ETV Bharat / city

કોરોના મટ્યા પછી જોવા મળતી શારીરિક માનસિક તકલીફો: એક વિશ્લેષણ

author img

By

Published : Sep 5, 2021, 10:40 AM IST

છેલ્લા 2 વર્ષથી આખી દુનિયા કોરોના નામની મહામારી વચ્ચે જીવી રહી છે, અનેક લોકો કોરોનામાં સપડાયા અને સાજા પણ થયા પણ કોરોનાથી સાજા થયા બાદ પણ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબાતે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

rajkot
કોરોના મટ્યા પછી જોવા મળતી શારીરિક માનસિક તકલીફો: એક વિશ્લેષણ

રાજકોટ: કોરોના મટી ગયા પછી ઘણા લોકોને વિવિધ તકલીફો જોવા મળી રહી છે. જેમાં શારીરિક અને માનસિક બન્ને પ્રકારની તકલીફોનો સમાવેશ થાય છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે 207 કોવિડ દર્દીઓ માંથી સ્વસ્થ થયેલા લોકોનો સર્વે અને કેસ સ્ટડી કર્યો જેમાં જોવા મળ્યું કે કોરોના મટ્યા પછી પણ લોકોમાં ડી ડાયમર ઉચ્ચ રહેવું, ઉધરસનું પ્રમાણ, થાક, સુસ્તી, ડાયાબીટીસ નિયંત્રણમાં ન રહેવું,સ્વાદ ન આવવો, વાળ ખરવા, ફાયબ્રોસિસ,શ્વાસ લેવામાં તકલીફ, લોહીના ગંઠાવવાની પ્રક્રિયા, કિડનીની તકલીફો જેવી સમસ્યાઓ જોવા મળી. ઉપરાંત સ્ટ્રેસ, ડિપ્રેશન, ચિંતા, અનિવાર્ય વિચાર દબાણ, બેચેની, જેવી માનસિક સમસ્યાઓ જોવા મળી.

પોસ્ટ-કોવિડ -19 સિન્ડ્રોમ શું છે?

કોવિડ દર્દીઓ મોટે ભાગે 2-4 અઠવાડિયામાં સાજા થાય છે. જો કે, કેટલાક દર્દીઓમાં, કોવિડના લક્ષણો ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે. આવી સ્થિતિને "એક્યુટ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ" તરીકે ઓળખવામાં આવે છે. જો એ કરતા પણ વધુ મહિના પછી લક્ષણો ચાલુ રહે, તો તેને "પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ" તરીકે ઓળખવામાં આવે છે.

કોવિડ -19 પછીના લક્ષણો શા કારણે?

કોવિડ -19 પછીના શારીરિક લક્ષણો દેખાવાના મુખ્ય બે કારણો છે:

વાયરસ સંબંધિત: કોરોના વાયરસ માત્ર આપણા ફેફસાને જ અસર કરે છે એવું નથી, પરંતુ લીવર, મગજ અને કિડની સહિત તમામ અંગોને અસર કરી શકે છે. તેથી, આપણા શરીરને ચેપમાંથી સાજા થવામાં સમય લાગે છે.

રોગપ્રતિકારકતા સાથે સંબંધિત: જ્યારે વાયરસ પ્રવેશે છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. શરીર અને વાયરસ વચ્ચેની લડાઈ વિવિધ રસાયણો મુક્ત કરે છે જે આપણા અવયવોમાં બળતરા પેદા કરે છે. કેટલાક દર્દીઓમાં આ સોજો લાંબા સમય સુધી રહે છે.

અમુક શારીરિક સમસ્યાઓ:

થ્રોમ્બોએમ્બોલિઝમ

આ COVID-19 પછીની સૌથી ભયજનક સ્થિતિ છે. આમાં, લોહીના ગંઠાવાનું રક્તવાહિનીને અવરોધિત કરે છે. તેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોક પણ આવી શકે છે. તે ગંઠાવાનું ક્યાં છે તેના પર નિર્ભર છે. આ સમસ્યા થવાની શકયતા બહુ ઓછી જોવા મળે છે.

પલ્મોનરી એમબોલિઝમ

એક એવી સ્થિતિ છે જેમાં ફેફસામાં લોહી ગંઠાવાના પ્રારંભિક સંકેતો દેખાય છે. તેના લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેશરમાં ઘટાડો. આવા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની અને વધુ તપાસની જરૂર પડે છે. આશરે 9 ટકા લોકોમાં આ સમસ્યા જોવા મળી.

ઉચ્ચ ડી-ડાયમર સ્તર

તીવ્ર ગંભીર દર્દીઓ અને ઉચ્ચ ડી-ડાયમર સ્તર ધરાવતા દર્દીઓને COVID-19 પછીના સમયગાળામાં 2-4 અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવાની તેમજ ઉપચાર કરવાની જરૂર પડે છે. આશરે 18 ટકા દર્દીઓને ડી ડાયમર સ્તરમાં વધારો જોવા મળ્યો

લાંબી ઉધરસ

COVID-19 પછીના ચેપનું બીજું મુખ્ય લક્ષણ એ લાંબી ઉધરસ છે જે ચેપ પછી સારી થતી નથી અથવા ઉધરસ આવે છે. આપણા શ્વાસોશ્વાસનામાર્ગમાં ચેપ અને બળતરાને કારણે દર્દી સ્વસ્થ થયા પછી પણ સૂકી ઉધરસ આવી શકે છે. ફેફસામાં બળતરા થવાથી હીલિંગ પ્રક્રિયા શરૂ થયા પછી પણ ઉધરસ ચાલુ રહે છે. સૂકી ઉધરસ અનુભવતા દર્દીઓ માટે ઊંડા શ્વાસ લેવાની કસરતો કરવાની ભલામણ કરવામાં આવે છે. આશરે 45 ટકા લોકોને સ્વસ્થ થયા પછી પણ સૂકી ઉધરસ જોવા મળી

થાક

કોવિડ પછીના દર્દીઓ ઘણીવાર ઉધરસની ફરિયાદ કરે છે. લાંબી ઉધરસને કારણે તેઓ છાતીના નીચેના ભાગમાં પાંસળીમાં દુખાવો અનુભવી શકે છે. આ સ્થિતિનું મૂલ્યાંકન કરવું પણ મહત્વપૂર્ણ છે. કોસ્ટોકોન્ડ્રાઇટિસ અથવા પાંસળીનો દુખાવો કોવિડ દરમિયાન બળતરાને કારણે પુન સ્વસ્થ થયા પછી પણ થઈ શકે છે. 27 ટકા લોકોને આ સમસ્યા જોવા મળી છે.

ફેફસાના ફાઈબ્રોસિસ

કોવિડ પછીના અન્ય સિન્ડ્રોમમાં ફેફસાના ફાયબ્રોસીસની આશંકા છે. આ ફેફસામાં રહેલા ડાઘોને કારણે છે જે કોવિડમાંથી સાજા થયા પછી રહે છે. આવી વ્યક્તિને પૂરક ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ 1 ટકા ને જ આ સમસ્યા જોવા મળી.

અનિયમિત ડાયાબીટીસનું પ્રમાણ

મોટા ભાગના લોકોને કોવિડ માંથી સ્વસ્થ થયા પછી ડાયાબીટીસ અનિયમિત અને નિયંત્રણ બહારનું જોવા મળ્યું. સ્ટીરોઇડ અને દવાઓને કારણે ડાયાબીટીસના લેવલમાં વધ ઘટ થઈ શકે. આશરે 63 ટકા લોકોમાં સુગર લેવલ અનિયમિત જોવા મળ્યું.

સ્વાદ ન આવવો

કોવિડનું આ લક્ષણ ઘણા લોકોમાં જોવા મળ્યું. સ્વસ્થ થયા પછી પણ ભોજનનો સ્વાદ ન આવવાનું 54 ટકા એ સ્વીકાર્યું

કિડનીની તકલીફો

વિવિધ દવાઓની અસરને કારણે આશરે 8 ટકા દર્દીઓને કિડનીની સમસ્યાઓ જોવા મળી.

વાળ ખરવાની સમસ્યા

દવાઓ, ચિંતા, તણાવ અને હોર્મોન્સના પરિવર્તનને કારણે 18 ટકાએ વાળ ખરવાનું સ્વીકાર્યું.

માનસિક અસરો

કાઉન્સેલિંગ દરમિયાન આવેલ વિવિધ કેસો અને આ સર્વેમાં જોવા મળ્યું કે માનસિક અસરો બહુ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ખાસ કરીને...

સ્ટ્રેસ

કોવિડ માંથી સ્વસ્થ થયા પછી પોસ્ટ કોવિડ ઇફેક્ટ માં આશરે 27 ટકા લોકોએ સ્ટ્રેસ અનુભવ્યો.

ચિંતા
આશરે 81 ટકા લોકો ચિંતાનો ભોગ બન્યા અને ભવિષ્યની ચિંતા વધુ અનુભવવા લાગ્યા

હતાશા

આશરે 72 ટકા ને હળવાથી ભારે પ્રકારનું ડિપ્રેશન જોવા મળ્યું.

અનિવાર્ય મનોદબાણ અને ક્રિયાદબાણ

વારંવાર એકના એક વિચારોને લીધે આ સમસ્યા 63 ટકા લોકોને જોવા મળી.

પોસ્ટ-કોવિડ વ્યવસ્થાપન

આપણો આહારમાં પ્રોટીન કેન્દ્રિત હોવી જોઈએ. આ સિવાય આપણે શાકભાજીન સાથે રાખવી જોઈએ, જેથી ખોરાકનું પાચન સંતુલિત રીતે થઈ શકે. વિટામિન્સથી ભરપૂર ખોરાક લો. ફાયબર મળી રહે તેનું ધ્યાન રાખો, રોગ પ્રતિકારક શક્તિ વધે માટે વિટામિન સી યુક્ત ફળનું લીંબુનું સેવન કરો, તળેલા ખોરાકથી અને એસીડીટી કરે તેવા ખોરાકથી દૂર રહો, વ્યવસ્થિત ડોક્ટરની સલાહ લેવાનું રાખો. મનને આનંદિત રાખે તેવી પ્રવૃતિઓ કરવી.

રાજકોટ: કોરોના મટી ગયા પછી ઘણા લોકોને વિવિધ તકલીફો જોવા મળી રહી છે. જેમાં શારીરિક અને માનસિક બન્ને પ્રકારની તકલીફોનો સમાવેશ થાય છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે 207 કોવિડ દર્દીઓ માંથી સ્વસ્થ થયેલા લોકોનો સર્વે અને કેસ સ્ટડી કર્યો જેમાં જોવા મળ્યું કે કોરોના મટ્યા પછી પણ લોકોમાં ડી ડાયમર ઉચ્ચ રહેવું, ઉધરસનું પ્રમાણ, થાક, સુસ્તી, ડાયાબીટીસ નિયંત્રણમાં ન રહેવું,સ્વાદ ન આવવો, વાળ ખરવા, ફાયબ્રોસિસ,શ્વાસ લેવામાં તકલીફ, લોહીના ગંઠાવવાની પ્રક્રિયા, કિડનીની તકલીફો જેવી સમસ્યાઓ જોવા મળી. ઉપરાંત સ્ટ્રેસ, ડિપ્રેશન, ચિંતા, અનિવાર્ય વિચાર દબાણ, બેચેની, જેવી માનસિક સમસ્યાઓ જોવા મળી.

પોસ્ટ-કોવિડ -19 સિન્ડ્રોમ શું છે?

કોવિડ દર્દીઓ મોટે ભાગે 2-4 અઠવાડિયામાં સાજા થાય છે. જો કે, કેટલાક દર્દીઓમાં, કોવિડના લક્ષણો ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે. આવી સ્થિતિને "એક્યુટ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ" તરીકે ઓળખવામાં આવે છે. જો એ કરતા પણ વધુ મહિના પછી લક્ષણો ચાલુ રહે, તો તેને "પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ" તરીકે ઓળખવામાં આવે છે.

કોવિડ -19 પછીના લક્ષણો શા કારણે?

કોવિડ -19 પછીના શારીરિક લક્ષણો દેખાવાના મુખ્ય બે કારણો છે:

વાયરસ સંબંધિત: કોરોના વાયરસ માત્ર આપણા ફેફસાને જ અસર કરે છે એવું નથી, પરંતુ લીવર, મગજ અને કિડની સહિત તમામ અંગોને અસર કરી શકે છે. તેથી, આપણા શરીરને ચેપમાંથી સાજા થવામાં સમય લાગે છે.

રોગપ્રતિકારકતા સાથે સંબંધિત: જ્યારે વાયરસ પ્રવેશે છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. શરીર અને વાયરસ વચ્ચેની લડાઈ વિવિધ રસાયણો મુક્ત કરે છે જે આપણા અવયવોમાં બળતરા પેદા કરે છે. કેટલાક દર્દીઓમાં આ સોજો લાંબા સમય સુધી રહે છે.

અમુક શારીરિક સમસ્યાઓ:

થ્રોમ્બોએમ્બોલિઝમ

આ COVID-19 પછીની સૌથી ભયજનક સ્થિતિ છે. આમાં, લોહીના ગંઠાવાનું રક્તવાહિનીને અવરોધિત કરે છે. તેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોક પણ આવી શકે છે. તે ગંઠાવાનું ક્યાં છે તેના પર નિર્ભર છે. આ સમસ્યા થવાની શકયતા બહુ ઓછી જોવા મળે છે.

પલ્મોનરી એમબોલિઝમ

એક એવી સ્થિતિ છે જેમાં ફેફસામાં લોહી ગંઠાવાના પ્રારંભિક સંકેતો દેખાય છે. તેના લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેશરમાં ઘટાડો. આવા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની અને વધુ તપાસની જરૂર પડે છે. આશરે 9 ટકા લોકોમાં આ સમસ્યા જોવા મળી.

ઉચ્ચ ડી-ડાયમર સ્તર

તીવ્ર ગંભીર દર્દીઓ અને ઉચ્ચ ડી-ડાયમર સ્તર ધરાવતા દર્દીઓને COVID-19 પછીના સમયગાળામાં 2-4 અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવાની તેમજ ઉપચાર કરવાની જરૂર પડે છે. આશરે 18 ટકા દર્દીઓને ડી ડાયમર સ્તરમાં વધારો જોવા મળ્યો

લાંબી ઉધરસ

COVID-19 પછીના ચેપનું બીજું મુખ્ય લક્ષણ એ લાંબી ઉધરસ છે જે ચેપ પછી સારી થતી નથી અથવા ઉધરસ આવે છે. આપણા શ્વાસોશ્વાસનામાર્ગમાં ચેપ અને બળતરાને કારણે દર્દી સ્વસ્થ થયા પછી પણ સૂકી ઉધરસ આવી શકે છે. ફેફસામાં બળતરા થવાથી હીલિંગ પ્રક્રિયા શરૂ થયા પછી પણ ઉધરસ ચાલુ રહે છે. સૂકી ઉધરસ અનુભવતા દર્દીઓ માટે ઊંડા શ્વાસ લેવાની કસરતો કરવાની ભલામણ કરવામાં આવે છે. આશરે 45 ટકા લોકોને સ્વસ્થ થયા પછી પણ સૂકી ઉધરસ જોવા મળી

થાક

કોવિડ પછીના દર્દીઓ ઘણીવાર ઉધરસની ફરિયાદ કરે છે. લાંબી ઉધરસને કારણે તેઓ છાતીના નીચેના ભાગમાં પાંસળીમાં દુખાવો અનુભવી શકે છે. આ સ્થિતિનું મૂલ્યાંકન કરવું પણ મહત્વપૂર્ણ છે. કોસ્ટોકોન્ડ્રાઇટિસ અથવા પાંસળીનો દુખાવો કોવિડ દરમિયાન બળતરાને કારણે પુન સ્વસ્થ થયા પછી પણ થઈ શકે છે. 27 ટકા લોકોને આ સમસ્યા જોવા મળી છે.

ફેફસાના ફાઈબ્રોસિસ

કોવિડ પછીના અન્ય સિન્ડ્રોમમાં ફેફસાના ફાયબ્રોસીસની આશંકા છે. આ ફેફસામાં રહેલા ડાઘોને કારણે છે જે કોવિડમાંથી સાજા થયા પછી રહે છે. આવી વ્યક્તિને પૂરક ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ 1 ટકા ને જ આ સમસ્યા જોવા મળી.

અનિયમિત ડાયાબીટીસનું પ્રમાણ

મોટા ભાગના લોકોને કોવિડ માંથી સ્વસ્થ થયા પછી ડાયાબીટીસ અનિયમિત અને નિયંત્રણ બહારનું જોવા મળ્યું. સ્ટીરોઇડ અને દવાઓને કારણે ડાયાબીટીસના લેવલમાં વધ ઘટ થઈ શકે. આશરે 63 ટકા લોકોમાં સુગર લેવલ અનિયમિત જોવા મળ્યું.

સ્વાદ ન આવવો

કોવિડનું આ લક્ષણ ઘણા લોકોમાં જોવા મળ્યું. સ્વસ્થ થયા પછી પણ ભોજનનો સ્વાદ ન આવવાનું 54 ટકા એ સ્વીકાર્યું

કિડનીની તકલીફો

વિવિધ દવાઓની અસરને કારણે આશરે 8 ટકા દર્દીઓને કિડનીની સમસ્યાઓ જોવા મળી.

વાળ ખરવાની સમસ્યા

દવાઓ, ચિંતા, તણાવ અને હોર્મોન્સના પરિવર્તનને કારણે 18 ટકાએ વાળ ખરવાનું સ્વીકાર્યું.

માનસિક અસરો

કાઉન્સેલિંગ દરમિયાન આવેલ વિવિધ કેસો અને આ સર્વેમાં જોવા મળ્યું કે માનસિક અસરો બહુ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ખાસ કરીને...

સ્ટ્રેસ

કોવિડ માંથી સ્વસ્થ થયા પછી પોસ્ટ કોવિડ ઇફેક્ટ માં આશરે 27 ટકા લોકોએ સ્ટ્રેસ અનુભવ્યો.

ચિંતા
આશરે 81 ટકા લોકો ચિંતાનો ભોગ બન્યા અને ભવિષ્યની ચિંતા વધુ અનુભવવા લાગ્યા

હતાશા

આશરે 72 ટકા ને હળવાથી ભારે પ્રકારનું ડિપ્રેશન જોવા મળ્યું.

અનિવાર્ય મનોદબાણ અને ક્રિયાદબાણ

વારંવાર એકના એક વિચારોને લીધે આ સમસ્યા 63 ટકા લોકોને જોવા મળી.

પોસ્ટ-કોવિડ વ્યવસ્થાપન

આપણો આહારમાં પ્રોટીન કેન્દ્રિત હોવી જોઈએ. આ સિવાય આપણે શાકભાજીન સાથે રાખવી જોઈએ, જેથી ખોરાકનું પાચન સંતુલિત રીતે થઈ શકે. વિટામિન્સથી ભરપૂર ખોરાક લો. ફાયબર મળી રહે તેનું ધ્યાન રાખો, રોગ પ્રતિકારક શક્તિ વધે માટે વિટામિન સી યુક્ત ફળનું લીંબુનું સેવન કરો, તળેલા ખોરાકથી અને એસીડીટી કરે તેવા ખોરાકથી દૂર રહો, વ્યવસ્થિત ડોક્ટરની સલાહ લેવાનું રાખો. મનને આનંદિત રાખે તેવી પ્રવૃતિઓ કરવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.