ETV Bharat / city

વડોદરાના આજવા સરોવરની સપાટી 14 દિવસમાં 0.50 ફૂટ ઘટી, મેયરે નર્મદામંત્રીને લખ્યો પત્ર

author img

By

Published : Aug 25, 2021, 7:55 PM IST

વડોદરા વરસાદ ખેંચાતા વડોદરા કોર્પોરેશન તંત્ર મુસીબતમાં મૂકાયું છે. કેમ કે આજવા સરોવરની હાલ સપાટી 212 ફૂટ હોવી જોઇએ, તેની જગ્યાએ ફક્ત 206.3 ફૂટ સુધી પાણીનું લેવલ હોવાથી મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ પ્રધાન યોગેશ પટેલને પત્ર લખી વિનામૂલ્યે નર્મદાનું પાણી વડોદરાને આપવામાં આવે તેવી માગ કરી છે.

Ajwa Sarovar
Ajwa Sarovar
  • વડોદરાના 7 લાખ લોકોને પાણી પૂરં પાડતા આજવા સરોવરની સપાટી 14 દિવસમાં 0.50 ફૂટ ઘટી
  • જો 205 ફૂટ થશે તો પાણી વિતરણ પર અસર થવાની શક્યતા
  • નર્મદા કેનાલમાંથી વિનામૂલ્યે પાણી ભરી આપવા મેયરનો નર્મદામંત્રીને પત્ર

વડોદરા: દર વર્ષે ઓગસ્ટના મધ્યભાગમાં આજવા સરોવરની જળ સપાટી 212 ફૂટે હોય છે. જે પાણી વર્ષ દરમિયાન શહેરીજનોને પહોંચાડવામાં આવે છે. જોકે આજની તારીખમાં આજવા સરોવરની જળ સપાટી 206.3 ફૂટ એ પહોંચી છે. જેને કારણે કોર્પોરેશન તંત્ર ચિંતામાં મૂકાયુ છે. મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ પ્રધાન યોગેશ પટેલને પત્ર લખી અગામી દિવસમાં નર્મદા નિગમ દ્વારા વિનામૂલ્યે વડોદરાને પાણી આપવા માગ કરી છે. મેયરે પત્રમાં લખ્યું છે કે, હાલના 206.3 ફૂટના લેવલે પાણી હોવાથી પુરી ગ્રેવીટી સાથે પાણી સપ્લાય કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2021 સુધી આ પાણી લઈ શકાશે પણ તે બાદ પાણી જો 205 ફૂટે પહોંચે છે તો શહેરીજનોને પાણી આપવું મુશ્કેલ થઈ શકે છે. આવા સંજોગોમાં સરદાર સરોવર, નર્મદા નિગમ વિનામૂલ્યે નર્મદા સબ કેનાલ દ્વારા આજવા સરોવર ખાતે પાણી મોકલે તેવી માગ કરાઈ છે. આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં 7 લાખ લોકોને દૈનિક 145 એમ.એલ.ડી પાણી આપવામાં આવે છે. જે જળવાઈ રહે.

વડોદરાના આજવા સરોવરની સપાટી 14 દિવસમાં 0.50 ફૂટ ઘટી

આ પણ વાંચો: કચ્છના મુન્દ્રાના 22 ગામોને ટૂંક સમયમાં મળશે નર્મદાના નીર

સરેરાશ 41 ઇંચ વરસાદ સામે અત્યાર સુધી 18 ઇંચ થતાં 56 ટકાની ઘટથી સરોવરની સપાટી ઘટી

વડોદરામાં રોજ 550 એમ.એલ.ડીની પાણીની જરૂરિયાત છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદ નહિ વરસે તો મુશ્કેલી સર્જાવાની પુરી શક્યતા મેયર કેયુર રોકડીયાએ વ્યક્ત કરી હતી. કોર્પોરેશન તંત્ર છેલ્લા અનેક વર્ષોથી નર્મદા નિગમ અને પાનમ પાસેથી જ પાણી લે છે પરંતુ મળતી માહિતી મુજબ 2000 કરોડ જેટલી રકમ હજુ પાનમ-મહીસાગરની ચૂકવી નથી, સાથે નર્મદા નિગમની પણ 5 કરોડ જેટલી પાણીની રકમ પણ ચુકવવાની બાકી છે. આવા સંજોગોમાં સરકાર વિનામૂલ્યે વડોદરાને પાણી આપશે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. વડોદરા કોર્પોરેશન તંત્ર શહેરીજનો માટે જે પાણીની વ્યવસ્થા કરે છે, તેમાં આજવા સરોવર પાસેથી 140 એમ.એલ.ડી ખાનપુર ખાતેથી 75 એમ.એલ.ડી, રાયકા દોડકા અને ફાજલપુર ખાતેથી 300 એમએલડી પાણી મેળવે છે. જરૂર પડે નર્મદા નિગમ પાસેથી પણ પાણી તંત્ર લેતું હોય છે. જો આવનારા દિવસોમાં વરસાદ નહીં પડે તો શહેરીજનો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને પાલિકાને પાણીકાપ પણ કરવો પડી શકે છે.

આ પણ વાંચો: સૌની યોજના મારફતે નર્મદાના નીર ફરી પહોંચ્યા રાજકોટ

  • વડોદરાના 7 લાખ લોકોને પાણી પૂરં પાડતા આજવા સરોવરની સપાટી 14 દિવસમાં 0.50 ફૂટ ઘટી
  • જો 205 ફૂટ થશે તો પાણી વિતરણ પર અસર થવાની શક્યતા
  • નર્મદા કેનાલમાંથી વિનામૂલ્યે પાણી ભરી આપવા મેયરનો નર્મદામંત્રીને પત્ર

વડોદરા: દર વર્ષે ઓગસ્ટના મધ્યભાગમાં આજવા સરોવરની જળ સપાટી 212 ફૂટે હોય છે. જે પાણી વર્ષ દરમિયાન શહેરીજનોને પહોંચાડવામાં આવે છે. જોકે આજની તારીખમાં આજવા સરોવરની જળ સપાટી 206.3 ફૂટ એ પહોંચી છે. જેને કારણે કોર્પોરેશન તંત્ર ચિંતામાં મૂકાયુ છે. મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ પ્રધાન યોગેશ પટેલને પત્ર લખી અગામી દિવસમાં નર્મદા નિગમ દ્વારા વિનામૂલ્યે વડોદરાને પાણી આપવા માગ કરી છે. મેયરે પત્રમાં લખ્યું છે કે, હાલના 206.3 ફૂટના લેવલે પાણી હોવાથી પુરી ગ્રેવીટી સાથે પાણી સપ્લાય કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2021 સુધી આ પાણી લઈ શકાશે પણ તે બાદ પાણી જો 205 ફૂટે પહોંચે છે તો શહેરીજનોને પાણી આપવું મુશ્કેલ થઈ શકે છે. આવા સંજોગોમાં સરદાર સરોવર, નર્મદા નિગમ વિનામૂલ્યે નર્મદા સબ કેનાલ દ્વારા આજવા સરોવર ખાતે પાણી મોકલે તેવી માગ કરાઈ છે. આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં 7 લાખ લોકોને દૈનિક 145 એમ.એલ.ડી પાણી આપવામાં આવે છે. જે જળવાઈ રહે.

વડોદરાના આજવા સરોવરની સપાટી 14 દિવસમાં 0.50 ફૂટ ઘટી

આ પણ વાંચો: કચ્છના મુન્દ્રાના 22 ગામોને ટૂંક સમયમાં મળશે નર્મદાના નીર

સરેરાશ 41 ઇંચ વરસાદ સામે અત્યાર સુધી 18 ઇંચ થતાં 56 ટકાની ઘટથી સરોવરની સપાટી ઘટી

વડોદરામાં રોજ 550 એમ.એલ.ડીની પાણીની જરૂરિયાત છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદ નહિ વરસે તો મુશ્કેલી સર્જાવાની પુરી શક્યતા મેયર કેયુર રોકડીયાએ વ્યક્ત કરી હતી. કોર્પોરેશન તંત્ર છેલ્લા અનેક વર્ષોથી નર્મદા નિગમ અને પાનમ પાસેથી જ પાણી લે છે પરંતુ મળતી માહિતી મુજબ 2000 કરોડ જેટલી રકમ હજુ પાનમ-મહીસાગરની ચૂકવી નથી, સાથે નર્મદા નિગમની પણ 5 કરોડ જેટલી પાણીની રકમ પણ ચુકવવાની બાકી છે. આવા સંજોગોમાં સરકાર વિનામૂલ્યે વડોદરાને પાણી આપશે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. વડોદરા કોર્પોરેશન તંત્ર શહેરીજનો માટે જે પાણીની વ્યવસ્થા કરે છે, તેમાં આજવા સરોવર પાસેથી 140 એમ.એલ.ડી ખાનપુર ખાતેથી 75 એમ.એલ.ડી, રાયકા દોડકા અને ફાજલપુર ખાતેથી 300 એમએલડી પાણી મેળવે છે. જરૂર પડે નર્મદા નિગમ પાસેથી પણ પાણી તંત્ર લેતું હોય છે. જો આવનારા દિવસોમાં વરસાદ નહીં પડે તો શહેરીજનો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને પાલિકાને પાણીકાપ પણ કરવો પડી શકે છે.

આ પણ વાંચો: સૌની યોજના મારફતે નર્મદાના નીર ફરી પહોંચ્યા રાજકોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.