ETV Bharat / city

સુરતમાં વધતા કોરોના સંક્રમણને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ

author img

By

Published : Jul 29, 2020, 5:54 PM IST

ગરબા આયોજક દ્વારા એક તરફ 30 ટકા ખેલૈયાઓ સાથે ગરબાનું આયોજન થવા દેવા માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ વિવિધ ખૈલેયાઓ ગરબાના આયોજન રદ્દ કરવામાં આવે તેમજ શેરીઓમાં અર્વાચીન ગરબા રમવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી કરી રહ્યા છે.

surat
ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ડરનો માહોલ
  • આ વર્ષે આર્થિક નુકસાન ચલાવી લઈશુ પરંતુ ગરબા આવતા વર્ષે રમાડી લઈશુ : ગરબા આયોજક
  • આ વર્ષે જીવતા રહીશું તો આવતા વર્ષે ગરબા વધુ જોશથી રમી શકીશું : ખેલૈયા
  • મન કહે છે ગરબાનું આયોજન થવું જોઈએ, મગજ કહે છે આ વર્ષે ગરબા ન રમવા જોઈએ : ગરબા ક્લાસ સંચાલક

સુરતઃ જિલ્લા અને શહેરમાં એક તરફ કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે બીજી તરફ આયોજકો દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે કે, આ વર્ષે 30 ટકા ખૈલેયાઓ સાથે નવરાત્રી પર ગરબાના આયોજનની મંજૂરી માગવામાં આવી છે. ત્યારે ઓરકેસ્ટ્રા, ખૈલાયા તથા આયોજકો અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે. જો કે અનેક લોકો માની રહ્યા છે માર્ચ મહિનાથી સંપૂર્ણ ધંધા બંધ છે. સાથોસાથ લગ્ન સિઝન પણ નબળી કમાણીમાં ગઇ છે. ત્યારે આ વર્ષે નાની નવરાત્રીના આયોજનની જો પરવાનગી આપવામા આવે તો લાઇટ, સાઉન્ડ તથા અન્ય કારીગરોને રોજીરોટી મળી રહેશે. જો નવરાત્રીની પરવાનગી આપવામાં નહી આવે તો કદાચ નાના માણસે મરવાનો વારો આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.

ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ડરનો માહોલ

મોટેભાગે ગરબા રસિક ખૈલેયાઓ આ વર્ષે કોરોના વાઇરસને કારણે નવરાત્રીનું આયોજન ન કરવાનું જણાવી રહ્યા છે તો બીજી તરફ જુની પરંપરા મુજબ સોસાયટીમાં અર્વાચીન ગરબાના આયોજનને મંજુરી આપવા માંગ કરી છે. ગ્રીષ્માબેને જણાવ્યું કે, જો મંજુરી નહી આપવામાં આવે તો ગતવર્ષના ગરબા જોઇ તેઓ દસ દિવસ કાઢી લેશે. આ વર્ષે જીવતા રહીશું તો આવતા વર્ષે ગરબા વધુ જોશથી રમી શકીશું.

આ સિવાય આયોજક ડેની પોતે મુખ્યપ્રધાનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે તેઓનું વ્યક્તિગત માનવુ છે કે, આ વર્ષે નવરાત્રીનું આયોજન ન થવું જોઇએ. ગરબા તો આવતા વર્ષે પણ રમાડી લઇશું, માનવતા પહેલા રાખવી જોઇએ. જો ગરબાનું આયોજન થશે તો ફરી કોરોનાના કેસ વધવાની શકયતા તેઓએ વ્યકત કરી હતી. રાજય સરકાર દ્વારા જે નિર્ણય લેવાય તેને આવકારવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

  • આ વર્ષે આર્થિક નુકસાન ચલાવી લઈશુ પરંતુ ગરબા આવતા વર્ષે રમાડી લઈશુ : ગરબા આયોજક
  • આ વર્ષે જીવતા રહીશું તો આવતા વર્ષે ગરબા વધુ જોશથી રમી શકીશું : ખેલૈયા
  • મન કહે છે ગરબાનું આયોજન થવું જોઈએ, મગજ કહે છે આ વર્ષે ગરબા ન રમવા જોઈએ : ગરબા ક્લાસ સંચાલક

સુરતઃ જિલ્લા અને શહેરમાં એક તરફ કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે બીજી તરફ આયોજકો દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે કે, આ વર્ષે 30 ટકા ખૈલેયાઓ સાથે નવરાત્રી પર ગરબાના આયોજનની મંજૂરી માગવામાં આવી છે. ત્યારે ઓરકેસ્ટ્રા, ખૈલાયા તથા આયોજકો અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે. જો કે અનેક લોકો માની રહ્યા છે માર્ચ મહિનાથી સંપૂર્ણ ધંધા બંધ છે. સાથોસાથ લગ્ન સિઝન પણ નબળી કમાણીમાં ગઇ છે. ત્યારે આ વર્ષે નાની નવરાત્રીના આયોજનની જો પરવાનગી આપવામા આવે તો લાઇટ, સાઉન્ડ તથા અન્ય કારીગરોને રોજીરોટી મળી રહેશે. જો નવરાત્રીની પરવાનગી આપવામાં નહી આવે તો કદાચ નાના માણસે મરવાનો વારો આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.

ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ડરનો માહોલ

મોટેભાગે ગરબા રસિક ખૈલેયાઓ આ વર્ષે કોરોના વાઇરસને કારણે નવરાત્રીનું આયોજન ન કરવાનું જણાવી રહ્યા છે તો બીજી તરફ જુની પરંપરા મુજબ સોસાયટીમાં અર્વાચીન ગરબાના આયોજનને મંજુરી આપવા માંગ કરી છે. ગ્રીષ્માબેને જણાવ્યું કે, જો મંજુરી નહી આપવામાં આવે તો ગતવર્ષના ગરબા જોઇ તેઓ દસ દિવસ કાઢી લેશે. આ વર્ષે જીવતા રહીશું તો આવતા વર્ષે ગરબા વધુ જોશથી રમી શકીશું.

આ સિવાય આયોજક ડેની પોતે મુખ્યપ્રધાનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે તેઓનું વ્યક્તિગત માનવુ છે કે, આ વર્ષે નવરાત્રીનું આયોજન ન થવું જોઇએ. ગરબા તો આવતા વર્ષે પણ રમાડી લઇશું, માનવતા પહેલા રાખવી જોઇએ. જો ગરબાનું આયોજન થશે તો ફરી કોરોનાના કેસ વધવાની શકયતા તેઓએ વ્યકત કરી હતી. રાજય સરકાર દ્વારા જે નિર્ણય લેવાય તેને આવકારવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.