- કોરોના કાળમાં કુલીઓની હાલત કફોડી
- રેલવે સ્ટેશનમાં કુલ 45 કુલીમાંથી 18 વધ્યા
- રાજકોટ રેલવે સ્ટેશન પર હાલ આવે છે 9થી 10 ટ્રેન
રાજકોટ: ભારતમાં કોરોના (Corona)ની પરિસ્થિતિએ અર્થતંત્રને ખુબ જ નુકશાન પહોંચાડયું છે. એવામાં છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોના કામ ધંધા બંધ થયા છે. જ્યારે મોટાભાગની ઇન્ડસ્ટ્રી પણ હાલ ઓછા કર્મચારીઓથી ચાલી રહી છે. મધ્યમ તેમજ સામાન્ય વર્ગના લોકોની હાલ જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં રાજકોટમાં રેલવે સ્ટેશન (Rajkot Railway Station) પર કામ કરતાં 45 જેટલા કુલીઓની પરિસ્થિતિ પણ ખૂબ જ કફોડી બની છે. રાજકોટ રેલવે સ્ટેશન પર 45 જેટલા કુલીઓએ કામ કરતા હતા પરંતુ કોરોનાના કારણે લોકડાઉન થયું અને માત્ર 18થી 20 જ કુલીઓ કામ પર આવી રહ્યા છે. બાકી કુલીઓએ અલગ અલગ જગ્યાએ કામ કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: વડોદરાથી સુરત વચ્ચેની મેમુ ટ્રેન શરૂ કરવા કીમ રેલવે સલાહકાર સમિતિની રજૂઆત
રેલવે સ્ટેશનમાં કુલ 45 કુલીમાંથી 18 વધ્યા
રાજકોટ રેલવે સ્ટેશન (Railway Station)પર કુલ 45 જેટલા કુલીઓ દોઢ વર્ષ અગાઉ કામ કરતા હતા પરંતુ લોકડાઉન થતા ત્રણ મહિના સંપૂર્ણ રેલવે સ્ટેશન સહિતની વસ્તુઓ બંધ રહી હતી. ત્યારે આ કુલીઓના ઘર ચલાવવા ખૂબ જ મુશ્કેલ બન્યા હતા. એવામાં 45 કુલીમાંથી હાલ માત્ર 18 જેટલા જ કુલીઓ રેલવે સ્ટેશન પર રેગ્યુલર કામ કરે છે. જ્યારે મોટાભાગના કુલીઓ પોતાના ઘરની પરિસ્થિતિ ચલાવવા માટે અલગ અલગ કામ ધંધામાં જોડાઇ ગયા છે. જ્યારે કેટલાક કુલીઓ તો વ્યાજે પૈસા લઈને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. જ્યારે કેટલાક કુલીઓ પોતાના સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈને હાલ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. કુલીઓને પરિસ્થિતિ એટલી કફોડી બની છે કે તેમને પોતાનું ઘર ચલાવવામાં પણ હાલ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
રાજકોટ રેલવે સ્ટેશન પર હાલ આવે છે 9થી 10 ટ્રેન
લોકડાઉન (Lockdown) અગાઉ દરરોજ 30થી વધારે ટ્રેનો રાજકોટ રેલવે સ્ટેશન પર આવતી હતી. જેમાં કુલીઓને દૈનિક 500થી 600 રૂપિયા જેટલું મહેનતાણું મળી જતું હતું, પરંતુ સંપૂર્ણ લોકડાઉન થયું ત્યારે ત્રણથી ચાર મહિના તો રેલવે સ્ટેશન બંધ રહ્યું હતું અને ત્યારબાદ હાલ મીની લોકડાઉન (Mini lockdown) જેવી પરિસ્થિતિમાં રાજકોટ રેલવે સ્ટેશન પર માત્ર 8થી 10 જેટલી ટ્રેન આવે છે. જેમાં કુલીઓ માત્ર 200થી 300 રૂપિયા દૈનિક મહેનતાણું મળે છે, એટલે કે કહી શકાય છે કે અડધાથી પણ વધુ મહેનતાણું હાલ કુલીઓ લઈને પોતાનું ઘર ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: અનલૉકમાં AMTS અને BRTSને આર્થિક ફટકો, રૂપિયા 300 કરોડથી વધુની ખોટ
રેલવે વિભાગના ગ્રુપ ડીમાં સમાવેશ કરવાની કરી માગ
રાજકોટ રેલવે સ્ટેશન પર છેલ્લા દસ વર્ષથી કામ કરતા મૂળ રાજસ્થાનના સુરેશભાઇ નામના કુલીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાને લઈને કુલીઓને પરિસ્થિતિ કફોડી (corona pandemic) બની છે. હાલ કંઈ ધંધો ન હોવાના કારણે મોટાભાગના કુલીઓ અલગ અલગ જગ્યાએ કામ પર લાગી ગયા છે. ત્યારે અગાઉ વર્ષ 2008માં કેન્દ્રીય પ્રધાન રેલવેપ્રધાન લાલુ પ્રસાદ યાદવે (Railway Minister Lalu Prasad Yadav)જે કુલીઓને ગ્રુપ ડીમાં સમાવેશ કર્યો હતો. તેવો જ હાલની કોરોનાની પરિસ્થિતિમાં અમારો પણ સમાવેશ કરે તો અમારી રોજગારી કાયમી થઈ શકે છે. જ્યારે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે અમારે સગા સંબંધીઓ તેમજ મિત્ર સર્કલ પાસેથી ઉછીના પૈસા લઈને ઘરનું ગુજરાન ચલાવું પડી રહ્યું છે.