ETV Bharat / city

100 ટકા 'નલ સે જલ' મેળવનારો છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા, કરોડો રૂપિયાના કામોનું CMએ કર્યું લોકાર્પણ

author img

By

Published : Nov 16, 2021, 6:53 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (cm bhupendra Patel) વડોદરા જિલ્લા (vadodara district)ને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો છે. બોટાદ, આણંદ, ગાંધીનગર (gandhinagar),મહેસાણા, પોરબંદર જિલ્લાઓને 100 ટકા નલ સે જલ (nal se jal) થી આવરી લેવાયા છે. ગુજરાત (gujarat)માં પાણી સમસ્યા (water problem)નું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે તેવું મુખ્યપ્રધાને (chief minister) જણાવ્યું હતું.

100 ટકા 'નલ સે જલ' મેળવનારો છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા, કરોડો રૂપિયાના કામોનું CMએ કર્યું લોકાર્પણ
100 ટકા 'નલ સે જલ' મેળવનારો છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા, કરોડો રૂપિયાના કામોનું CMએ કર્યું લોકાર્પણ
  • મુખ્યપ્રધાને રૂ. 126 કરોડની વડોદરાની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું
  • રૂ. 364 કરોડની પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત
  • 2024 સુધીમાં તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ

ગાંધીનગર: મુખ્યપ્રધાને (cm bhupendra patel) વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલી મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂપિયા 126.59 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જૂથ પાણી પુરવઠા યોજના (vadodara north division group water supply scheme)નું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી (Pure drinking water) મળશે. વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે અંદાજે રૂપિયા 364.80 કરોડની નવીન પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓ (water supply schemes)નું ખાતમુહૂર્ત કર્યું હતું.

4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે

આ યોજનાઓ સાકાર થતા 4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળી રહેશે. મુખ્યપ્રધાન રાહતનિધિ અને કન્યા કેળવણી નિધિમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ દાન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી હવે 100 ટકા 'નલ સે જલ' મેળવનારો છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. મુખ્યપ્રધાનએ વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્દઢ કરવા માટે કુલ રૂપિયા 491.39 કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.

PM મોદીનો સંકલ્પ વડોદરા જિલ્લાએ 2021માં સાકાર કર્યો

સાવલી ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના કાર્યક્રમમાં આ સંદર્ભે તેમણે કહ્યું કે, "છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છે." ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જલ જીવન મિશન હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ વડોદરા જિલ્લાએ તો 2021માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવાનો વડાપ્રધાનનો સંકલ્પ આખા ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે રાજ્યમાં આ યોજનાની કામગીરી ઝડપથી થઇ રહી છે."

પાણીના એકએક ટીપાંનો સદ્દઉપયોગ કરવો જોઇએ

કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, "પાણીનું મૂલ્ય સમજી તેના એકએક ટીપાંનો સદ્દઉપયોગ કરવો જોઇએ. પાણીને પ્રભુના પ્રસાદની જેમ વાપરવું જોઇએ. આપણે જાણીએ છીએ કે, દુનિયા ઉપર ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો મંડરાઇ રહ્યા છે." નળમાંથી ટીપેટીપે ટપકતા પાણીથી વર્ષે 36 હજાર લિટર પાણીનો વ્યય થાય છે. આવા વ્યયને અટકાવી, પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ન કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. વડોદરા જિલ્લાની વિકાસયાત્રા સતત આગળ વધતી રહી છે ત્યારે, જિલ્લાના વિકાસમાં ખુટતી કડીઓને પરિપૂર્ણ કરવામાં આવશે તેવી નેમ પણ ભુપેન્દ્ર પટેલે દર્શાવી હતી.

વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે

પાણી પુરવઠા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, "પાણીને જળશક્તિ તરીકે પ્રસ્થાપિત કરીને નરેન્દ્રભાઇએ દેશમાં 100 ટકા નલ સે જલ, હર ઘર જલનો સંકલ્પ કર્યો છે. સો ટકા નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે." તેમણે કહ્યું કે, "વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે અને આ તમામ ઘરોને હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત આવરી લઇ રૂપિયા 83.90 કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યું છે." તેમણે ઉમેર્યું કે, "PMJAY, મા કાર્ડ-આરોગ્ય સુવિધાઓ પછી પાણી પણ લોકોના ઘર સુધી પહોંચી ગયું છે, જેના કારણે જન સુખાકારીમાં વધારો થયો છે."

આ પણ વાંચો: વડોદરાની યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલો: આરોપીનો હજી સુધી કોઈ પત્તો નહિ

આ પણ વાંચો: વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ મૃતક યુવતી CCTV ફૂટેજમાં સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવતી દેખાઈ

  • મુખ્યપ્રધાને રૂ. 126 કરોડની વડોદરાની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું
  • રૂ. 364 કરોડની પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત
  • 2024 સુધીમાં તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ

ગાંધીનગર: મુખ્યપ્રધાને (cm bhupendra patel) વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલી મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂપિયા 126.59 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જૂથ પાણી પુરવઠા યોજના (vadodara north division group water supply scheme)નું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી (Pure drinking water) મળશે. વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે અંદાજે રૂપિયા 364.80 કરોડની નવીન પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓ (water supply schemes)નું ખાતમુહૂર્ત કર્યું હતું.

4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે

આ યોજનાઓ સાકાર થતા 4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળી રહેશે. મુખ્યપ્રધાન રાહતનિધિ અને કન્યા કેળવણી નિધિમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ દાન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી હવે 100 ટકા 'નલ સે જલ' મેળવનારો છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. મુખ્યપ્રધાનએ વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્દઢ કરવા માટે કુલ રૂપિયા 491.39 કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.

PM મોદીનો સંકલ્પ વડોદરા જિલ્લાએ 2021માં સાકાર કર્યો

સાવલી ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના કાર્યક્રમમાં આ સંદર્ભે તેમણે કહ્યું કે, "છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છે." ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જલ જીવન મિશન હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ વડોદરા જિલ્લાએ તો 2021માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવાનો વડાપ્રધાનનો સંકલ્પ આખા ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે રાજ્યમાં આ યોજનાની કામગીરી ઝડપથી થઇ રહી છે."

પાણીના એકએક ટીપાંનો સદ્દઉપયોગ કરવો જોઇએ

કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, "પાણીનું મૂલ્ય સમજી તેના એકએક ટીપાંનો સદ્દઉપયોગ કરવો જોઇએ. પાણીને પ્રભુના પ્રસાદની જેમ વાપરવું જોઇએ. આપણે જાણીએ છીએ કે, દુનિયા ઉપર ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો મંડરાઇ રહ્યા છે." નળમાંથી ટીપેટીપે ટપકતા પાણીથી વર્ષે 36 હજાર લિટર પાણીનો વ્યય થાય છે. આવા વ્યયને અટકાવી, પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ન કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. વડોદરા જિલ્લાની વિકાસયાત્રા સતત આગળ વધતી રહી છે ત્યારે, જિલ્લાના વિકાસમાં ખુટતી કડીઓને પરિપૂર્ણ કરવામાં આવશે તેવી નેમ પણ ભુપેન્દ્ર પટેલે દર્શાવી હતી.

વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે

પાણી પુરવઠા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, "પાણીને જળશક્તિ તરીકે પ્રસ્થાપિત કરીને નરેન્દ્રભાઇએ દેશમાં 100 ટકા નલ સે જલ, હર ઘર જલનો સંકલ્પ કર્યો છે. સો ટકા નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે." તેમણે કહ્યું કે, "વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે અને આ તમામ ઘરોને હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત આવરી લઇ રૂપિયા 83.90 કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યું છે." તેમણે ઉમેર્યું કે, "PMJAY, મા કાર્ડ-આરોગ્ય સુવિધાઓ પછી પાણી પણ લોકોના ઘર સુધી પહોંચી ગયું છે, જેના કારણે જન સુખાકારીમાં વધારો થયો છે."

આ પણ વાંચો: વડોદરાની યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલો: આરોપીનો હજી સુધી કોઈ પત્તો નહિ

આ પણ વાંચો: વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ મૃતક યુવતી CCTV ફૂટેજમાં સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવતી દેખાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.