ETV Bharat / city

Gujarat Assembly Election 2022: ભાજપ માટે સલામત આ બેઠક પર આ વખતે પાટીદારો ફરક પાડશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો સુરતની કતારગામ વિધાનસભા બેઠક (Katargam Assembly Seat ) વિશે.

author img

By

Published : May 24, 2022, 6:01 AM IST

Updated : May 24, 2022, 11:57 AM IST

Gujarat Assembly Election 2022: ભાજપ માટે સલામત આ બેઠક પર આ વખતે પાટીદારો ફરક પાડશે?
Gujarat Assembly Election 2022: ભાજપ માટે સલામત આ બેઠક પર આ વખતે પાટીદારો ફરક પાડશે?

સુરત : ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ સામે સત્તા બચાવવાનો પડકાર છે, તેથી કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં પોતાનું ખોવાયેલું મેદાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે અમે તમને ગુજરાતના સુરત શહેરની કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનો ઈતિહાસ શું હતો, અત્યાર સુધી કોનો કબજો રહ્યો છે અને આ વખતે ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ પ્રભુત્વ જમાવવાના છે.

મોટાભાગની મધ્યમવર્ગની વસતી
મોટાભાગની મધ્યમવર્ગની વસતી

કતારગામ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - 2008માં ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારના નવા સીમાંકન પછી સુરતની કતારગામ વિધાનસભાનું (Katargam Assembly Seat )અસ્તિત્વ પણ આવ્યું. આ વિસ્તાર સુરતના 84 વિધાનસભા મત વિસ્તારનો ભાગ હતો. નવી વિધાનસભાની રચના બાદ ભાજપે અહીંથી જીતીને ગુજરાત વિધાનસભામાં પહોંચેલા નાનુભાઈ વાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નાનુ વાનાણીની ટિકિટ કાપીને વિનોદ મોરડિયાને ધારાસભ્ય બનવાની તક આપી અને પહેલીવાર ધારાસભ્ય બનેલા વિનોદ મોરડિયાને ગુજરાત સરકારના મંત્રાલયમાં સ્થાન મળ્યું. હાલમાં તેઓ શહેરી વિકાસ રાજ્યપ્રધાન છે. એકંદરે કતારગામ મત વિસ્તારની (Assembly seat of Katargam ) રાજકીય પૃષ્ઠભૂમિ ભાજપની તરફેણમાં રહી છે. હવે જોવાનું એ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ આ સીટ પરથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે.

ભાજપ આ બેઠક પર આસાનીથી જીતે છે
ભાજપ આ બેઠક પર આસાનીથી જીતે છે

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

અત્યારસુધીની ચૂંટણીના પરિણામ- 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં (Katargam Assembly Seat )ભાજપે સરળતાથી જીત મેળવી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્ય વિનોદ મોરડિયા પણ 2005 થી 2020 સુધી ભાજપના કાઉન્સિલર રહી ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં લગભગ તમામ વિકાસ કાર્યો કર્યા છે. આવી સ્થિતિમાં કતારગામ વિધાનસભાની ચૂંટણી માટે ઠોસ મુદ્દા બચ્યાં નથી. જેથી 2022માં ચૂંટણીની સ્થિતિ ભાજપ માટે સરળ બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં આ બેઠક પરથી વિજય મેળવનાર નાનુ વાનાણી અને વર્ષ 2017માં (Gujarat Assembly Election 2017) વિજયી થનાર વિનોદ મોરડિયા બંનેએ સરકારમાં પ્રધાન પદ મેળવ્યા છે. 2017ની ચૂંટણીમાં કોગ્રેસે જિગ્નેશ મેવાસાને (Jigneh Mevasa Seat) મેદાનમાં ઊતાર્યાં હતાં.

કતારગામ બેઠક પર રાજ્ય અને કેન્દ્ર બંનેમાં પ્રધાન પદ
કતારગામ બેઠક પર રાજ્ય અને કેન્દ્ર બંનેમાં પ્રધાન પદ

કતારગામ વિધાનસભાની ખાસિયતો- 2008માં ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન બાદ રચાયેલ કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )મતવિસ્તાર સુરત લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. હાલમાં દર્શનાબેન જરદોશ (Darshna Jardosh Seat ) સુરત લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના સાંસદ છે અને તેઓ કેન્દ્ર સરકારમાં ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય પ્રધાન પણ છે. આ સેક્ટરનો મુખ્ય બિઝનેસ ડાયમંડ અને ટેક્સટાઈલ છે.પરંતુ મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો રહે છે, જેઓ અત્યાર સુધી ભાજપના સમર્થક સાબિત થયા છે. આ વિસ્તારમાં કાપડની લૂમની સાથે કાપડની મિલો અને હીરાના નાના કારખાનાઓ પણ છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રમિકો પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારો નક્કી કરે છે ઉમેદવારોનું ભાવિ

કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદાર ફેક્ટર- પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )ક્ષેત્રમાં રહે છે, જે પાટીદાર મુખ્યત્વે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. આ ઉપરાંત પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ આ વિધાનસભા વિસ્તારમાં છે. સાથે જ દલિત વર્ગ પણ મોટી સંખ્યામાં વસે છે. આવી સ્થિતિમાં ભાજપે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજના નાનુભાઈ વાનાણી અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવતા પાટીદાર સમાજના વિનોદ મોરડિયાને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે કોંગ્રેસમાં 2012માં પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ અને 2017ની ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં.પરંતુ બંને વખત કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપનો વિજય થયો હતો.

આ બેઠક પર કોઇ મોટી સમસ્યાઓ નથી
આ બેઠક પર કોઇ મોટી સમસ્યાઓ નથી

કતારગામ વિધાનસભા બેઠક પર માગણીના મુદ્દા- ચૂંટણીના મુદ્દાઓની વાત કરીએ તો કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )વિસ્તારમાં સુરત મહાનગરપાલિકામાંથી લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. પછી ભલે તે રોડ, પાણી અને વીજળી હોય. અહીં કોઈ આવી સમસ્યા નથી. અહીં પ્રાચીન કાંતારેશ્વર મંદિર છે જ્યારે હેરિટેજમાં શ્રેણી પ્રાપ્ત કરનાર ડચ કબ્રસ્તાન પણ છે જેનો વિકાસ કરી શકાય છે. ત્યારે કહી શકાય કે ભાજપ માટે આ બેઠક પરની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવી સરળ રહી શકે છે.

સુરત : ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ સામે સત્તા બચાવવાનો પડકાર છે, તેથી કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં પોતાનું ખોવાયેલું મેદાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે અમે તમને ગુજરાતના સુરત શહેરની કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનો ઈતિહાસ શું હતો, અત્યાર સુધી કોનો કબજો રહ્યો છે અને આ વખતે ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ પ્રભુત્વ જમાવવાના છે.

મોટાભાગની મધ્યમવર્ગની વસતી
મોટાભાગની મધ્યમવર્ગની વસતી

કતારગામ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - 2008માં ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારના નવા સીમાંકન પછી સુરતની કતારગામ વિધાનસભાનું (Katargam Assembly Seat )અસ્તિત્વ પણ આવ્યું. આ વિસ્તાર સુરતના 84 વિધાનસભા મત વિસ્તારનો ભાગ હતો. નવી વિધાનસભાની રચના બાદ ભાજપે અહીંથી જીતીને ગુજરાત વિધાનસભામાં પહોંચેલા નાનુભાઈ વાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નાનુ વાનાણીની ટિકિટ કાપીને વિનોદ મોરડિયાને ધારાસભ્ય બનવાની તક આપી અને પહેલીવાર ધારાસભ્ય બનેલા વિનોદ મોરડિયાને ગુજરાત સરકારના મંત્રાલયમાં સ્થાન મળ્યું. હાલમાં તેઓ શહેરી વિકાસ રાજ્યપ્રધાન છે. એકંદરે કતારગામ મત વિસ્તારની (Assembly seat of Katargam ) રાજકીય પૃષ્ઠભૂમિ ભાજપની તરફેણમાં રહી છે. હવે જોવાનું એ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ આ સીટ પરથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે.

ભાજપ આ બેઠક પર આસાનીથી જીતે છે
ભાજપ આ બેઠક પર આસાનીથી જીતે છે

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

અત્યારસુધીની ચૂંટણીના પરિણામ- 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં (Katargam Assembly Seat )ભાજપે સરળતાથી જીત મેળવી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્ય વિનોદ મોરડિયા પણ 2005 થી 2020 સુધી ભાજપના કાઉન્સિલર રહી ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં લગભગ તમામ વિકાસ કાર્યો કર્યા છે. આવી સ્થિતિમાં કતારગામ વિધાનસભાની ચૂંટણી માટે ઠોસ મુદ્દા બચ્યાં નથી. જેથી 2022માં ચૂંટણીની સ્થિતિ ભાજપ માટે સરળ બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં આ બેઠક પરથી વિજય મેળવનાર નાનુ વાનાણી અને વર્ષ 2017માં (Gujarat Assembly Election 2017) વિજયી થનાર વિનોદ મોરડિયા બંનેએ સરકારમાં પ્રધાન પદ મેળવ્યા છે. 2017ની ચૂંટણીમાં કોગ્રેસે જિગ્નેશ મેવાસાને (Jigneh Mevasa Seat) મેદાનમાં ઊતાર્યાં હતાં.

કતારગામ બેઠક પર રાજ્ય અને કેન્દ્ર બંનેમાં પ્રધાન પદ
કતારગામ બેઠક પર રાજ્ય અને કેન્દ્ર બંનેમાં પ્રધાન પદ

કતારગામ વિધાનસભાની ખાસિયતો- 2008માં ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન બાદ રચાયેલ કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )મતવિસ્તાર સુરત લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. હાલમાં દર્શનાબેન જરદોશ (Darshna Jardosh Seat ) સુરત લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના સાંસદ છે અને તેઓ કેન્દ્ર સરકારમાં ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય પ્રધાન પણ છે. આ સેક્ટરનો મુખ્ય બિઝનેસ ડાયમંડ અને ટેક્સટાઈલ છે.પરંતુ મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો રહે છે, જેઓ અત્યાર સુધી ભાજપના સમર્થક સાબિત થયા છે. આ વિસ્તારમાં કાપડની લૂમની સાથે કાપડની મિલો અને હીરાના નાના કારખાનાઓ પણ છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રમિકો પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારો નક્કી કરે છે ઉમેદવારોનું ભાવિ

કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદાર ફેક્ટર- પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )ક્ષેત્રમાં રહે છે, જે પાટીદાર મુખ્યત્વે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. આ ઉપરાંત પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ આ વિધાનસભા વિસ્તારમાં છે. સાથે જ દલિત વર્ગ પણ મોટી સંખ્યામાં વસે છે. આવી સ્થિતિમાં ભાજપે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજના નાનુભાઈ વાનાણી અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવતા પાટીદાર સમાજના વિનોદ મોરડિયાને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે કોંગ્રેસમાં 2012માં પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ અને 2017ની ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં.પરંતુ બંને વખત કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપનો વિજય થયો હતો.

આ બેઠક પર કોઇ મોટી સમસ્યાઓ નથી
આ બેઠક પર કોઇ મોટી સમસ્યાઓ નથી

કતારગામ વિધાનસભા બેઠક પર માગણીના મુદ્દા- ચૂંટણીના મુદ્દાઓની વાત કરીએ તો કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )વિસ્તારમાં સુરત મહાનગરપાલિકામાંથી લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. પછી ભલે તે રોડ, પાણી અને વીજળી હોય. અહીં કોઈ આવી સમસ્યા નથી. અહીં પ્રાચીન કાંતારેશ્વર મંદિર છે જ્યારે હેરિટેજમાં શ્રેણી પ્રાપ્ત કરનાર ડચ કબ્રસ્તાન પણ છે જેનો વિકાસ કરી શકાય છે. ત્યારે કહી શકાય કે ભાજપ માટે આ બેઠક પરની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવી સરળ રહી શકે છે.

Last Updated : May 24, 2022, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.