિટલો સામે અનેક પડકાર

રાજ્યમાં અનેક જગ્યાઓ પર ઓક્સિજન, બેડ, રેમડેસિવિર સહિતની જરૂરી વ્યવસ્થાઓની અછત છે. વડોદરામાં બેડ તથા વેન્ટીલેટરની વ્યવસ્થાઓનું આગોતરુ આયોજન OSD દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શનિવાર્ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ઓક્સિજનના જથ્થા પ્રમાણે જ કામ કરવાનું હોવાથી હવે તંત્ર સામે નવો પડકાર છે. જો આવી રીતે ગંભીર બેદરકારી સામે આવશે તો અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડશે. શહેર હવે સંકટમાંથી પસાર થઇ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં દિવસે ને દિવસે નવા પડકાર સામે આવી રહ્યા છે. દિવસેને દિવસે શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની માંગ વધશે. તેવા કટોકટીના સમયે જરૂરી વ્યવસ્થા તૈયાર રાખવી તંત્ર માટે રોજ નવા પડકાર લઇને આવશે.

  • શનિવારે સાંજે SSG હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય ખોરવાયો
  • OSD ડૉ. વિનોદ રાવ અને એડવાઇઝર ડૉ. શિતલ મિસ્ત્રી હોસ્પિટલમાં દોડી આવ્યા
  • OSD ડૉ વિનોદ રાવે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને ફટકારવામાં આવી નોટીસ



વડોદરા: મધ્યગુજરાતની સૌથી મોટી ગણાતી SSG હોસ્પિટલમાં શનિવારે ઓક્સિજન સપ્લાય ખોરવાયો હતો. પ્રાણવાયુનો સપ્લાય ખોરવાઇ જવાને પગલે દર્દીઓ અને તેમના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતા જ OSD ડૉ. વિનોદ રાવ અને એડવાઇઝર ડૉ. શિતલ મિસ્ત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ.વિનોર રાવે SSG હોસ્પિટલના એડમીનીસ્ટ્રેટર ડૉ. રંજન ઐયરને શો કોઝ નોટીસ ફટકારવાનું જણાવ્યું હતું.

OSD દોડી આવ્યા SSG હોસ્પિટલમાં

શનિવારે OSD ડૉ. વિનોદ રાવ દ્વારા શહેરમાં કોરોનાની સુવિધાઓ વચ્ચે ઓક્સિજન મેળવવાનો પડકાર હોવાનું જણાવ્યું હતું. શહેરને ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકારને ચુંટાયેલી પ્રતિનીધીઓનું મંડળ જાય તે પહેલા જ સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાય તેવી ઘટના સામે આવી હતી. શનિવારે સાંજે મધ્યગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલના કોવિડ કેરમાં ઓક્સિજન સપ્લાય ખોરવાતા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ OSD ડૉ વિનોદ રાવ અને ડૉ. શિતલ મિસ્ત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દરમિયાન દર્દીના સગા તેઓને અન્યત્રે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.. ચાર દર્દીઓને સુમનદીપ ખાતે કાર્યરત કોવિડ કેરમાં મોકલી આપવામાં આવ્યા હતા.

તંત્રની બેદરકારી

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શહેરને ફાળવવામાં આવતો ઓક્સિજનનો જથ્થો જેતે શહેરને મળી રહેશે. જો કે શનિવારે સાંજે જ SSG હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાઇ હતી. જેને પગલે સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.

વડોદરામાં ઓક્સિજનની અછત સર્જાતા OSD વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટને આપી નોટિસ

આ પણ વાંચો : વડોદરાના મેયર કેયુર રોકડિયાએ સીએમ રૂપાણીની કોન્ફરન્સ અંગે પત્રકારોને માહિતગાર કર્યા

મેડીકલ સુપ્રિટેન્ડેન્ટને ફટકારવામાં આવી નોટીસ

SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડ ડૉ. રંજન ઐયરે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, અમારી ગાડી ભરાવવા ગઇ છે. કલાક થશે. બધી જગ્યાએથી જલ્દી ઓક્સિજન ભરાઇને આવતા નથી. દર્દીઓને ઓક્સિજન કોન્સ્ટન્ટ્રેટર પર શિફ્ટ કર્યા છે. OSD ડૉ. વિનોદ રાવે જણાવ્યું કે, SSG હોસ્પિટલમાં ઓક્સિજન ખુટ્યો નથી. અત્યંત સીરીયસ દર્દીને એમ્બ્યુલન્સમાંથી અંદર લઇ જવાનો વેઇટીંગ પીરીયડમાં વધારો થયો છે. મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ તરફથી ગંભીર બેદરકારી સામે આવી છે. તે અંગે હું તેમને શો – કોઝ નોટીસ આપું છું. OPDમાં વ્યવસ્થિત મેનેજમેન્ટ થવું જોઇએ. અગાઉ પણ આ પ્રકારની બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો : વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા

હોસ્પિટલો સામે અનેક પડકાર

રાજ્યમાં અનેક જગ્યાઓ પર ઓક્સિજન, બેડ, રેમડેસિવિર સહિતની જરૂરી વ્યવસ્થાઓની અછત છે. વડોદરામાં બેડ તથા વેન્ટીલેટરની વ્યવસ્થાઓનું આગોતરુ આયોજન OSD દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શનિવાર્ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ઓક્સિજનના જથ્થા પ્રમાણે જ કામ કરવાનું હોવાથી હવે તંત્ર સામે નવો પડકાર છે. જો આવી રીતે ગંભીર બેદરકારી સામે આવશે તો અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડશે. શહેર હવે સંકટમાંથી પસાર થઇ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં દિવસે ને દિવસે નવા પડકાર સામે આવી રહ્યા છે. દિવસેને દિવસે શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની માંગ વધશે. તેવા કટોકટીના સમયે જરૂરી વ્યવસ્થા તૈયાર રાખવી તંત્ર માટે રોજ નવા પડકાર લઇને આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.