રાજકોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવતા જ હવે PM મોદી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ઓક્ટોબરે રાજકોટમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું (PM Modi Gujarat visit) લોકાર્પણ કરશે. આ પ્રોજેકટથી રાજકોટમાં વસતા અનેક નાગરીકોનું ઘરના ઘરનું સપનું સાકાર થશે. શહેરના રૈયા વિસ્તારમાં તૈયાર થયેલો આ પ્રોજેક્ટ છે. જેમાં મહત્વપૂર્ણ એટલે માટે કહેવામાં આવ્યું છે કારણ કે, ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં પસંદગી કરવામાં આવેલા 6 શહેરોમાં રાજકોટ એક શહેર છે.
1100થી વધુ આવાસો આ પ્રોજેક્ટ હેઠળ 118 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજીથી EWS-II પ્રકારના 1100થી વધુ આવાસો (launch lighthouse project in Rajkot) બનાવવામાં આવ્યા છે. લાઈટહાઉસ પ્રોજેક્ટ વિશે જો વિસ્તારથી વાત કરીએ તો આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વસતા નાગરીકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા ખાસ ટેક્નોલોજીની મદદથી સસ્તા અને મજબૂત મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. (PM Modi Launches Lighthouse Project in Rajkot )
શું શું સુવિધાઓ હશે આ પ્રોજેક્ટમાં દરેક આવાસમાં 2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, LED લાઇટ અને પંખા જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત (lighthouse project rajkot) આવાસોમાં પાર્કિંગ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ જેવી વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં આવા એક બહુ મંજિલ લાઈટહાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. (Lighthouse Project facility in Rajkot)