ETV Bharat / city

વડોદરાના અગોરા મોલના બાંધકામની માપણી મુલતવી, કોર્પોરેટર અને કોંગ્રેસી કાર્યકરોએ મચાવ્યો હોબાળો

author img

By

Published : Jan 28, 2020, 7:19 PM IST

વડોદરાના કારેલીબાગ મંગલપાડે રોડ પર અઘોરા મોલના બાંધકામ થકી બિલ્ડરે વિશ્વામિત્રી નદીમાં પુરાણ કર્યું છે. તેવો કોર્પોરેટર અમી રાવતના આક્ષેપ બાદ જિલ્લા કલેકટરે 5 વિવિધ વિભાગોને સાથે રાખીને અહીં માપણી કરવાના આદેશ જારી કર્યો હતો. જે બાદ મંગળવારે તેની માપણી થશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી મંગળવારે સવારે માપણી કરવા માટે વિવિધ ટીમો આવી પહોંચી હતી.

ETV BHARAT
અગોરા મોલના બાંધકામની માપણી મુલતવી, કાઉન્સિલર અને કોંગ્રેસી કાર્યકરોએ મચાવ્યો હોબાળો

વડોદરા: શહેરમાં અગોરા મોલના બાંધકામ થકી બિલ્ડરે વિશ્વામિત્રી નદીમાં પુરાણ કર્યું છે. તેવો કોર્પોરેટર અમી રાવતના આક્ષેપ બાદ જિલ્લા કલેકટરે માપણી કરવાના આદેશ જાહેર કર્યો હતો. જેથી અહીં માપણી કરવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, પરંતુ મામલતદાર વ્યસ્ત હોવાથી આવી શકયા નહોતા. જેથી માપણીની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.

અગોરા મોલના બાંધકામની માપણી મુલતવી, કાઉન્સિલર અને કોંગ્રેસી કાર્યકરોએ મચાવ્યો હોબાળો

આ દરમિયાન અમી રાવત અને હાજર અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓએ મામલતદાર સામે ભ્રષ્ટાચાર અને અગોરા મોલના બિલ્ડરને બચાવવા પોતે ગેરહાજર રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જમીન માપણીની અન્ય ટીમ હાજર હોવાથી મંગળવારે જ માપણી કરાવવાનો તેમણે આગ્રહ કર્યો હતો, પરંતુ તમામ 5 ટીમો હાજર રહે તો જ માપણી થઈ શકે. જેથી માપણીની કાર્યવાહી હાલ પુરતી ટાળવામાં આવી હતી. જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

વડોદરા: શહેરમાં અગોરા મોલના બાંધકામ થકી બિલ્ડરે વિશ્વામિત્રી નદીમાં પુરાણ કર્યું છે. તેવો કોર્પોરેટર અમી રાવતના આક્ષેપ બાદ જિલ્લા કલેકટરે માપણી કરવાના આદેશ જાહેર કર્યો હતો. જેથી અહીં માપણી કરવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, પરંતુ મામલતદાર વ્યસ્ત હોવાથી આવી શકયા નહોતા. જેથી માપણીની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.

અગોરા મોલના બાંધકામની માપણી મુલતવી, કાઉન્સિલર અને કોંગ્રેસી કાર્યકરોએ મચાવ્યો હોબાળો

આ દરમિયાન અમી રાવત અને હાજર અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓએ મામલતદાર સામે ભ્રષ્ટાચાર અને અગોરા મોલના બિલ્ડરને બચાવવા પોતે ગેરહાજર રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જમીન માપણીની અન્ય ટીમ હાજર હોવાથી મંગળવારે જ માપણી કરાવવાનો તેમણે આગ્રહ કર્યો હતો, પરંતુ તમામ 5 ટીમો હાજર રહે તો જ માપણી થઈ શકે. જેથી માપણીની કાર્યવાહી હાલ પુરતી ટાળવામાં આવી હતી. જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Intro:વડોદરા....કલેક્ટરનો આદેશ છતાં વિવાદી અગોરા મોલના બાંધકામની જમીન માપણી માં મુદત પડતા કાઉન્સિલર અમીરાવત અને કોંગ્રેસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.



Body:કારેલીબાગ મંગલપાડે રોડ પર અઘોરા મોલના બાંધકામ થકી બિલ્ડરે વિશ્વામિત્રી નદીમાં પુરાણ ક્યું છે.તેવો કોર્પોરેટર અમી રાવતના આક્ષેપ બાદ જિલ્લા કલેકટરે પાંચ અલગ અલગ વિભાગોને સાથે રાખીને અહી માપણી કરવાના આદેશ જારી કર્યા હતાં . જે બાદ આજે તેની માપણી થશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.આજે સવારે માપણી કરવા માટેની વિવિધ ટીમો આવી પહોંચી હતી.Conclusion:તેમજ અહી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.આ વચ્ચે મામલતદાર અન્ય કામમાં વ્યસ્ત હોવાથી આવી શકશે.નહીં તેવો સંદેશો મોકલાવ્યો હતો.જેથી માપણીની કાર્યવાહી મુલત્વી રહી હતી.આ દરમિયાન અમી રાવત અને હાજર અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓએ મામલતદાર સામે ભ્રષ્ટાચાર અને અઘોરા મોલના બિલ્ડરને બચાવવા પોતે ગેરહાજર રહ્યો હોવાનો આક્ષેપર્યો હતો.જમીન માપણીની અન્ય ટીમ હાજર હોવાથી આજે જ માપણી કરાવવાનો તેમણે આગ્રહ ર્યો હતો.ત્યારે તમામ પાંચ ટીમો હાજર રહે તો જ માપણી થઈ શકે તેથી માપણીની કાર્યવાહી ટળતા કોંગ્રેસના કાર્યક્તઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું કોંગ્રેસના કાર્યક્તઓ આ મામલે જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરનાર હોવાનું જાણવા મળ્યું હતું.


બાઈટ: નરેન્દ્ર રાવત
સેનેટ સભ્ય અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી


બાઈટ: જે ડી ચૌહાણ માપણી અધિકારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.