જૂનાગઢઃ આજે ગુરુવાર એટલે ફૂલ કાજળીના વ્રતનો દિવસ. આ વ્રતને લઈને આપણી હિન્દુ ધર્મમાં માન્યતા પણ જોડાયેલી છે. તો આવો જાણો શું છે આ વ્રતનું મહત્વ...
![phool kajali vart](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-ful-kajdi-vis-01-byte-01-pkg-special-story-7200745_23072020122559_2307f_00730_290.jpg)
એક માન્યતા મુજબ પાર્વતી માતા દ્વારા શિવ જેવી શક્તિને પ્રાપ્ત કરવા માટે ફૂલ કાજળીનું વ્રત કરવામાં આવ્યું હતું. જેના પુણ્ય ફળ સ્વરૂપે તેમને શિવની પ્રાપ્તિ પણ થઇ હતી. આ માન્યતના આધારે ખાસ કરીને કુમારિકાઓ દ્વારા ફૂલ કાજળીનું વ્રત કરવામાં આવતું હોય છે. આજના દિવસે વ્રત કરનાર યુવતીઓ દ્વારા કોઈપણ ફળાહાર, દૂધ કે પાણીને ગ્રહણ કરતાની પહેલા ફૂલને સૂંઘીને ત્યારબાદ તેને ગ્રહણ કરવાની ધાર્મિક માન્યતા છે. જે આજે પણ કુંવારિકાઓ માં જોવા મળી રહી છે.
ફૂલ કાજળી વ્રત કરવાની વિધિ
શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ કુંવારિકાઓ ફૂલ સુંઘીને ફળાહાર કરે છે.
સારો ‘વર’ મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.