ETV Bharat / city

કોરોના સંક્રમણ ઘટતા જેતપુર ST ડેપોએ વધુ 5 રૂટ શરૂ કર્યા

author img

By

Published : May 28, 2021, 3:42 PM IST

કોરોના મહામારીના કારણે રાજકોટમાં અનેક એસટી બસ બંધ રાખવામાં આવી હતી. ત્યારે જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 22 રૂપ કાર્યરત કરવામાં આવ્યા છે. અહીં કોરોનાનું સંક્રમણ ઘટતા વધારાના 5 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેતપુર ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે બસો દોડાવાઈ રહી છે.

કોરોના સંક્રમણ ઘટતા જેતપુર ST ડેપોએ વધુ 5 રૂટ શરૂ કર્યા
કોરોના સંક્રમણ ઘટતા જેતપુર ST ડેપોએ વધુ 5 રૂટ શરૂ કર્યા
  • જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 22 રૂટ થયા કાર્યરત
  • કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વધારાના 5 રૂટ શરૂ કરાયા
  • જેતપુર ST ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે દોડવાઈ રહી છે બસ સેવા

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ કોરોનાના કેસ વધતા હોવાથી એસટી બસો બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ અત્યારે કોરોનાના કેસ ઘટતા અમુક રૂટ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે જેતપુર એસટી ડેપોના કુલ 54માંથી 22 રૂટ કાર્યરત થયા છે.

કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વધારાના 5 રૂટ શરૂ કરાયા
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વધારાના 5 રૂટ શરૂ કરાયા

વાવાઝોડાના કારણે રૂટ બંધ કરવા હવામાન વિભાગે આપી હતી સૂચના

તૌકતે વાવાઝોડાના કારણે પણ રાજકોટમાં ખૂબ નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગે પણ રાજકોટને સૂચના આપી હતી, જેના કારણે બસ સેવા બંધ હતી. એટલે જેતપુર એસટી ડેપોના 54 રૂપ બંધ કરવામાં આવ્યા હતા, જે ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.

જેતપુર ST ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે દોડવાઈ રહી છે બસ સેવા
જેતપુર ST ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે દોડવાઈ રહી છે બસ સેવા

આ પણ વાંચો- ગીર સોમનાથઃ ઉના એસટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં થઇ રાહત

જેતપુર એસટી ડેપોના વધુ 5 રૂટ કાર્યરત કરાયા

ETV ભારતની ટીમે જેતપુર ST ડેપોની મુલાકાત કરી હતી અને હાલની જેતપુર ST ડેપોની બસ સેવાઓ અંગે જેતપુર ST ડેપોના મેનેજર પી.યુ. મીર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જેતપુર ST ડેપો દ્વારા તૌકતે વાવાઝોડાના કારણે બંધ કરાયેલા ST બસના રૂટ ફરીથી શરૂ કરાયા છે. હાલ જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 17 રૂટ પર જ જેતપુર ST ડેપો દ્વારા બસની સેવાઓ આપવામાં આવતી હતી, જેમાં વધારો કરતા 5 રૂટ વધુ શરૂ કરવામાં આવ્યા છે. જેથી કુલ 54 માંથી 22 રૂટ પર બસ દોડાવવામાં આવી રહી છે.

જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 22 રૂટ થયા કાર્યરત
આ પણ વાંચો- ભુજ તાલુકાના નાગોર ગામમાં કોરોના સંક્રમણ વધતા પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર કરાયું શરૂ

જેતપુર ST ડેપોના મેનેજર પણ થયા હતા કોરોના સંક્રમિત

કોરોના મહામારીને કારણે જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી ફક્ત 22 રૂટમાં ST બસની સેવાઓ ચાલુ છે. તેમ જ કોરોના મહામારીના કારણે આ ડેપોના કર્મચારીઓ પણ સરકારની ગાઈડલાઈન મુજબ ફરજ બજાવી રહ્યા છે. તે દરમિયાન પોતાની ફરજ બજવાતા ઘણા કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જેતપુર ST ડેપોના મેનેજર પણ કોરોના સંક્રમિત થયા હતા. જોકે, હાલ તેઓ સ્વસ્થ છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે.

  • જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 22 રૂટ થયા કાર્યરત
  • કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વધારાના 5 રૂટ શરૂ કરાયા
  • જેતપુર ST ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે દોડવાઈ રહી છે બસ સેવા

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ કોરોનાના કેસ વધતા હોવાથી એસટી બસો બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ અત્યારે કોરોનાના કેસ ઘટતા અમુક રૂટ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે જેતપુર એસટી ડેપોના કુલ 54માંથી 22 રૂટ કાર્યરત થયા છે.

કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વધારાના 5 રૂટ શરૂ કરાયા
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વધારાના 5 રૂટ શરૂ કરાયા

વાવાઝોડાના કારણે રૂટ બંધ કરવા હવામાન વિભાગે આપી હતી સૂચના

તૌકતે વાવાઝોડાના કારણે પણ રાજકોટમાં ખૂબ નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગે પણ રાજકોટને સૂચના આપી હતી, જેના કારણે બસ સેવા બંધ હતી. એટલે જેતપુર એસટી ડેપોના 54 રૂપ બંધ કરવામાં આવ્યા હતા, જે ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.

જેતપુર ST ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે દોડવાઈ રહી છે બસ સેવા
જેતપુર ST ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે દોડવાઈ રહી છે બસ સેવા

આ પણ વાંચો- ગીર સોમનાથઃ ઉના એસટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં થઇ રાહત

જેતપુર એસટી ડેપોના વધુ 5 રૂટ કાર્યરત કરાયા

ETV ભારતની ટીમે જેતપુર ST ડેપોની મુલાકાત કરી હતી અને હાલની જેતપુર ST ડેપોની બસ સેવાઓ અંગે જેતપુર ST ડેપોના મેનેજર પી.યુ. મીર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જેતપુર ST ડેપો દ્વારા તૌકતે વાવાઝોડાના કારણે બંધ કરાયેલા ST બસના રૂટ ફરીથી શરૂ કરાયા છે. હાલ જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 17 રૂટ પર જ જેતપુર ST ડેપો દ્વારા બસની સેવાઓ આપવામાં આવતી હતી, જેમાં વધારો કરતા 5 રૂટ વધુ શરૂ કરવામાં આવ્યા છે. જેથી કુલ 54 માંથી 22 રૂટ પર બસ દોડાવવામાં આવી રહી છે.

જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 22 રૂટ થયા કાર્યરત
આ પણ વાંચો- ભુજ તાલુકાના નાગોર ગામમાં કોરોના સંક્રમણ વધતા પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર કરાયું શરૂ

જેતપુર ST ડેપોના મેનેજર પણ થયા હતા કોરોના સંક્રમિત

કોરોના મહામારીને કારણે જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી ફક્ત 22 રૂટમાં ST બસની સેવાઓ ચાલુ છે. તેમ જ કોરોના મહામારીના કારણે આ ડેપોના કર્મચારીઓ પણ સરકારની ગાઈડલાઈન મુજબ ફરજ બજાવી રહ્યા છે. તે દરમિયાન પોતાની ફરજ બજવાતા ઘણા કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જેતપુર ST ડેપોના મેનેજર પણ કોરોના સંક્રમિત થયા હતા. જોકે, હાલ તેઓ સ્વસ્થ છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.