ETV Bharat / city

એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-શારજાહ ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી

author img

By

Published : Mar 29, 2021, 12:56 PM IST

સુરત એરપોર્ટ પર કાર્યરત એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહ સુરત કોરોના મહામારીના લીધે છેલ્લા એક વર્ષથી બંધ હતી હજુ પણ આ ફ્લાઇટ શરૂ થાય તેવા કોઇ એંધાણ ન હતા, પરંતુ શહેરીજનોની માંગણીના પગલે વંદે ભારત મિશન હેઠળ સુરતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-શારજહાં ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી
એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-શારજહાં ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી
  • એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની ફ્લાઈટ પહેલા દિવસે 3.45 કલાક મોડી પડી
  • શહેરીજનોની માંગણીના પગલે વંદે ભારત મિશન હેઠળ સુરતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી
  • 210 પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો

સુરત: એક વર્ષના લાંબા સમયગાળા બાદ વંદે ભારત મિશન હેઠળ શરૂ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની ફ્લાઈટ પહેલા દિવસે 3:45 કલાક મોડી પડી હતી. જેના લીધે ફ્લાઇટમાં પ્રવાસ કરતાં 210 પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળ્યું છે.

372 દિવસ બાદ શરૂ થનારી ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી

સુરત એરપોર્ટ પર કાર્યરત એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહ સુરત કોરોના મહામારીના લીધે છેલ્લા એક વર્ષથી બંધ હતી હજુ પણ આ ફ્લાઇટ શરૂ થાય તેવા કોઇ એંધાણ ન હતા, પરંતુ શહેરીજનોની માંગણીના પગલે વંદે ભારત મિશન હેઠળ સુરતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 372 દિવસ બાદ શરૂ થનારી ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી હતી.

આ પણ વાંચો: લૉકડાઉનમાં રદ થયેલી ફ્લાઈટના 99 ટકા ગ્રાહકોને પૈસા પરત કરાયાઃ ઈન્ડિગો

પહેલા દિવસે 125 પેસેન્જરો સુરત આવ્યા

વંદે ભારત મિશન હેઠળ શારજાહ સુરતની ફલાઇટ ટેક ઓફ થનારી હતી પણ ટેકનિકલ ખામી આવતા મોડી ઉપડી હતી જેને કારણે સુરત એરપોર્ટ પર 00:45 કલાકેની જગ્યાએ 3:30 કલાકે લેન્ડ થઈ હતી તે પછી ચાલીસ મિનિટ રોકાઈ હતી અને 4:10 કલાકે સારા જહા જવા માટે ટેક ઓફ થઇ હતી. પહેલા દિવસે 125 પેસેન્જરો સુરત આવ્યા છે. સુરતથી 85 પેસેન્જર ગયા છે. બંને એરપોર્ટ પર પેસેન્જરોના COVID 19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 3 વખત લેન્ડિંગ ફેઈલ, એક કલાક સુધી હવામાં ચક્કર કાપતું રહ્યું વિમાન જાણો આગળ શું થયું...

  • એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની ફ્લાઈટ પહેલા દિવસે 3.45 કલાક મોડી પડી
  • શહેરીજનોની માંગણીના પગલે વંદે ભારત મિશન હેઠળ સુરતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી
  • 210 પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો

સુરત: એક વર્ષના લાંબા સમયગાળા બાદ વંદે ભારત મિશન હેઠળ શરૂ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની ફ્લાઈટ પહેલા દિવસે 3:45 કલાક મોડી પડી હતી. જેના લીધે ફ્લાઇટમાં પ્રવાસ કરતાં 210 પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળ્યું છે.

372 દિવસ બાદ શરૂ થનારી ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી

સુરત એરપોર્ટ પર કાર્યરત એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહ સુરત કોરોના મહામારીના લીધે છેલ્લા એક વર્ષથી બંધ હતી હજુ પણ આ ફ્લાઇટ શરૂ થાય તેવા કોઇ એંધાણ ન હતા, પરંતુ શહેરીજનોની માંગણીના પગલે વંદે ભારત મિશન હેઠળ સુરતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 372 દિવસ બાદ શરૂ થનારી ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ તકનીકી ખામીના લીધે મોડી પડી હતી.

આ પણ વાંચો: લૉકડાઉનમાં રદ થયેલી ફ્લાઈટના 99 ટકા ગ્રાહકોને પૈસા પરત કરાયાઃ ઈન્ડિગો

પહેલા દિવસે 125 પેસેન્જરો સુરત આવ્યા

વંદે ભારત મિશન હેઠળ શારજાહ સુરતની ફલાઇટ ટેક ઓફ થનારી હતી પણ ટેકનિકલ ખામી આવતા મોડી ઉપડી હતી જેને કારણે સુરત એરપોર્ટ પર 00:45 કલાકેની જગ્યાએ 3:30 કલાકે લેન્ડ થઈ હતી તે પછી ચાલીસ મિનિટ રોકાઈ હતી અને 4:10 કલાકે સારા જહા જવા માટે ટેક ઓફ થઇ હતી. પહેલા દિવસે 125 પેસેન્જરો સુરત આવ્યા છે. સુરતથી 85 પેસેન્જર ગયા છે. બંને એરપોર્ટ પર પેસેન્જરોના COVID 19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 3 વખત લેન્ડિંગ ફેઈલ, એક કલાક સુધી હવામાં ચક્કર કાપતું રહ્યું વિમાન જાણો આગળ શું થયું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.