ETV Bharat / city

આદિવાસીઓની ઓળખ સમુ તીર કમાન, ગૃહ સુશોભન તરીકે પણ લેવાય છે ઉપયોગમાં

author img

By

Published : Jan 17, 2022, 10:08 PM IST

આદિવાસી સમાજમાં તીર કમાનને (tribal identity tir kaman) હવે હસ્ત કલા કરી રોજગારી મેળવે છે. શણગારેલા તીર કમાનની 1500 રૂપિયા જેટલી કિંમત હોવા છતાં ધૂમ માંગ વર્તાઈ રહી છે.

આદિવાસીઓની ઓળખ સમુ તિર કમાન, ગૃહ સુશોભન તરીકે પણ લેવાય છે ઉપયોગમાં
આદિવાસીઓની ઓળખ સમુ તિર કમાન, ગૃહ સુશોભન તરીકે પણ લેવાય છે ઉપયોગમાં

છોટા ઉદેપુર: આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં તીર કમાન એ એક આદિવાસીઓની ઓળખ (tribal identity tir kaman) સમુ હથીયાર છે. પરંતુ આ તીર કમાન જન્મ સંસ્કાર દરમિયાન નવજાત શિશુની નાભીને તીરની તીક્ષ્ણ ધાર વડે કાપવાની એક માન્યતા છે, તો લગ્ન સંસ્કાર દરમિયાન ગણેશ સ્થાપના એટલે કે તેલ ચઢાવવાની પ્રક્રીયાનાં દિવસથી તિરમાં લીંબુને પરોવીને ઘરના દરવાજા ઉપર મૂકીને લગ્ન પ્રસંગમાં કોઈ વિઘ્ન દૂર થાય એવી માન્યતા છે, તો મરણ સંસ્કાર દરમિયાન પણ અંતીમ યાત્રામાં તીર કમાન સાથે એક માણસ તીર કાંમઠા સાથે આગળ ચાલી સુરક્ષા કવચની માન્યતા પ્રમાણે સ્મશાન વિધી કરવાની એક માન્યતા મુજબ તીર કમાન જન્મ, લગ્ન, અને મરણ સંસ્કારની પ્રક્રિયામાં આગવું સ્થાન ધરાવે છે.

આદિવાસીઓની ઓળખ સમુ તિર કમાન, ગૃહ સુશોભન તરીકે પણ લેવાય છે ઉપયોગમાં

આદિવાસીઓની ઓળખ તીર કમાનનો ગૃહ સુશોભન તરીકે ઉપયોગ

આધુનિક યુગમાં હવે તીર કમાન આદિવાસીઓની ઓળખ સમુ બની ગૃહ સુશોભન (used as home decoration) તરીકે ઉપયોગ થતાં હવે શણગારેલા તીર કમાનની ભારે માંગ વર્તતા છોટા ઉદેપુર જિલ્લાના રૂમડીયા ગામના અરવિંદ રાઠવા કે જેઓ એક ખાસ પ્રકારના વાંસ માંથી તીર કમાન બનાવે છે અને તેના ઉપર હસ્ત કલા દ્વારા શણગાર કરવામાં આવે છે અને એક નવોઢાની જેમ શણગારેલા તીર કમાનની ભારે માંગ વર્તાતા અનેક મહિલાઓ દ્વારા કમાન ઉપર ભરત ગુંથણ કરવામાં આવે છે.

અરવિંદ રાઠવાને હસ્ત કલાનું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું

તીર કમાન ઉપર પણ રાષ્ટ્ર ધ્વજ મૂજબ ઉપર કેશરી વચ્ચે સફેદ અને નીચે લીલા કલરના ધાગાથી સુશોભન કરવાની કલાથી તીર કમાનને ખુબ શણગાર સજીને આકર્ષક બનાવવામાં આવે છે. છોટા ઉદેપુર જિલ્લામાં તીર કમાન બનાવવાની હસ્ત કલા સાથે સંકળાયેલા અરવિંદ રાઠવાએ થોડા સમય પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ હસ્ત કલાનો સ્ટોલ લાગાવ્યો હતો, તો અમદાવાદ ખાતેનાં હસ્ત કલાનાં હાટ વનબજારમાં પણ સ્ટોલ લાગાવ્યો હતો અને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા તેઓને હસ્ત કલાનું પ્રમાણ પત્ર આદિજાતી પ્રધાન નિમિષા સુથારનાં હસ્તે આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે કેન્દ્રિય પ્રધાનની અધ્યક્ષતામાં બિરસા મુંડાની 147 મી જન્મ જ્યંતીની ઉજવણી

છોટા-ઉદેપુરનાં ઉચાકલમ અને તરગોળ મતદાન મથક પર માત્ર એક મત પડ્યો

છોટા ઉદેપુર: આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં તીર કમાન એ એક આદિવાસીઓની ઓળખ (tribal identity tir kaman) સમુ હથીયાર છે. પરંતુ આ તીર કમાન જન્મ સંસ્કાર દરમિયાન નવજાત શિશુની નાભીને તીરની તીક્ષ્ણ ધાર વડે કાપવાની એક માન્યતા છે, તો લગ્ન સંસ્કાર દરમિયાન ગણેશ સ્થાપના એટલે કે તેલ ચઢાવવાની પ્રક્રીયાનાં દિવસથી તિરમાં લીંબુને પરોવીને ઘરના દરવાજા ઉપર મૂકીને લગ્ન પ્રસંગમાં કોઈ વિઘ્ન દૂર થાય એવી માન્યતા છે, તો મરણ સંસ્કાર દરમિયાન પણ અંતીમ યાત્રામાં તીર કમાન સાથે એક માણસ તીર કાંમઠા સાથે આગળ ચાલી સુરક્ષા કવચની માન્યતા પ્રમાણે સ્મશાન વિધી કરવાની એક માન્યતા મુજબ તીર કમાન જન્મ, લગ્ન, અને મરણ સંસ્કારની પ્રક્રિયામાં આગવું સ્થાન ધરાવે છે.

આદિવાસીઓની ઓળખ સમુ તિર કમાન, ગૃહ સુશોભન તરીકે પણ લેવાય છે ઉપયોગમાં

આદિવાસીઓની ઓળખ તીર કમાનનો ગૃહ સુશોભન તરીકે ઉપયોગ

આધુનિક યુગમાં હવે તીર કમાન આદિવાસીઓની ઓળખ સમુ બની ગૃહ સુશોભન (used as home decoration) તરીકે ઉપયોગ થતાં હવે શણગારેલા તીર કમાનની ભારે માંગ વર્તતા છોટા ઉદેપુર જિલ્લાના રૂમડીયા ગામના અરવિંદ રાઠવા કે જેઓ એક ખાસ પ્રકારના વાંસ માંથી તીર કમાન બનાવે છે અને તેના ઉપર હસ્ત કલા દ્વારા શણગાર કરવામાં આવે છે અને એક નવોઢાની જેમ શણગારેલા તીર કમાનની ભારે માંગ વર્તાતા અનેક મહિલાઓ દ્વારા કમાન ઉપર ભરત ગુંથણ કરવામાં આવે છે.

અરવિંદ રાઠવાને હસ્ત કલાનું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું

તીર કમાન ઉપર પણ રાષ્ટ્ર ધ્વજ મૂજબ ઉપર કેશરી વચ્ચે સફેદ અને નીચે લીલા કલરના ધાગાથી સુશોભન કરવાની કલાથી તીર કમાનને ખુબ શણગાર સજીને આકર્ષક બનાવવામાં આવે છે. છોટા ઉદેપુર જિલ્લામાં તીર કમાન બનાવવાની હસ્ત કલા સાથે સંકળાયેલા અરવિંદ રાઠવાએ થોડા સમય પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ હસ્ત કલાનો સ્ટોલ લાગાવ્યો હતો, તો અમદાવાદ ખાતેનાં હસ્ત કલાનાં હાટ વનબજારમાં પણ સ્ટોલ લાગાવ્યો હતો અને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા તેઓને હસ્ત કલાનું પ્રમાણ પત્ર આદિજાતી પ્રધાન નિમિષા સુથારનાં હસ્તે આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે કેન્દ્રિય પ્રધાનની અધ્યક્ષતામાં બિરસા મુંડાની 147 મી જન્મ જ્યંતીની ઉજવણી

છોટા-ઉદેપુરનાં ઉચાકલમ અને તરગોળ મતદાન મથક પર માત્ર એક મત પડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.