સુરતઃ શહેરમાં ઉત્તરપ્રદેશના લાખો લોકો વસવાટ કરે છે. ત્યારે નવાઈની વાત એ છે કે, સુરતથી ઉત્તરપ્રદેશની એક પણ ડાયરેક્ટ ફ્લાઈટ (Surat UP Flight Demand) જ નથી. તો હવે આ અંગે ઉત્તર ભારતીય સભાએ એરપોર્ટ ડિરેક્ટર અને એરલાઈન્સ કંપનીઓના મેનેજરને આવેદનપત્ર (Application form to airport director and airlines) આપ્યું હતું. તેમણે માગ કરી હતી કે, લખનઉ, વારાણસીની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં (Surat UP Flight Demand) આવે.
આ પણ વાંચોઃ Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ
ઉત્તર ભારતીય સભાએ આપ્યું આવેદનપત્ર
ઉત્તર ભારતીય સભાના સુરત શહેર પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને કાર્યકારી પ્રમુખ શાન ખાનની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે સુરતથી લખનઉ, વારાણસીની સીધી ફ્લાઈટ શરૂ કરવા માગ કરી (Surat UP Flight Demand) છે.
ડાયરેક્ટ ફ્લાઈટ ન હોવાથી પ્રવાસીઓને પડે છે અગવડ
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના લાખો લોકો સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસવાટ કરે છે, જેઓ હવાઈ અવરજવર માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કરે છે. દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પ્રદેશના લોકોની વસ્તી લાખોમાં હોવા છતાં સુરત એરપોર્ટથી લખનઉ અને વારાણસીની એક પણ સીધી ફ્લાઈટ (Surat UP Flight Demand) નથી. એટલે ઉત્તરપ્રદેશના પ્રવાસીઓ વાયા ફ્લાઈટ મારફતે પ્રવાસ કરવા મજબૂર છે. આના કારણે તેમને અનેક પ્રકારની અગવડનો સામનો કરવો પડે છે. ઈમરજન્સીની સ્થિતિમાં પણ પ્રવાસીઓને સુરતથી લખનઉ અને વારાણસી પહોંચવામાં 5 કલાકથી 15 કલાકનો સમય લાગે છે. આ સાથે વાયા ફ્લાઈટ્સનું ભાડું (Surat UP Flight Demand) પણ ખૂબ મોંઘું પડે છે.
હજારો શ્રદ્ધાળુઓ અવરજવર કરે છે
આ અંગે ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, સુરતમાં કાપડ, હીરા અને અન્ય ઉદ્યોગો હોવાથી દરરોજ હજારો વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉત્તર પ્રદેશથી સુરત આવે છે. આ ઉપરાંત વારાણસી, અયોધ્યામાં ધાર્મિક સ્થળો છે, જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અવરજવર કરે છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સુરતથી લખનઉ અને વારાણસીની સીધી ફ્લાઈટની સખત (Application form to airport director and airlines) જરૂર છે. એટલે અમે સુરતથી લખનઉ અને વારાણસીની સીધી ફ્લાઈટ્સ શરૂ કરવાની માગ (Surat UP Flight Demand) કરીએ છીએ.