ETV Bharat / city

સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સુરત શહેરની બહારના

author img

By

Published : May 15, 2021, 1:09 PM IST

સુરત શહેરમાં કોરોનાના આંતક બાદ વર્ષો જૂની બિમારીએ આંતક મચાવ્યો છે. મ્યુકોરમાઇકોસિસની સારવાર શહેરના બંન્ને સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. સારવાર લઈ રહેલા 15 ટકા લોકો રાજ્ય બહારના છે.

surat
સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સુરત શહેરની બહારના

  • સુરતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો આંતક
  • બંન્ને સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે સારવાર
  • 15 ટકા લોકો રાજ્ય બહારના

સુરત : શહેરમાં કોરોના વાઇરસ પછી મ્યુકોરમાઇકોસિસનો આતંક ચાલુ થયો છે. જિલ્લાની બંને સરકારી હોસ્પિટલ નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ નવા 16 કેસો નોંધાયા છે. બંને હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના 14 ઓપરેશન કરાવ્યા છે હાલ બંને હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ 83 કેસો આવી ચૂક્યા છે સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ દર્દીઓ સુરત શહેરની બહારના છે જેમાંથી 15 ટકાથી અન્ય રાજ્યોના દર્દી છે.


વર્ષે જૂની બિમારી ફરી આવી

શહેરમાં કોરોનાનું જોર ઘટી રહ્યું છે પણ વર્ષો જૂની મ્યુકોરમાઇકોસિસની બિમારી મજબૂત બનીને શહેરમાં પ્રવેશ કરી ગઈ છે. કોરોના કરતાં પણ મ્યુકોરમાઇકોસિસ બિમારી ખૂબ ગંભીર સાબિત થઇ રહી છે. શહેરમાં અત્યાર સુધી સુધીમાં કુલ 83 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં આવી ચૂક્યા છે .સિવિલ હોસ્પિટલમાં 12 નવા કેસો સાથે મ્યુકોરમાઇકોસિસ 57 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં 7 દર્દીઓના ઓપરેશન પણ કરાયા છે જ્યારે બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં 03 નવા કેસ આવતા કુલ 29 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને બે દર્દીઓના ઓપરેશન કરાયા હતા.

સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સુરત શહેરની બહારના

આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો પગપેસારો, જિલ્લામાં સારવાર જ ઉપલબ્ધ નથી


અન્ય રાજ્યોના 15 ટકા દર્દીઓ

આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે શહેરમાં હાલ સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં 50 થી 60 ટકા જેટલા દર્દીઓ સુરત શહેરની બહારના છે. સારવાર લઈ રહેલા 10 ટકા સુરત જિલ્લાની બહારના અને અન્ય રાજ્યોના 15 ટકા દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે ઈન્જેકશનની અછત સરકારી હોસ્પિટલમા ન હોવાના કારણે 10થી વધુ ઓપરેશનના થઈ ચૂક્યા છે.

  • સુરતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો આંતક
  • બંન્ને સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે સારવાર
  • 15 ટકા લોકો રાજ્ય બહારના

સુરત : શહેરમાં કોરોના વાઇરસ પછી મ્યુકોરમાઇકોસિસનો આતંક ચાલુ થયો છે. જિલ્લાની બંને સરકારી હોસ્પિટલ નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ નવા 16 કેસો નોંધાયા છે. બંને હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના 14 ઓપરેશન કરાવ્યા છે હાલ બંને હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ 83 કેસો આવી ચૂક્યા છે સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ દર્દીઓ સુરત શહેરની બહારના છે જેમાંથી 15 ટકાથી અન્ય રાજ્યોના દર્દી છે.


વર્ષે જૂની બિમારી ફરી આવી

શહેરમાં કોરોનાનું જોર ઘટી રહ્યું છે પણ વર્ષો જૂની મ્યુકોરમાઇકોસિસની બિમારી મજબૂત બનીને શહેરમાં પ્રવેશ કરી ગઈ છે. કોરોના કરતાં પણ મ્યુકોરમાઇકોસિસ બિમારી ખૂબ ગંભીર સાબિત થઇ રહી છે. શહેરમાં અત્યાર સુધી સુધીમાં કુલ 83 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં આવી ચૂક્યા છે .સિવિલ હોસ્પિટલમાં 12 નવા કેસો સાથે મ્યુકોરમાઇકોસિસ 57 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં 7 દર્દીઓના ઓપરેશન પણ કરાયા છે જ્યારે બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં 03 નવા કેસ આવતા કુલ 29 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને બે દર્દીઓના ઓપરેશન કરાયા હતા.

સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સુરત શહેરની બહારના

આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો પગપેસારો, જિલ્લામાં સારવાર જ ઉપલબ્ધ નથી


અન્ય રાજ્યોના 15 ટકા દર્દીઓ

આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે શહેરમાં હાલ સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં 50 થી 60 ટકા જેટલા દર્દીઓ સુરત શહેરની બહારના છે. સારવાર લઈ રહેલા 10 ટકા સુરત જિલ્લાની બહારના અને અન્ય રાજ્યોના 15 ટકા દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે ઈન્જેકશનની અછત સરકારી હોસ્પિટલમા ન હોવાના કારણે 10થી વધુ ઓપરેશનના થઈ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.