ETV Bharat / city

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા, ધોરણ 8ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ માટે બોલાવ્યાં

author img

By

Published : Jul 30, 2021, 9:17 AM IST

સુરત શહેરમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલી સંસ્કાર જ્ઞાન તીર્થ સ્કૂલમાં રાજ્ય સરકારની કોરોના ગાઇડ લાઈનના ધજાગરા ઉડાવવામાં આવ્યાં હતા. રાજ્ય સરકાર દ્વારા હજુ ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, સંસ્કાર જ્ઞાન તીર્થ સ્કૂલ દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણ માટે બોલાવ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા
સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા

  • સંસ્કાર તીર્થ જ્ઞાન સ્કૂલ દ્વારા કોરોના ગાઈડ લાઈનનો ભંગ
  • ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણમાટે બોલાવ્યાં
  • રાજ્ય સરકારે હજુ સુધી ફક્ત ધોરણ 9 થી 12 માટે જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપી છે

સુરત: શહેરના મોટા વિસ્તારમાં આવેલી સંસ્કાર તીર્થ જ્ઞાન સ્કૂલમાં રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા હોય વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સંસ્કાર જ્ઞાન શાળા દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવવામાં આવી રહ્યો છે તેવું જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આદેશ મુજબ હજી સુધી રાજ્યમાં ફક્ત ધોરણ-9 થી 12ની શાળાઓમાં તમામ પ્રકારના કોવીડ-19ના SOP સાથે ખોલવાની પરમીશન આપવામાં આવી છે. પરંતુ સુરત શહેરમાં મોટા વિસ્તારમાં આવેલી સંસ્કાર જ્ઞાન સ્કૂલને રાજ્ય સરકારના આ નિયમ લાગુ પડતો નથી એમ લાગી રહ્યું છે. સ્કૂલ દ્વારા ધોરણ-8ના વિદ્યાર્થીઓને પણ બોલવી રાજ્ય સરકારના નિયમના ધજાગરા ઉડાડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શાળામાં પ્રિન્સિપલ, શિક્ષકો, સંચાલક તેમજ કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. જો આવામાં કોઈ વિદ્યાર્થી કે કોઈ સ્કૂલ સંચાલકને તથા શિક્ષકને કોરોના થાય તો તેની જવાબદારી કોની રહેશે.

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા
સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા

એક વર્ગ ખંડમાં 50 ટકાની સામે 100 ટકા વિદ્યાર્થીઓ

રાજ્યમાં હાલ ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે, પરંતુ તેમાં ધોરણ-8નો સમાવેશ કરાયો નથી. પરંતુ સુરતની આ સ્કૂલ દ્વાર ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણ આપવામા આવી રહ્યુ હતું ત્યારે આ વાતની જાણ જ્યારે એક જાગૃત નાગરિકને ખબર પડી ત્યારે આ નાગરિક દ્વારા પ્રિન્સીપલ જોડે આ બાબત વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી. સ્કૂલમાં ધોરણ-8ના વર્ગ ખંડમાં 100 ટકા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા હતા. તેમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા શિક્ષિકા પોતે પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે.

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા
સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા

આ પણ વાંચો: રાજ્યમાં ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, જાણો આ અંગે શું કહે છે રાજકોટના વાલીઓ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દુર કરવા માટે સ્કૂલમાં બોલાવ્યો હોવાનો દાવો

આ વીડિયો વાયરલ કરનારા જાગૃત નાગરિક દ્વારા જ્યારે સ્કૂલના પ્રિન્સિપલને પૂછવામાં આવે છે કે, તમે શા માટે ધોરણ-8ના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યુ કે, અમને સ્કૂલે બોલાવવામાં આવે છે. ત્રણ કલાકથી તેમની અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ પુરી થઇ શકતી નથી. તમે કહો છો કે આ તો તેમને તેમનાં રીઝનથી જ બોલવામાં આવ્યાં છે. આતો રાજ્ય સરકારના કોવીડ-19ના નિયમ વિરુદ્ધ છે. ત્યારે સ્કૂલ પ્રિન્સીપલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ધોરણ-8 ચાલુ કરવામાં આવ્યું નથી. તેમને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ સોલ કરવા માટે આવ્યાં છે. અમે લોકો રાજ્ય સરકારના નિયમનો ભંગ નથી કરી રહ્યા. જાગૃત નાગરિક દ્વારા વર્ગખંડ સુધી જઈને વીડિયો લેવામાં આવ્યો હતો ત્યારે સ્કૂલ શિક્ષિકા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, તમે ક્લાસ રૂમ સુધી શું કામ પહોંચી જાવ છો. તમે છો કોણ વિડીયો ઉતારવા વાળા તમારો આ કાર્ડ બતાવો? આવા પ્રશ્નો સ્કૂલની શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે જાગૃત નાગરિક જઈને પૂછે છે કે આ ધોરણ-8 છે. ત્યારે શિક્ષિકા દ્વારા કહેવામાં આવે છે કે હા આ ધોરણ-8નો વર્ગ ખંડ છે.

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા

વિદ્યાર્થીઓની ફીસ લેવા માટે બોલાવવામાં આવ્યાં

સ્કૂલના પટાવાળા તરફથી એમ જાણવા મળ્યું છે કે, ધોરણ 8ના વિદ્યાર્થીઓને ફીસ આપવા માટે બોલવામાં આવ્યા હતા. એટલે કે, જાણી શકાય છે કે સ્કૂલ પ્રિન્સિપલ, શિક્ષિકા તથા સંચાલકો દ્વારા અલગ-અલગ જવાબ આપી આ વાતને દબાવાની કોશિસ કરવામાં આવી રહી છે.

  • સંસ્કાર તીર્થ જ્ઞાન સ્કૂલ દ્વારા કોરોના ગાઈડ લાઈનનો ભંગ
  • ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણમાટે બોલાવ્યાં
  • રાજ્ય સરકારે હજુ સુધી ફક્ત ધોરણ 9 થી 12 માટે જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપી છે

સુરત: શહેરના મોટા વિસ્તારમાં આવેલી સંસ્કાર તીર્થ જ્ઞાન સ્કૂલમાં રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા હોય વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સંસ્કાર જ્ઞાન શાળા દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવવામાં આવી રહ્યો છે તેવું જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આદેશ મુજબ હજી સુધી રાજ્યમાં ફક્ત ધોરણ-9 થી 12ની શાળાઓમાં તમામ પ્રકારના કોવીડ-19ના SOP સાથે ખોલવાની પરમીશન આપવામાં આવી છે. પરંતુ સુરત શહેરમાં મોટા વિસ્તારમાં આવેલી સંસ્કાર જ્ઞાન સ્કૂલને રાજ્ય સરકારના આ નિયમ લાગુ પડતો નથી એમ લાગી રહ્યું છે. સ્કૂલ દ્વારા ધોરણ-8ના વિદ્યાર્થીઓને પણ બોલવી રાજ્ય સરકારના નિયમના ધજાગરા ઉડાડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શાળામાં પ્રિન્સિપલ, શિક્ષકો, સંચાલક તેમજ કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. જો આવામાં કોઈ વિદ્યાર્થી કે કોઈ સ્કૂલ સંચાલકને તથા શિક્ષકને કોરોના થાય તો તેની જવાબદારી કોની રહેશે.

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા
સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા

એક વર્ગ ખંડમાં 50 ટકાની સામે 100 ટકા વિદ્યાર્થીઓ

રાજ્યમાં હાલ ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે, પરંતુ તેમાં ધોરણ-8નો સમાવેશ કરાયો નથી. પરંતુ સુરતની આ સ્કૂલ દ્વાર ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણ આપવામા આવી રહ્યુ હતું ત્યારે આ વાતની જાણ જ્યારે એક જાગૃત નાગરિકને ખબર પડી ત્યારે આ નાગરિક દ્વારા પ્રિન્સીપલ જોડે આ બાબત વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી. સ્કૂલમાં ધોરણ-8ના વર્ગ ખંડમાં 100 ટકા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા હતા. તેમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા શિક્ષિકા પોતે પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે.

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા
સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા

આ પણ વાંચો: રાજ્યમાં ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, જાણો આ અંગે શું કહે છે રાજકોટના વાલીઓ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દુર કરવા માટે સ્કૂલમાં બોલાવ્યો હોવાનો દાવો

આ વીડિયો વાયરલ કરનારા જાગૃત નાગરિક દ્વારા જ્યારે સ્કૂલના પ્રિન્સિપલને પૂછવામાં આવે છે કે, તમે શા માટે ધોરણ-8ના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યુ કે, અમને સ્કૂલે બોલાવવામાં આવે છે. ત્રણ કલાકથી તેમની અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ પુરી થઇ શકતી નથી. તમે કહો છો કે આ તો તેમને તેમનાં રીઝનથી જ બોલવામાં આવ્યાં છે. આતો રાજ્ય સરકારના કોવીડ-19ના નિયમ વિરુદ્ધ છે. ત્યારે સ્કૂલ પ્રિન્સીપલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ધોરણ-8 ચાલુ કરવામાં આવ્યું નથી. તેમને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ સોલ કરવા માટે આવ્યાં છે. અમે લોકો રાજ્ય સરકારના નિયમનો ભંગ નથી કરી રહ્યા. જાગૃત નાગરિક દ્વારા વર્ગખંડ સુધી જઈને વીડિયો લેવામાં આવ્યો હતો ત્યારે સ્કૂલ શિક્ષિકા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, તમે ક્લાસ રૂમ સુધી શું કામ પહોંચી જાવ છો. તમે છો કોણ વિડીયો ઉતારવા વાળા તમારો આ કાર્ડ બતાવો? આવા પ્રશ્નો સ્કૂલની શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે જાગૃત નાગરિક જઈને પૂછે છે કે આ ધોરણ-8 છે. ત્યારે શિક્ષિકા દ્વારા કહેવામાં આવે છે કે હા આ ધોરણ-8નો વર્ગ ખંડ છે.

સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા

વિદ્યાર્થીઓની ફીસ લેવા માટે બોલાવવામાં આવ્યાં

સ્કૂલના પટાવાળા તરફથી એમ જાણવા મળ્યું છે કે, ધોરણ 8ના વિદ્યાર્થીઓને ફીસ આપવા માટે બોલવામાં આવ્યા હતા. એટલે કે, જાણી શકાય છે કે સ્કૂલ પ્રિન્સિપલ, શિક્ષિકા તથા સંચાલકો દ્વારા અલગ-અલગ જવાબ આપી આ વાતને દબાવાની કોશિસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.