જૂનાગઢ : આવતી કાલે ઉમાધામ ગાંઠીલા ખાતે માં ઉમિયાના 14માં પાટોત્સવ મહોત્સવનું (Umadham Gathila Patotsav 2022) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી પાટોત્સવમાં હાજરી આપશે. ઉમાધામ ગાંઠીલા ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ માં ઉમિયાના પાટોત્સવ (14th Patotsav Festival in Ganthila)મહોત્સવમાં હાજરી આપીને ધાર્મિક પ્રસંગને ધામધૂમપૂર્વક ઉજવાશે.
આ પણ વાંચો : મુખ્યપ્રધાનની પ્રેરક ઉપસ્થિતમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની કરવામા આવી ભવ્ય ઉજવણી
પાટોત્સવ મહોત્સવનો શુભ શરૂઆત - ઉમિયાના પાટોત્સવ મહોત્સવની વાત કરવામાં આવે તો તૈયારીઓને બિલકુલ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતી કાલે વહેલી સવારે સાત વાગ્યાથી પાટોત્સવ મહોત્સવનો શુભ શરૂઆત થશે. જેમાં સેવકો, ભાવિકો અને માં ના દર્શન કરવા માટે આવતા ભક્તો મોટી સંખ્યામાં જોડાશે. એક તરફ નરેશ પટેલને રાજકીય ક્ષેત્રમાં આગમન (Political Leader Present in Umadham Gathila) લઈને અટકળો ચાલી રહી છે. ત્યારે માત્ર ભાજપના અગ્રણીઓ સાથે આ પાટોત્સવ મહોત્સવ લઈને ઘણા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો : Foundation Stone of Umiyadham: 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત
મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે - આવતી કાલનો પાટોત્સવ મહોત્સવ રાજ્ય સ્તરનો બની રહ્યો છે. જેમાં મહિલા સશક્તિકરણને લઈને મહિલા સંમેલન આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિદાન કેમ્પ તેમજ માં ઉમિયાનાને સમર્પિત 108 કુંડી મહાયજ્ઞનું (Umiyadham Mahayagna 2022) પણ આયોજન થયું છે. સાથે રાત્રીના સમયે ડાયરા ના ખ્યાતનામ કલાકારો દ્વારા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત ઊંઝા ઉમિયા ધામ સંસ્થાના પ્રમુખ નારાયણ પટેલ પાટીદાર અગ્રણીઓ ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલ ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિત મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી પાટીદાર સમાજના અગ્રણી કાર્યકરો અને નેતાઓ ઉમાધામ ગાંઠિલા 14માં પાટોત્સવ મહોત્સવમાં (Patotsav of Umadham Gathila Presence of PM) હાજરી આપશે.