ETV Bharat / city

રાજકોટમાં તૌકતે વાવાઝોડાને કારણે વેક્સિનેશનની બંધ થયેલી કામગીરી શરૂ

author img

By

Published : May 21, 2021, 2:13 PM IST

રાજકોટમાં આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 18થી 45 વર્ષના માટે જુદા-જુદા 50 કેન્દ્રો પર વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે 45થી વધુ ઉંમરના લોકો માટે 25 કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં તૌકતે વાવાઝોડાને કારણે વેક્સિનેશનની બંધ થયેલી કામગીરી શરૂ
રાજકોટમાં તૌકતે વાવાઝોડાને કારણે વેક્સિનેશનની બંધ થયેલી કામગીરી શરૂ
  • રાજકોટ તૌકતે વાવાઝોડાને કારણે બંધ વેક્સિનેશન કામગીરી શરૂ
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે
  • છેલ્લી 24 કલાકમાં 21 દર્દીઓના મોત સામે આવ્યા

રાજકોટ: તૌકતે વાવાઝોડાને કારણે બંધ વેકસીનેશન કામગિરી શરૂ થતા લોકોએ હેરાનગતિ સહન કરવી પડી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં 21 દર્દીઓના મોત સામે આવ્યા હતા .ત્યારે ગઈકાલે 17 દર્દીઓના મોતમાંથી 1 દર્દીનું જ કોરોનાથી મોત થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીએ કર્યું જાહેર કર્યું હતું. રાજકોટમાં આજે 7,651 લોકોનું રસિકરણ કરવામાં આવ્યું. 18 થી 45 વર્ષ સુધીના 6,992 લોકોને અને 45થી વધુ ઉંમરના 659 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી.

18થી 45 વર્ષના માટે જુદા-જુદા 50 કેન્દ્રો ઉપરવેકસીનેશન કામગીરી શરૂ કરવામાં આવી

રાજકોટમાં આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 18થી 45 વર્ષના માટે જુદા-જુદા 50 કેન્દ્રો પર વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે 45થી વધુ ઉંમરના લોકો માટે 25 કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે બંધ રહેલું વેક્સિનેશન આજે શરૂ થતાની સાથે જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અને તમામ કેન્દ્રો પર કોરોનાની રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે.

આ પણ વાંચો: મારુ કંસારા વાડીમાં 400થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

આ પણ વાંચો: ભાવનગરમાં 35 સ્થળે વેકસીનેશન શરૂ : 45 વર્ષથી વધુના લોકો જોડાયા

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1488 દર્દી સારવાર લઈ રહ્યા છે

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1,488 દર્દી સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 11.08 લાખ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 40,347 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. અને 38,830 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા રિકવરી રેઈટ વધીને 96.34 ટકા થયો છે. ગઈકાલે એક દિવસમાં નવા માત્ર 168 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેની સામે 354 દર્દીઓ સાજા ડિસ્ચાર્જ કરાયા છે.

રાજકોટમાં તૌકતે વાવાઝોડાને કારણે વેક્સિનેશનની બંધ થયેલી કામગીરી શરૂ

આ પણ વાંચો: રાજ્યના આરોગ્યપ્રધાન સાથે કોરોના વેક્સિનેશન માટેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવે જેથી ઝડપી કામગીરી થઈ શકે છે

ત્યારે ETV bharatએ રાજકોટના યુવાનો સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે વેક્સિનેશન કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. ખરા અર્થમાં ઓનલાઈન વેક્સિનેશન રજીસ્ટર કરવામાં ખુબ જ સમય બગડે છે.ત્યારે યુવાનો એ કહ્યું હતું કે, ઓનલાઈન નહીં પરંતુ સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવે જેથી ઝડપી કામગીરી થઈ શકે છે. ત્યારે લોકોને વેક્સિનેશન માટે પણ હેરાનગતિ સહન કરવી પડશે.

  • રાજકોટ તૌકતે વાવાઝોડાને કારણે બંધ વેક્સિનેશન કામગીરી શરૂ
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે
  • છેલ્લી 24 કલાકમાં 21 દર્દીઓના મોત સામે આવ્યા

રાજકોટ: તૌકતે વાવાઝોડાને કારણે બંધ વેકસીનેશન કામગિરી શરૂ થતા લોકોએ હેરાનગતિ સહન કરવી પડી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં 21 દર્દીઓના મોત સામે આવ્યા હતા .ત્યારે ગઈકાલે 17 દર્દીઓના મોતમાંથી 1 દર્દીનું જ કોરોનાથી મોત થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીએ કર્યું જાહેર કર્યું હતું. રાજકોટમાં આજે 7,651 લોકોનું રસિકરણ કરવામાં આવ્યું. 18 થી 45 વર્ષ સુધીના 6,992 લોકોને અને 45થી વધુ ઉંમરના 659 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી.

18થી 45 વર્ષના માટે જુદા-જુદા 50 કેન્દ્રો ઉપરવેકસીનેશન કામગીરી શરૂ કરવામાં આવી

રાજકોટમાં આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 18થી 45 વર્ષના માટે જુદા-જુદા 50 કેન્દ્રો પર વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે 45થી વધુ ઉંમરના લોકો માટે 25 કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે બંધ રહેલું વેક્સિનેશન આજે શરૂ થતાની સાથે જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અને તમામ કેન્દ્રો પર કોરોનાની રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે.

આ પણ વાંચો: મારુ કંસારા વાડીમાં 400થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

આ પણ વાંચો: ભાવનગરમાં 35 સ્થળે વેકસીનેશન શરૂ : 45 વર્ષથી વધુના લોકો જોડાયા

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1488 દર્દી સારવાર લઈ રહ્યા છે

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1,488 દર્દી સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 11.08 લાખ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 40,347 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. અને 38,830 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા રિકવરી રેઈટ વધીને 96.34 ટકા થયો છે. ગઈકાલે એક દિવસમાં નવા માત્ર 168 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેની સામે 354 દર્દીઓ સાજા ડિસ્ચાર્જ કરાયા છે.

રાજકોટમાં તૌકતે વાવાઝોડાને કારણે વેક્સિનેશનની બંધ થયેલી કામગીરી શરૂ

આ પણ વાંચો: રાજ્યના આરોગ્યપ્રધાન સાથે કોરોના વેક્સિનેશન માટેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવે જેથી ઝડપી કામગીરી થઈ શકે છે

ત્યારે ETV bharatએ રાજકોટના યુવાનો સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે વેક્સિનેશન કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. ખરા અર્થમાં ઓનલાઈન વેક્સિનેશન રજીસ્ટર કરવામાં ખુબ જ સમય બગડે છે.ત્યારે યુવાનો એ કહ્યું હતું કે, ઓનલાઈન નહીં પરંતુ સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવે જેથી ઝડપી કામગીરી થઈ શકે છે. ત્યારે લોકોને વેક્સિનેશન માટે પણ હેરાનગતિ સહન કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.