ETV Bharat / city

કોરોનાથી મૃત્યુ પામનારા અને આત્મહત્યા કરનારા રત્નકલાકારોની વ્હારે આવ્યા અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ

author img

By

Published : Aug 24, 2020, 4:12 PM IST

કોરોનાના કહેરનું પ્રમાણ સુરતમાં વધી રહ્યું છે. કોરોનાથી મૃત્યુ પામનારા અને આત્મહત્યા કરનારા રત્નકલાકારોની વ્હારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ, NRI અને DICF આવી છે.

surat
કોરોના

સુરત : હીરા ઉદ્યોગમાં ભીષણ મંદી અને ત્યારબાદ કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ, NRI અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન આવ્યું છે. આ બંને સંસ્થાઓ મળીને સુરતના રત્ન કલાકારોને આર્થિક સહાય આપશે. ફરી રોજગારીની તક મળી રહે તે માટે પ્રયત્નશીલ થશે.

કોરોનાથી મૃત્યુ પામનાર અને આત્મહત્યા કરનાર રત્નકલાકારો ને વ્હારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ

સુરતમાં રહેતા રત્ન કલાકારોની પીડા ભલે સરકાર ના સમજે પરંતુ હજારો કિલોમીટર દૂર અમેરિકામાં વસતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને NRI ચોક્કસથી સમજી રહ્યા છે. આ જ કારણ છે કે કોરોના કાળમાં અસરગ્રસ્ત થયેલા અને મૃત્યુ પામેલા રત્ન કલાકારોને વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) વ્હારે આવી છે. બંને સંસ્થાઓ મળીને સર્વે કરી અસરગ્રસ્ત રત્ન કલાકારોને આર્થિક સહાય આપશે.

અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવ્યું છે. DICF કહ્યું કે જે રત્નકલાકારો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય અથવા જે રત્નકલાકારો એ જાન્યુઆરી 2020 થી અત્યારસુધીનાં સમયગાળામાં આત્મહત્યા કરી હોય તેમનાં પરિવારજનો ને DICF દ્વારા રોજીરોટી માટે નોકરીનાં પ્રયત્નો અથવા અનાજ કરીયાણાની કીટ, જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ અથવા ચેક દ્વારા જરૂરી આર્થિક સહાયની મદદ કરવામાં આવશે. પ્રતિ પરિવાર કુલ 10 હજારથી લઈ ને 35 હજાર સુધીની મદદ DICF આપશે.

આ સહાય માત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC હદ વિસ્તાર સુધી મર્યાદિત છે. સહાય મેળવનાર પરિવારનું આ વિસ્તારમાં રહેઠાણ હોવું જરૂરી છે. સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે કે, જે રત્નકલાકાર પરિવારમાંથી સભ્યનું અવસાન થયું હોય ત્યારે એની ખોટ તો કદી પુરી ના કરી શકાય પરંતુ પરિવારને મદદરૂપ બનવાનો DICF દ્વારા આ વિનમ્ર પ્રયાસ છે.

સુરત : હીરા ઉદ્યોગમાં ભીષણ મંદી અને ત્યારબાદ કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ, NRI અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન આવ્યું છે. આ બંને સંસ્થાઓ મળીને સુરતના રત્ન કલાકારોને આર્થિક સહાય આપશે. ફરી રોજગારીની તક મળી રહે તે માટે પ્રયત્નશીલ થશે.

કોરોનાથી મૃત્યુ પામનાર અને આત્મહત્યા કરનાર રત્નકલાકારો ને વ્હારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ

સુરતમાં રહેતા રત્ન કલાકારોની પીડા ભલે સરકાર ના સમજે પરંતુ હજારો કિલોમીટર દૂર અમેરિકામાં વસતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને NRI ચોક્કસથી સમજી રહ્યા છે. આ જ કારણ છે કે કોરોના કાળમાં અસરગ્રસ્ત થયેલા અને મૃત્યુ પામેલા રત્ન કલાકારોને વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) વ્હારે આવી છે. બંને સંસ્થાઓ મળીને સર્વે કરી અસરગ્રસ્ત રત્ન કલાકારોને આર્થિક સહાય આપશે.

અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવ્યું છે. DICF કહ્યું કે જે રત્નકલાકારો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય અથવા જે રત્નકલાકારો એ જાન્યુઆરી 2020 થી અત્યારસુધીનાં સમયગાળામાં આત્મહત્યા કરી હોય તેમનાં પરિવારજનો ને DICF દ્વારા રોજીરોટી માટે નોકરીનાં પ્રયત્નો અથવા અનાજ કરીયાણાની કીટ, જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ અથવા ચેક દ્વારા જરૂરી આર્થિક સહાયની મદદ કરવામાં આવશે. પ્રતિ પરિવાર કુલ 10 હજારથી લઈ ને 35 હજાર સુધીની મદદ DICF આપશે.

આ સહાય માત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC હદ વિસ્તાર સુધી મર્યાદિત છે. સહાય મેળવનાર પરિવારનું આ વિસ્તારમાં રહેઠાણ હોવું જરૂરી છે. સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે કે, જે રત્નકલાકાર પરિવારમાંથી સભ્યનું અવસાન થયું હોય ત્યારે એની ખોટ તો કદી પુરી ના કરી શકાય પરંતુ પરિવારને મદદરૂપ બનવાનો DICF દ્વારા આ વિનમ્ર પ્રયાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.