ETV Bharat / city

દિવાળી બાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમ - Government of Gujarat

કોરોના વાઈરસના કારણે રાજ્યમાં ગત 17 માર્ચથી તમામ પ્રકારના શિક્ષણ કાર્ય પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. છેલ્લા 8 મહિનાથી બંધ શાળા અને કોલેજો ફરીથી ખોલવાને લઈને રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ત્યારે આગામી દિવાળી વેકેશન બાદ શાળા અને કોલેજો કેટલાક દિશાનિર્દેશો સાથે ખુલવાની શક્યતા જોવાઈ રહી છે.

દિવાળી બાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમ
દિવાળી બાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમ
author img

By

Published : Nov 7, 2020, 12:39 AM IST

  • દિવાળી બાદ ફરી ખુલી શકે છે શાળા અને કોલેજ
  • રાજ્યમાં કોરોનાના કારણે હાલ શૈક્ષણિક કાર્ય છે બંધ
  • ધોરણ 9 થી 12 તેમજ કોલેજ કક્ષાનુ ઉચ્ચ શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી શક્યતા

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે છેલ્લા કેટલાક મહિનાથી શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે, જે હવે આગામી દિવાળી વેકેશન બાદ ખુલવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. છેલ્લા એક મહિનાથી રાજ્ય શિક્ષણ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ શાળા અને કોલેજના શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને લઈને ગંભીરતાથી વિચાર વિમર્શ કરી રહ્યા છે. રાજ્યની તમામ શાળાના સંચાલકો અને અધ્યાપકો સાથે પણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા સ્તરે સ્થાનિક અધિકારીઓ સતત વિચાર વિમર્શ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવાળી વેકેશન બાદ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેની પ્રબળ શક્યતાઓ છે.

દિવાળી બાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમ

ધોરણ 1 થી 8નું શૈક્ષણિક કાર્ય હાલ શરૂ નહી થાય

રાજ્ય શિક્ષણ વિભાગ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે માટે ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આગામી થોડા જ દિવસોમાં આ નિર્ણય લેવાઈ જશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોમાં કોરોના વધુ ફેલાઈ શકવાને કારણે આવી પરિસ્થિતિમાં દિવાળી બાદ પણ ધોરણ-1 થી 8 નું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવતી નથી. દિવાળી બાદ ધોરણ 9 થી 12 તેમજ કોલેજ કક્ષાનુ ઉચ્ચ શિક્ષણ કાર્ય શરૂ થાય તે અંગે રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને તેનો નિર્ણય આગામી દિવસોમાં લેવાઈ શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

  • દિવાળી બાદ ફરી ખુલી શકે છે શાળા અને કોલેજ
  • રાજ્યમાં કોરોનાના કારણે હાલ શૈક્ષણિક કાર્ય છે બંધ
  • ધોરણ 9 થી 12 તેમજ કોલેજ કક્ષાનુ ઉચ્ચ શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી શક્યતા

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે છેલ્લા કેટલાક મહિનાથી શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે, જે હવે આગામી દિવાળી વેકેશન બાદ ખુલવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. છેલ્લા એક મહિનાથી રાજ્ય શિક્ષણ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ શાળા અને કોલેજના શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને લઈને ગંભીરતાથી વિચાર વિમર્શ કરી રહ્યા છે. રાજ્યની તમામ શાળાના સંચાલકો અને અધ્યાપકો સાથે પણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા સ્તરે સ્થાનિક અધિકારીઓ સતત વિચાર વિમર્શ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવાળી વેકેશન બાદ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેની પ્રબળ શક્યતાઓ છે.

દિવાળી બાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમ

ધોરણ 1 થી 8નું શૈક્ષણિક કાર્ય હાલ શરૂ નહી થાય

રાજ્ય શિક્ષણ વિભાગ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે માટે ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આગામી થોડા જ દિવસોમાં આ નિર્ણય લેવાઈ જશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોમાં કોરોના વધુ ફેલાઈ શકવાને કારણે આવી પરિસ્થિતિમાં દિવાળી બાદ પણ ધોરણ-1 થી 8 નું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવતી નથી. દિવાળી બાદ ધોરણ 9 થી 12 તેમજ કોલેજ કક્ષાનુ ઉચ્ચ શિક્ષણ કાર્ય શરૂ થાય તે અંગે રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને તેનો નિર્ણય આગામી દિવસોમાં લેવાઈ શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.