ETV Bharat / city

દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન

આજે દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ વહેલી સવારે મહાલક્ષ્મી (Mahalakshmi) ના દર્શન કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. વર્ષોથી પ્રાચીન પરંપરા મુજબ દિવાળીના દિવસે જૂનાગઢ વાસીઓ મહાલક્ષ્મીના દર્શન કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરતાં હોય છે. આ પરંપરા આજે પણ જળવાતી જોવા મળી અને વહેલી સવારથી મહાલક્ષ્મી દર્શન માટે જૂનાગઢવાસીઓ મંદિરમાં ઉમટી પડ્યા હતા અને મહાલક્ષ્મીના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

author img

By

Published : Nov 4, 2021, 9:59 AM IST

Mahalakshmi
Mahalakshmi
  • દિવાળીના તહેવારની જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મીના દર્શન કરીને કરી શરૂઆત
  • વહેલી સવારથી જૂનાગઢ વાસીઓ મહાલક્ષ્મીના દર્શન માટે ઉમટી પડ્યા
  • દિવાળીના પાવન પર્વે મહાલક્ષ્મીના દર્શન માટે વિશેષ સંખ્યામાં મહિલાઓ જોવા મળી

જૂનાગઢ: આજે દિવાળીનો પાવન પર્વ છે. આજના દિવસે જૂનાગઢ (Junagadh) વાસીઓએ 500 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક મહાલક્ષ્મી (Mahalakshmi) મંદિરના દર્શન કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ દિવાળીના દિવસે જૂનાગઢવાસીઓ મહાલક્ષ્મીના દર્શન કરીને તહેવારની ઉજવણી કરતા હોય છે. આજે વહેલી સવારે જ મહાલક્ષ્મી મંદિરે લક્ષ્મીજીના દર્શન કરીને તેમના આશીર્વાદ સદાય તેમના પરિવાર અને કુટુંબીજનો પર બની રહે તે માટેની પ્રાર્થના કરી હતી.

દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન
દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન

આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો

વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ આજે પણ મહાલક્ષ્મીના દર્શનનું છે વિશેષ મહત્વ

વર્ષોની પ્રાચીન ધાર્મિક પરંપરાઓ મુજબ દિવાળીના દિવસે વહેલી સવારથી જ મહાલક્ષ્મીના દર્શનનો વિશેષ અને ખાસ મહત્વ ધર્મગ્રંથોમાં પણ આલેખવામાં આવ્યું છે. તે મુજબ પ્રત્યેક જૂનાગઢ (Junagadh) વાસીઓ આજના દિવસે મહાલક્ષ્મી (Mahalakshmi) ના દર્શન કરવા માટે અચૂક આવે છે. સાથે સાથે મા લક્ષ્મીને અતિપ્રિય એવા કમળના પુષ્પ લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરીને માતાજી સદાયે તેમના પરિવાર પર કૃપાદૃષ્ટિ બનાવી રાખે તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન

આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો

  • દિવાળીના તહેવારની જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મીના દર્શન કરીને કરી શરૂઆત
  • વહેલી સવારથી જૂનાગઢ વાસીઓ મહાલક્ષ્મીના દર્શન માટે ઉમટી પડ્યા
  • દિવાળીના પાવન પર્વે મહાલક્ષ્મીના દર્શન માટે વિશેષ સંખ્યામાં મહિલાઓ જોવા મળી

જૂનાગઢ: આજે દિવાળીનો પાવન પર્વ છે. આજના દિવસે જૂનાગઢ (Junagadh) વાસીઓએ 500 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક મહાલક્ષ્મી (Mahalakshmi) મંદિરના દર્શન કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ દિવાળીના દિવસે જૂનાગઢવાસીઓ મહાલક્ષ્મીના દર્શન કરીને તહેવારની ઉજવણી કરતા હોય છે. આજે વહેલી સવારે જ મહાલક્ષ્મી મંદિરે લક્ષ્મીજીના દર્શન કરીને તેમના આશીર્વાદ સદાય તેમના પરિવાર અને કુટુંબીજનો પર બની રહે તે માટેની પ્રાર્થના કરી હતી.

દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન
દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન

આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો

વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ આજે પણ મહાલક્ષ્મીના દર્શનનું છે વિશેષ મહત્વ

વર્ષોની પ્રાચીન ધાર્મિક પરંપરાઓ મુજબ દિવાળીના દિવસે વહેલી સવારથી જ મહાલક્ષ્મીના દર્શનનો વિશેષ અને ખાસ મહત્વ ધર્મગ્રંથોમાં પણ આલેખવામાં આવ્યું છે. તે મુજબ પ્રત્યેક જૂનાગઢ (Junagadh) વાસીઓ આજના દિવસે મહાલક્ષ્મી (Mahalakshmi) ના દર્શન કરવા માટે અચૂક આવે છે. સાથે સાથે મા લક્ષ્મીને અતિપ્રિય એવા કમળના પુષ્પ લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરીને માતાજી સદાયે તેમના પરિવાર પર કૃપાદૃષ્ટિ બનાવી રાખે તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

દિવાળીના પાવન પ્રસંગે જૂનાગઢ વાસીઓએ કર્યા મહાલક્ષ્મીના દર્શન

આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.