ETV Bharat / city

વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટીમાંથી ચોરી, તસ્કરો ફરાર

author img

By

Published : Sep 3, 2020, 7:10 AM IST

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટી તોડી અજાણ્યા તસ્કરો રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હતા.

Vadodara
વડોદરા

વડોદરા: શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટી તોડી અજાણ્યા તસ્કરો રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે નવાપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જોકે, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. કાશી વિશ્વનાથ મંદિરમાં મેનેજીંગ ટ્રસ્ટીએ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તા. 25મી ઓગસ્ટના રોજ કાશી વિશ્વનાથ મંદિરના ક્લાર્ક જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરી થઈ છે.

વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટી તોડી અજાણ્યા તસ્કરો રોકડ રકમની ચોરી કરી ફરાર

જેની તપાસ કરતા મંદિરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો હતો અને બે દાનપેટીના તાળા તૂટેલા હતા. દાનપેટીમાં આશરે 5 હજાર કરતા વધુ રોકડા રૂપિયા હતા. જેને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ ચોરી કરી નાસી ગયા હતા. નવાપુરા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા: શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટી તોડી અજાણ્યા તસ્કરો રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે નવાપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જોકે, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. કાશી વિશ્વનાથ મંદિરમાં મેનેજીંગ ટ્રસ્ટીએ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તા. 25મી ઓગસ્ટના રોજ કાશી વિશ્વનાથ મંદિરના ક્લાર્ક જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરી થઈ છે.

વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટી તોડી અજાણ્યા તસ્કરો રોકડ રકમની ચોરી કરી ફરાર

જેની તપાસ કરતા મંદિરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો હતો અને બે દાનપેટીના તાળા તૂટેલા હતા. દાનપેટીમાં આશરે 5 હજાર કરતા વધુ રોકડા રૂપિયા હતા. જેને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ ચોરી કરી નાસી ગયા હતા. નવાપુરા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.