- રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
- રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે
- સ્મશાન બાદ હવે મરણનો દાખલો કઢાવવા માટે પણ લાગી લાંબી લાઇનો
રાજકોટઃ શહેરમાં એક તરફ કોરોનાના પોઝિટિવ કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે. દરરોજ 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. મોત બાદ પણ અંતિમવિધિ માટે પણ મૃતદેહને સ્મશાનમાં વેઇટિંગમાં રાખવા પડે છે ત્યારે રાજકોટમાં મૃત્યુ બાદ હવે મરણના દાખલ કઢાવવા માટે પણ લોકોએ લાઈનમાં ઉભું રહેવાનો વારો આવ્યો છે. રાજકોટ કોર્પોરેશનમાં મરણના દાખલ કઢાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળતા સમજાય છે કે રાજકોટમાં કોરોનાની કેવી પરિસ્થિતિ હશે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત
દરરોજ 60થી વધુ કોરોનાના દર્દીના મોત
રાજકોટમાં કોરોનાના દરરોજ 500થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે સામે દરરોજ કોરોનાની સારવાર દરમિયાન 60થી વધુ દર્દીઓના મોત થયા છે. રાજકોટ મનપાનો જન્મ મરણ વિભાગમાં સત્તત લોકોની ભીડ જોવા મળી રહી છે. દરરોજ 60થી વધુ દર્દીઓના મોતની સાથે નવા જન્મની પણ 70ની આસપાસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનના કર્મચારીઓ પણ આ કારણે કામે લાગ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં આ દાખલ કઢાવવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં 13 એપ્રિલે 59 કોરોનાના દર્દીના સારવાર દરમિયાન મોત