ETV Bharat / city

સુરતના DCP સરોજકુમારીને 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત

સુરતના DCP સરોજકુમારીને નવી દિલ્હી ખાતે કોરોના કાળમાં પોતાનો વિચાર કર્યા વિના શહેરીજનોને ઉત્તમ કામગીરી કરવા બદલ 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

author img

By

Published : Feb 12, 2021, 4:36 PM IST

Updated : Feb 12, 2021, 7:29 PM IST

સુરત
સુરત
  • કોરોના સમયમાં ઉત્તમ કામગીરી કરવા બદ્દલ આપાયો એવોર્ડ
  • વડોદરાના વૃદ્ધોના માનસિક સ્વાસ્થ્ય માટે લીધા હતા પગલાં
  • સુરત પોલીસ વિભાગે પણ પાઠવ્યા અભિનંદન

સુરત: કોરોના યોદ્ધાઓની અવિરત મહેનત અને જનતાના સાથસહકારથી દેશ કોરોના વાઇરસ સામે સફળતાપૂર્વક મૂકાબલો કરી રહ્યો છે. સતત ઘટી રહેલાં કેસોનાને કારણે કોરોનાના અંતનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના 29મા સ્થાપના દિવસ એટલે 31 જાન્યુઆરીના રોજ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યભરમાંથી એકમાત્ર સુરતના DCP શ્રીમતિ સરોજકુમારીને નવી દિલ્હી ખાતે 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન રતનલાલ કટારિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્માની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યુું હતું. દેશભરમાંથી પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા એમ ત્રણ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દેશભરના ચુનિંદા મહિલા કોવિડ યોદ્ધાઓને સન્માનિત કરાયાં હતાં.

સુરતના DCP સરોજકુમારીને 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત

લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી

IPS સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથોસાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે. વડોદરા શહેર ખાતે તત્કાલિન નાયબ પોલીસ કમિશનરની ફરજ દરમિયાન કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી હતી. હાલ તેમને વડોદરાથી સુરત 06 ઓગસ્ટના રોજ ટ્રાન્સફર થઈ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે 'પોલીસ કિચન' શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમને રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. 'કોમ્યુનિટી પોલીસિંગ' એટલે કે પોલીસ દ્વારા ભાવનાત્મક અભિગમ દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં. તેમની દોરવણી હેઠળ વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી બહેનો જ રસોઈ બનાવતી અને વિવિધ સ્થળોએ જાતે જ ભોજન વિતરણ કરતી. નોકરીનો સમય પૂર્ણ થયાં બાદ પોલીસ બહેનો પોતાના ઘર-પરિવારની જવાબદારી સાચવવાની સાથે વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર ખાતે આવીને પોલીસ કિચનમાં 400થી 500 લોકોનું ભોજન બનાવતાં હતાં.

'સમજ સ્પર્શ' નામનો પ્રોજેક્ટ સોંપ્યો હતો

સરોજકુમારી જેટલી નિષ્ઠાથી પોલીસ અધિકારી તરીકે કામ કરે છે, તેટલી જ નિષ્ઠાથી તેઓ સમાજિક કામો પણ કરે છે. તેમની કાબેલિયતને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે 'સમજ સ્પર્શ' નામનો પ્રોજેક્ટ સોંપ્યો હતો. સમજ સ્પર્શ ટીમ દ્વારા અનલોક જાહેર થયું ત્યાં સુધી સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબ મજુર વર્ગના 800 લોકોને દરરોજ ભોજન વિતરણ કર્યું હતું.

કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત રહે

સરોજકુમારી જણાવે છે કે, 'ગુજરાત પોલીસ દ્વારા મારી ફરજ અને કામગીરીને ધ્યાને લઈને એવોર્ડ માટે મારૂ નામ મોકલવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવીને એટલી જ ખુશી મળે છે જેટલી લોકડાઉન અને કોરોના દરમિયાન જરૂરિયાતમંદોની સેવા કરવામાં મળતી હતી. કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત રહે, કોરોનામુક્ત રહે અને ભયનો માહોલ દૂર થાય એ અમારી પ્રાથમિકતા હતી. આ સાથે ગરીબો અને વંચિતો સુધી ભોજન પહોંચાડવા, શ્રમિકોની હેરફેર અને વરિષ્ઠ નાગરિકોની સેવા કરવાની તક મળી હતી. વડોદરા પોલીસના સહયોગથી ફરજના ભાગરૂપે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવતાં માસ્ક, દવા, ભોજન વગેરે પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં.

'વરિષ્ઠ નિર્ભયમ' સેલ શરૂ કરી એક મોબાઈલ નંબર જાહેર કર્યો

સરોજકુમારીએ વધુમાં જણાવ્યું કે, સિનિયર સિટિઝન્સને મુશ્કેલી ન પડે એ માટે વરિષ્ઠ નિર્ભયમ સેલ (સિનિયર સિટિઝન સેલ) શરૂ કરી એક મોબાઈલ નંબર જાહેર કર્યો અને કોઈ પણ વરિષ્ઠ નાગરિક સીધા આ મોબાઈલ પર કોલ કરીને મદદ મેળવી શકે એવી વ્યવસ્થા કરી હતી. જેમાં આશરે ચાર હજાર વૃદ્ધોને મદદ પૂરી પાડી હતી. જરૂરિયાત ધરાવતા સિનિયર સિટિઝન્સને કરિયાણું, ટિફિન, દવા, મેડિકલ સારવાર પણ આપી. ઘણા સિનિયર સિટિઝન્સ એકલતા અનુભવતા હોય અને કોરોના ભયથી માનસિક રીતે હતાશ થયાં હોય તેમને સાંત્વના અને મદદ માટે એમ. એસ. યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર્સ, કર્મચારીઓ અને કાઉન્સલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી. ખાનગી રિધમ હોસ્પિટલે સેવાયજ્ઞમાં સહકાર આપી શારીરિક સમસ્યા, બિમારીઓની વિનામૂલ્યે સારવાર આપી હતી.

અનેરો આનંદ મળતો હતો

સરોજકુમારીએ કહે છે કે, 'અમુક સિનિયર સિટિઝન્સ એવા પણ હોય છે, જેને મળવાથી એવું લાગે કે જો અમારી ટીમ દ્વારા એકવાર મુલાકાત લેવામાં નહીં આવે તો તેમની માનસિક સ્થિતિ વધુ ખરાબ થશે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો તેવા સિનિયર સિટિઝન્સની દરરોજ મુલાકાત લેવામાં આવતી હતી. 'કમ્યુનિટી પોલિસીંગ'ના અભિગમ દ્વારા સંવેદના સાથે કામ કરવાંમાં અનેરો આનંદ મળતો હતો. એકલવાયું જીવન જીવતા હોય તેવા વરિષ્ઠ નાગરિકોને પરિવારની ખોટ ન સાલે તે માટે પોલીસ સ્ટાફે તેમના આપ્તજનની ભૂમિકા પણ નિભાવી હતી. આ ઉપરાંત, પોલીસ કંટ્રોલ ટીમની રચના કરી વડોદરા પોલીસ કંટ્રોલ રૂમથી ઘણા ગરીબ વર્ગના લોકોની યાદી બનાવી તેમને ફોન કરી અનાજ-કરિયાણું કે શાકભાજી ન હોય, પરિવારના સભ્યો, બાળકો, વૃદ્ધો ભુખ્યા હોવાનું જણાય તો પોલીસ કંટ્રોલ ટીમ દ્વારા એક અઠવાડિયું ચાલી શકે તેટલા અનાજની કીટ તેઓના ઘરે રૂબરૂમાં પહોંચતી કરવામાં આવતી એમ તેમને ઉમેર્યું હતું.

કાર્યક્ષમ બનાવવા સાથે મનોબળ જળવાઈ રહે એ માટે ખાસ પગલા લેવામાં આવ્યાં

તેમને જણાવે છે કે, 'પોલીસ પરિવાર અભિયાન હેઠળ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સહયોગથી પોલીસ કંટ્રોલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા ફરજ પરના પોલીસ જવાનો કે પરિવારજનો કોરોના સંક્રમિત ન થાય તે માટે તમામને સેનિટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ, પી.પી.ઇ. સુટ ફાળવવામાં આવ્યાં હતાં. સમયાંતરે હેલ્થ ચેક અપ, ન્યુટ્રિશનલ ભોજન, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક- હોમિયોપેથીક દવાઓ, વિટામીન સીના પાઉચ, વિટામીન ટેબલેટ આપી તેમને કાર્યક્ષમ બનાવવા સાથે મનોબળ જળવાઈ રહે એ માટે ખાસ પગલા લેવામાં આવ્યાં હોવાનું તેમને જણાવ્યું હતું.

તેમના વિશિષ્ટ બહુમાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં

સુરતમાં પણ ફરજ સાથે તેમણે સેવાપ્રવૃત્તિ જારી રાખી છે. સુરત પોલીસ વિભાગ તેમજ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પણ તેમના વિશિષ્ટ બહુમાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

  • કોરોના સમયમાં ઉત્તમ કામગીરી કરવા બદ્દલ આપાયો એવોર્ડ
  • વડોદરાના વૃદ્ધોના માનસિક સ્વાસ્થ્ય માટે લીધા હતા પગલાં
  • સુરત પોલીસ વિભાગે પણ પાઠવ્યા અભિનંદન

સુરત: કોરોના યોદ્ધાઓની અવિરત મહેનત અને જનતાના સાથસહકારથી દેશ કોરોના વાઇરસ સામે સફળતાપૂર્વક મૂકાબલો કરી રહ્યો છે. સતત ઘટી રહેલાં કેસોનાને કારણે કોરોનાના અંતનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના 29મા સ્થાપના દિવસ એટલે 31 જાન્યુઆરીના રોજ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યભરમાંથી એકમાત્ર સુરતના DCP શ્રીમતિ સરોજકુમારીને નવી દિલ્હી ખાતે 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન રતનલાલ કટારિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્માની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યુું હતું. દેશભરમાંથી પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા એમ ત્રણ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દેશભરના ચુનિંદા મહિલા કોવિડ યોદ્ધાઓને સન્માનિત કરાયાં હતાં.

સુરતના DCP સરોજકુમારીને 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત

લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી

IPS સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથોસાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે. વડોદરા શહેર ખાતે તત્કાલિન નાયબ પોલીસ કમિશનરની ફરજ દરમિયાન કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી હતી. હાલ તેમને વડોદરાથી સુરત 06 ઓગસ્ટના રોજ ટ્રાન્સફર થઈ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે 'પોલીસ કિચન' શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમને રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. 'કોમ્યુનિટી પોલીસિંગ' એટલે કે પોલીસ દ્વારા ભાવનાત્મક અભિગમ દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં. તેમની દોરવણી હેઠળ વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી બહેનો જ રસોઈ બનાવતી અને વિવિધ સ્થળોએ જાતે જ ભોજન વિતરણ કરતી. નોકરીનો સમય પૂર્ણ થયાં બાદ પોલીસ બહેનો પોતાના ઘર-પરિવારની જવાબદારી સાચવવાની સાથે વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર ખાતે આવીને પોલીસ કિચનમાં 400થી 500 લોકોનું ભોજન બનાવતાં હતાં.

'સમજ સ્પર્શ' નામનો પ્રોજેક્ટ સોંપ્યો હતો

સરોજકુમારી જેટલી નિષ્ઠાથી પોલીસ અધિકારી તરીકે કામ કરે છે, તેટલી જ નિષ્ઠાથી તેઓ સમાજિક કામો પણ કરે છે. તેમની કાબેલિયતને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે 'સમજ સ્પર્શ' નામનો પ્રોજેક્ટ સોંપ્યો હતો. સમજ સ્પર્શ ટીમ દ્વારા અનલોક જાહેર થયું ત્યાં સુધી સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબ મજુર વર્ગના 800 લોકોને દરરોજ ભોજન વિતરણ કર્યું હતું.

કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત રહે

સરોજકુમારી જણાવે છે કે, 'ગુજરાત પોલીસ દ્વારા મારી ફરજ અને કામગીરીને ધ્યાને લઈને એવોર્ડ માટે મારૂ નામ મોકલવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવીને એટલી જ ખુશી મળે છે જેટલી લોકડાઉન અને કોરોના દરમિયાન જરૂરિયાતમંદોની સેવા કરવામાં મળતી હતી. કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત રહે, કોરોનામુક્ત રહે અને ભયનો માહોલ દૂર થાય એ અમારી પ્રાથમિકતા હતી. આ સાથે ગરીબો અને વંચિતો સુધી ભોજન પહોંચાડવા, શ્રમિકોની હેરફેર અને વરિષ્ઠ નાગરિકોની સેવા કરવાની તક મળી હતી. વડોદરા પોલીસના સહયોગથી ફરજના ભાગરૂપે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવતાં માસ્ક, દવા, ભોજન વગેરે પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં.

'વરિષ્ઠ નિર્ભયમ' સેલ શરૂ કરી એક મોબાઈલ નંબર જાહેર કર્યો

સરોજકુમારીએ વધુમાં જણાવ્યું કે, સિનિયર સિટિઝન્સને મુશ્કેલી ન પડે એ માટે વરિષ્ઠ નિર્ભયમ સેલ (સિનિયર સિટિઝન સેલ) શરૂ કરી એક મોબાઈલ નંબર જાહેર કર્યો અને કોઈ પણ વરિષ્ઠ નાગરિક સીધા આ મોબાઈલ પર કોલ કરીને મદદ મેળવી શકે એવી વ્યવસ્થા કરી હતી. જેમાં આશરે ચાર હજાર વૃદ્ધોને મદદ પૂરી પાડી હતી. જરૂરિયાત ધરાવતા સિનિયર સિટિઝન્સને કરિયાણું, ટિફિન, દવા, મેડિકલ સારવાર પણ આપી. ઘણા સિનિયર સિટિઝન્સ એકલતા અનુભવતા હોય અને કોરોના ભયથી માનસિક રીતે હતાશ થયાં હોય તેમને સાંત્વના અને મદદ માટે એમ. એસ. યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર્સ, કર્મચારીઓ અને કાઉન્સલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી. ખાનગી રિધમ હોસ્પિટલે સેવાયજ્ઞમાં સહકાર આપી શારીરિક સમસ્યા, બિમારીઓની વિનામૂલ્યે સારવાર આપી હતી.

અનેરો આનંદ મળતો હતો

સરોજકુમારીએ કહે છે કે, 'અમુક સિનિયર સિટિઝન્સ એવા પણ હોય છે, જેને મળવાથી એવું લાગે કે જો અમારી ટીમ દ્વારા એકવાર મુલાકાત લેવામાં નહીં આવે તો તેમની માનસિક સ્થિતિ વધુ ખરાબ થશે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો તેવા સિનિયર સિટિઝન્સની દરરોજ મુલાકાત લેવામાં આવતી હતી. 'કમ્યુનિટી પોલિસીંગ'ના અભિગમ દ્વારા સંવેદના સાથે કામ કરવાંમાં અનેરો આનંદ મળતો હતો. એકલવાયું જીવન જીવતા હોય તેવા વરિષ્ઠ નાગરિકોને પરિવારની ખોટ ન સાલે તે માટે પોલીસ સ્ટાફે તેમના આપ્તજનની ભૂમિકા પણ નિભાવી હતી. આ ઉપરાંત, પોલીસ કંટ્રોલ ટીમની રચના કરી વડોદરા પોલીસ કંટ્રોલ રૂમથી ઘણા ગરીબ વર્ગના લોકોની યાદી બનાવી તેમને ફોન કરી અનાજ-કરિયાણું કે શાકભાજી ન હોય, પરિવારના સભ્યો, બાળકો, વૃદ્ધો ભુખ્યા હોવાનું જણાય તો પોલીસ કંટ્રોલ ટીમ દ્વારા એક અઠવાડિયું ચાલી શકે તેટલા અનાજની કીટ તેઓના ઘરે રૂબરૂમાં પહોંચતી કરવામાં આવતી એમ તેમને ઉમેર્યું હતું.

કાર્યક્ષમ બનાવવા સાથે મનોબળ જળવાઈ રહે એ માટે ખાસ પગલા લેવામાં આવ્યાં

તેમને જણાવે છે કે, 'પોલીસ પરિવાર અભિયાન હેઠળ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સહયોગથી પોલીસ કંટ્રોલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા ફરજ પરના પોલીસ જવાનો કે પરિવારજનો કોરોના સંક્રમિત ન થાય તે માટે તમામને સેનિટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ, પી.પી.ઇ. સુટ ફાળવવામાં આવ્યાં હતાં. સમયાંતરે હેલ્થ ચેક અપ, ન્યુટ્રિશનલ ભોજન, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક- હોમિયોપેથીક દવાઓ, વિટામીન સીના પાઉચ, વિટામીન ટેબલેટ આપી તેમને કાર્યક્ષમ બનાવવા સાથે મનોબળ જળવાઈ રહે એ માટે ખાસ પગલા લેવામાં આવ્યાં હોવાનું તેમને જણાવ્યું હતું.

તેમના વિશિષ્ટ બહુમાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં

સુરતમાં પણ ફરજ સાથે તેમણે સેવાપ્રવૃત્તિ જારી રાખી છે. સુરત પોલીસ વિભાગ તેમજ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પણ તેમના વિશિષ્ટ બહુમાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

Last Updated : Feb 12, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.