ETV Bharat / city

જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ - જૂનાગઢમાં ભારત બંધને પ્રતિસાદ

ખેડૂતો દ્વારા કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં આજે મંગળવારે ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મંગળવારે વહેલી સવારથી જ ભારત બંધની અસરો જૂનાગઢ શહેરમાં મિશ્ર પ્રતિભાવ રુપે જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં ભારત બંધને કારણે વ્યાપારિક સંકુલો બંધ જોવા મળ્યાં હતા, તો કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
author img

By

Published : Dec 8, 2020, 7:25 PM IST

Updated : Dec 8, 2020, 7:40 PM IST

  • જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
  • દિલ્હીમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતોએ આપ્યું ભારત બંધનું એલાન
  • જૂનાગઢના કેટલાક વિસ્તારો બંધ તો કેટલાક વિસ્તારોમાં ખુલ્લા

જૂનાગઢઃ દિલ્હીમાં ગત 15 દિવસથી નવા કૃષિ સંશોધન કાયદાને લઈને પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના કેટલાક ખેડૂતો આંદોલન પર ઊતરી ગયા છે. જેના દ્વારા આજે મંગળવારે ભારત બંધનુ એલાન આપ્યું હતું. જેને જૂનાગઢ શહેર અને જિલ્લાના કેટલાક તાલુકાઓમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક વિસ્તારો બંધને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં વ્યાપારિક સંકુલો બપોરના 12 કલાક બાદ ધીમે ધીમે ખુલતા જોવા મળી રહ્યા છે. જે વિસ્તારમાં વ્યાપારિક સંકુલો બંધ જોવા મળી રહ્યા છે, ત્યાં લોકોની અવરજવર સ્પષ્ટ જોવા મળી રહી છે. જે વ્યાપારિક સંકુલો ખુલી રહ્યા છે, ત્યાં ગ્રાહકોની ગેરહાજરી વચ્ચે ધીમે ધીમે બજાર બપોરના 12 કલાક બાદ ખુલતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

બપોર સુધી દુકાનો બંધ

ભારત બંધની જૂનાગઢ જિલ્લાના, જુનાગઢ, વિસાવદર, મેંદરડા અને ભેસાણ સહિતના માર્કેટિંગ યાર્ડોમાં સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે, તો જૂનાગઢ શહેર અને કેશોદ, માંગરોળ, માણાવદર સહિતના તાલુકા અને ગામડાઓમાં કેટલીક જગ્યા પર મિશ્ર તો કેટલીક જગ્યા પર સજ્જડ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. બપોરના 12 કલાક સુધી સામાન્ય દિવસોની જેમ બજારો ખુલ્લી જોવા મળી નહોતી, પરંતુ કેટલીક જગ્યા પર 12 કલાક બાદ બજારો ખુલ્લી રહી છે.

  • જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
  • દિલ્હીમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતોએ આપ્યું ભારત બંધનું એલાન
  • જૂનાગઢના કેટલાક વિસ્તારો બંધ તો કેટલાક વિસ્તારોમાં ખુલ્લા

જૂનાગઢઃ દિલ્હીમાં ગત 15 દિવસથી નવા કૃષિ સંશોધન કાયદાને લઈને પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના કેટલાક ખેડૂતો આંદોલન પર ઊતરી ગયા છે. જેના દ્વારા આજે મંગળવારે ભારત બંધનુ એલાન આપ્યું હતું. જેને જૂનાગઢ શહેર અને જિલ્લાના કેટલાક તાલુકાઓમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક વિસ્તારો બંધને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં વ્યાપારિક સંકુલો બપોરના 12 કલાક બાદ ધીમે ધીમે ખુલતા જોવા મળી રહ્યા છે. જે વિસ્તારમાં વ્યાપારિક સંકુલો બંધ જોવા મળી રહ્યા છે, ત્યાં લોકોની અવરજવર સ્પષ્ટ જોવા મળી રહી છે. જે વ્યાપારિક સંકુલો ખુલી રહ્યા છે, ત્યાં ગ્રાહકોની ગેરહાજરી વચ્ચે ધીમે ધીમે બજાર બપોરના 12 કલાક બાદ ખુલતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

બપોર સુધી દુકાનો બંધ

ભારત બંધની જૂનાગઢ જિલ્લાના, જુનાગઢ, વિસાવદર, મેંદરડા અને ભેસાણ સહિતના માર્કેટિંગ યાર્ડોમાં સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે, તો જૂનાગઢ શહેર અને કેશોદ, માંગરોળ, માણાવદર સહિતના તાલુકા અને ગામડાઓમાં કેટલીક જગ્યા પર મિશ્ર તો કેટલીક જગ્યા પર સજ્જડ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. બપોરના 12 કલાક સુધી સામાન્ય દિવસોની જેમ બજારો ખુલ્લી જોવા મળી નહોતી, પરંતુ કેટલીક જગ્યા પર 12 કલાક બાદ બજારો ખુલ્લી રહી છે.

Last Updated : Dec 8, 2020, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.