ETV Bharat / city

ઉપલેટા નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા શરૂ કરાયું સેનેટાઈઝીંગ

author img

By

Published : Apr 17, 2021, 4:17 PM IST

Updated : Apr 17, 2021, 6:08 PM IST

ઉપલેટા નગરપાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે શહેરના જાહેર ચોક, રસ્તા અને જાહેર લોકોની ભીડ થતી હોય તેવા વિસ્તારોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

corona
ઉપલેટા નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા શરૂ કરાયું સેનેટાઈઝીંગ
  • રાત્રિના સમયે શરૂ કરાઈ સેનેટાઈઝીંગની કામગીરી
  • કોરોના સંક્રમણને અટકાવવા શરૂ કરાઈ કામગીરી
  • ઉપલેટામાં ચાર દિવસ માટે લોકડાઉન

રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં પણ કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં ચાર દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કર્યું છે. વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઇ ઉપલેટા શહેર તેમજ શહેર બહારથી એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે ચાર દિવસના લોકડાઉન દરમિયાન ઉપલેટા નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો જેમકે રાજમાર્ગ, જુનો નેશનલ હાઈવે તેમજ શહેરના જાહેર ચોક જેમાં બસ સ્ટેન્ડ ચોક, બાપુના બાવલા ચોક, ભગતસિંહ ચોક, ગાંધી ચોક, નાગનાથ ચોક સહિતના જાહેર ચોકમાં જ્યાં લોકોની અવર-જવર વધુ થતી હોય તેવા તમામ ચોક અને જાહેર જગ્યા અને મુખ્ય માર્ગો પર સેનેટાઈઝરની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉપલેટા નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા શરૂ કરાયું સેનેટાઈઝીંગ

આ પણ વાંચો : ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ લીધી સામૂહિક કોરોનાની રસી

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ સંપૂર્ણ કામગીરીનું મોનિટરીંગ કરી રહ્યા છે

મીડિયા સાથે સંવાદમાં ઉપલેટા નગર પાલિકા પ્રમુખ મયુર સુવાએ જણાવ્યું હતું કે હાલ ચાર દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે તમામ બજારો અને તમામ રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની લોકોની અવર-જવર નથી, જેથી આ તમામ વિસ્તારોની અંદર સેનેટાઈઝર કરવાની કામગીરી હાથ ધરાય છે. જેથી આ જગ્યા પર જો કોરોના વાઈરસ ફેલાયો હોય તો તેમનો નાશ થઇ જાય તે માટે બંધ દરમિયાન આ કામગીરી ખાસ રીતે કરવામાં આવી છે.

  • રાત્રિના સમયે શરૂ કરાઈ સેનેટાઈઝીંગની કામગીરી
  • કોરોના સંક્રમણને અટકાવવા શરૂ કરાઈ કામગીરી
  • ઉપલેટામાં ચાર દિવસ માટે લોકડાઉન

રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં પણ કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં ચાર દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કર્યું છે. વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઇ ઉપલેટા શહેર તેમજ શહેર બહારથી એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે ચાર દિવસના લોકડાઉન દરમિયાન ઉપલેટા નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો જેમકે રાજમાર્ગ, જુનો નેશનલ હાઈવે તેમજ શહેરના જાહેર ચોક જેમાં બસ સ્ટેન્ડ ચોક, બાપુના બાવલા ચોક, ભગતસિંહ ચોક, ગાંધી ચોક, નાગનાથ ચોક સહિતના જાહેર ચોકમાં જ્યાં લોકોની અવર-જવર વધુ થતી હોય તેવા તમામ ચોક અને જાહેર જગ્યા અને મુખ્ય માર્ગો પર સેનેટાઈઝરની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉપલેટા નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા શરૂ કરાયું સેનેટાઈઝીંગ

આ પણ વાંચો : ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ લીધી સામૂહિક કોરોનાની રસી

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ સંપૂર્ણ કામગીરીનું મોનિટરીંગ કરી રહ્યા છે

મીડિયા સાથે સંવાદમાં ઉપલેટા નગર પાલિકા પ્રમુખ મયુર સુવાએ જણાવ્યું હતું કે હાલ ચાર દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે તમામ બજારો અને તમામ રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની લોકોની અવર-જવર નથી, જેથી આ તમામ વિસ્તારોની અંદર સેનેટાઈઝર કરવાની કામગીરી હાથ ધરાય છે. જેથી આ જગ્યા પર જો કોરોના વાઈરસ ફેલાયો હોય તો તેમનો નાશ થઇ જાય તે માટે બંધ દરમિયાન આ કામગીરી ખાસ રીતે કરવામાં આવી છે.

Last Updated : Apr 17, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.