ETV Bharat / city

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે સુરત પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશનની 'જીવન આસ્થા હેલ્પલાઇન'

ધોરણ 10 અને 12ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પરીક્ષાના ભારને લઈ વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓ પરીક્ષાના ભારને લઈ કોઈ ખોટું પગલું ન ભરે આ માટે સુરતમાં જિલ્લા પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશન મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન ચાલે છે. આ હેલ્પલાઇને 2013થી લઇ અત્યાર સુધી ભારતભરના 327 જેટલા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને આત્મહત્યા કરવાથી રોક્યા છે.

author img

By

Published : Feb 4, 2020, 4:58 PM IST

માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન
માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન

સુરત: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને જેટલી ચિંતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છે, એટલી ચિંતા સુરત જિલ્લા પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશન મુંબઈને પણ છે. આ જ કારણ છે કે, બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવથી બચાવા માટે અને પરીક્ષામાં ઉપયોગી બનવા માટે બંને હેલ્પલાઇન શરૂ કરી છે. જીવન આસ્થા નામની આ હેલ્પલાઇન થકી વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇ ચાલતા માનસિક તણાવ અને મૂંઝવણ બાબતે કાઉન્સિલરથી વાતચીત કરી શકે છે. જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શહેર અને જિલ્લાના તમામ શાળાઓ બોર્ડના વિદ્યાર્થીઓને એક મહિના અગાઉ આપી દેવામાં પણ આવ્યા છે. એટલુ જ નહીં પરીક્ષાના હોલ ટિકિટમાં પણ આ હેલ્પ લાઇન નંબર આપવામાં આવે છે. જેથી બાળકો તણાવમાં આવી કોઈ ખોટું પગલું ન ભરે અને બાળકો માટે સંસ્થાએ ટોલ ફ્રી નંબર પર જાહેર કર્યો છે, જેમાં પહેલો નંબર 7304599834, 35, 36 અને 37 પર કૉલ કરી વિદ્યાર્થીઓ માનસિક તણાવથી મુક્તિ મેળવી શકે છે.

માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરી
ગુજરાત ભરમાં માત્ર સુરત અને ગાંધીનગરમાં ચાલતી આ હેલ્પલાઇન નંબરના કારણે અત્યાર સુધી વર્ષ 2013થી લઈ 2019 સુધીમાં 327 જેટલા વિદ્યાર્થીઓ સહિત લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે. એક્સપર્ટ કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હેલ્પલાઇનમાં છેલ્લા એક વર્ષમાં આવનાર કોલમાં બે ગણો વધારો થયો છે. વિદ્યાર્થીઓની આ હેલ્પલાઇનની મદદ લેવાની સંખ્યામાં સતત વધરો થઇ રહ્યો છે.
માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન
માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન
આંકડાકીય નજર કરીએ તો વર્ષ 2018-19માં મિસ કોલ, ડ્રોપ કોલ, રોંગ કોલ, બ્લૅક કોલની સંખ્યા 5421 હતી. જે જાન્યુઆરીથી નવેમ્બર 2019માં 11877 થઈ ગઈ છે. સાથે માહિતી કોલ મેળવવામાં પણ 2 ગણો વધારો થયો છે. વર્ષ 2018-19માં સંખ્યા 4372 હતી. જે જાન્યુઆરીથી નવેમ્બર 2019માં 8744 થઈ છે. બંને વર્ષની સરખામણી કરીએ તો વિદ્યાર્થીઓએ અગાઉ 1,632 કોલ કર્યા હતા. જ્યારે જાન્યુઆરીથી નવેમ્બર 2019 સુધીમાં 3147 વિદ્યાર્થીઓએ કોલ કર્યા છે. વર્ષ 2018ના કુલ કોલ 19144 છે. જ્યારે જાન્યુઆરીથી નવેમ્બર 2019 સુધીના કુલ કોલ 39181 છે.

સુરત: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને જેટલી ચિંતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છે, એટલી ચિંતા સુરત જિલ્લા પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશન મુંબઈને પણ છે. આ જ કારણ છે કે, બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવથી બચાવા માટે અને પરીક્ષામાં ઉપયોગી બનવા માટે બંને હેલ્પલાઇન શરૂ કરી છે. જીવન આસ્થા નામની આ હેલ્પલાઇન થકી વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇ ચાલતા માનસિક તણાવ અને મૂંઝવણ બાબતે કાઉન્સિલરથી વાતચીત કરી શકે છે. જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શહેર અને જિલ્લાના તમામ શાળાઓ બોર્ડના વિદ્યાર્થીઓને એક મહિના અગાઉ આપી દેવામાં પણ આવ્યા છે. એટલુ જ નહીં પરીક્ષાના હોલ ટિકિટમાં પણ આ હેલ્પ લાઇન નંબર આપવામાં આવે છે. જેથી બાળકો તણાવમાં આવી કોઈ ખોટું પગલું ન ભરે અને બાળકો માટે સંસ્થાએ ટોલ ફ્રી નંબર પર જાહેર કર્યો છે, જેમાં પહેલો નંબર 7304599834, 35, 36 અને 37 પર કૉલ કરી વિદ્યાર્થીઓ માનસિક તણાવથી મુક્તિ મેળવી શકે છે.

માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરી
ગુજરાત ભરમાં માત્ર સુરત અને ગાંધીનગરમાં ચાલતી આ હેલ્પલાઇન નંબરના કારણે અત્યાર સુધી વર્ષ 2013થી લઈ 2019 સુધીમાં 327 જેટલા વિદ્યાર્થીઓ સહિત લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે. એક્સપર્ટ કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હેલ્પલાઇનમાં છેલ્લા એક વર્ષમાં આવનાર કોલમાં બે ગણો વધારો થયો છે. વિદ્યાર્થીઓની આ હેલ્પલાઇનની મદદ લેવાની સંખ્યામાં સતત વધરો થઇ રહ્યો છે.
માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન
માનસિક તણાવમાં આવી જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસે મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન
આંકડાકીય નજર કરીએ તો વર્ષ 2018-19માં મિસ કોલ, ડ્રોપ કોલ, રોંગ કોલ, બ્લૅક કોલની સંખ્યા 5421 હતી. જે જાન્યુઆરીથી નવેમ્બર 2019માં 11877 થઈ ગઈ છે. સાથે માહિતી કોલ મેળવવામાં પણ 2 ગણો વધારો થયો છે. વર્ષ 2018-19માં સંખ્યા 4372 હતી. જે જાન્યુઆરીથી નવેમ્બર 2019માં 8744 થઈ છે. બંને વર્ષની સરખામણી કરીએ તો વિદ્યાર્થીઓએ અગાઉ 1,632 કોલ કર્યા હતા. જ્યારે જાન્યુઆરીથી નવેમ્બર 2019 સુધીમાં 3147 વિદ્યાર્થીઓએ કોલ કર્યા છે. વર્ષ 2018ના કુલ કોલ 19144 છે. જ્યારે જાન્યુઆરીથી નવેમ્બર 2019 સુધીના કુલ કોલ 39181 છે.
Intro:સુરત :ધોરણ 10 અને 12ની પરીક્ષા ને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે પરીક્ષાના ભારને લઈ વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓ પરીક્ષાના ભારને લઈ કોઈ ખોટું પગલું ન ભરે આ માટે સુરત ખાતે સુરત જિલ્લા પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશન મુંબઈ ના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન ચાલે છે.. 2013 થી લઇ અત્યાર સુધી આ હેલ્પલાઈને ભારતભરના 327 જેટલા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને આત્મહત્યા કરવા થી રોક્યા છે..


Body:ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઇને જેટલી ચિંતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છે એટલી ચિંતા સુરત જિલ્લા પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશન મુંબઈ સંસ્થાને પણ છે. આ જ કારણ છે કે બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવથી બચાવા માટે અને પરીક્ષામાં ઉપયોગી બનવા માટે બંને હેલ્પલાઇન શરૂ કરી છે.. જીવન આસ્થા નામની આ હેલ્પલાઇન થકી વિદ્યાર્થીઓ પરીક્ષા ને લઇ ચાલતા માનસિક તણાવ અને મૂંઝવણ બાબતે કાઉન્સિલરથી વાતચીત કરી શકે છે.. જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શહેર અને જિલ્લાના તમામ શાળાઓ બોર્ડના વિદ્યાર્થીઓને એક મહિના અગાઉ આપી દેવામાં પણ આવ્યા છે. એટલુ જ નહીં પરીક્ષાના હોલ ટિકિટમાં પણ આ હેલ્પ લાઇન નંબર આપવામાં આવે છે.. જેથી બાળકો તણાવમાં આવી કોઈ ખોટું પગલું ન ભરે..ટોલ ફ્રી નમ્બર 7304599834, 35, 36 અને 37 પર કૉલ કરી વિદ્યાર્થીઓ માનસિક તણાવ થી મુક્તિ મેળવી શકે છે.

ગુજરાત ભરમાં માત્ર સુરત અને ગાંધીનગરમાં ચાલતી આ હેલ્પલાઇન નંબર ના કારણે અત્યાર સુધી વર્ષ 2013થી લઈ 2019 સુધીમાં 327 જેટલા વિદ્યાર્થીઓ સહિત લોકો નો જીવ બચાવવામાં આવ્યો છે.એક્સપર્ટ કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓ નો તણાવ દૂર કરવામાં આવે છે...અત્રે ઉલ્લેખનીય છે કે હેલ્પ લાઇનમાં છેલ્લા એક વર્ષમાં આવનાર કોલ માં બે ગણો વધારો થયો છે. વિદ્યાર્થીઓની આ હેલ્પલાઇનની મદદ લેવાની સંખ્યા સતત વધતી જઈ રહી છે..

Conclusion:આંકડાકીય નજર કરીએ તો વર્ષ 2018 19 માં મિસ કોલ, ડ્રોપ કોલ, રોંગ કોલ, બ્લૅક કોલ ની સંખ્યા 5421 હતી. જે જાન્યુઆરી થી નવેમ્બર 2019માં 11877 થઈ ગઈ છે.. સાથે માહિતી કોલ મેળવવામાં પણ બે ગણો વધારો થયો છે વર્ષ 2018-19 માં સંખ્યા 4372 હતી. જે જાન્યુઆરી થી નવેમ્બર 2019 માં 8744 થઈ છે.. બંને વર્ષની સરખામણી કરીએ તો વિદ્યાર્થીઓએ અગાઉ 1,632 કોલ કર્યા હતા. જ્યારે જાન્યુઆરી થી નવેમ્બર 2019 સુધીમાં 3147 વિદ્યાર્થીઓએ કોલ કર્યા છે..વર્ષ 2018 ના કુલ કોલ 19144 છે. જ્યારે જાન્યુઆરી થી નવેમ્બર 2019 સુધીના કુલ કોલ 39181 છે.

બાઈટ : ભાર્ગવ પંડ્યા ( સુરત ગ્રામ્ય SP)
બાઈટ : અનિલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.