- જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પશુધનને કરાય છે ટેગિગ
- ટેગિગથી દૂધ ઉત્પાદન વિયાણ અને પશુધનની પ્રજાતિ વિશે ચોક્કસ માહિતી મળે છે
- ટેગિગ દ્વારા મળતી તમામ માહિતી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પશુધન ઉછેર કેન્દ્રમાં સુરક્ષિત રાખવામાં આવે છે
જૂનાગઢઃ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ( Agriculture University ) દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી દુધાળા પશુઓને ટેગિગ કરવાની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. આ ટેગિગ વ્યવસ્થાથી જે તે દુધાળા પશુઓનું દૂધ ઉત્પાદન ક્ષમતા તેનું વિયાણ અને પશુધન કઈ પ્રજાતિનું છે અને પશુધનની વય કેટલી છે. આ પ્રકારની તમામ માહિતી ટેગિગ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. ટેગિગ દ્વારા મળતી તમામ માહિતી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પશુધન ઉછેર કેન્દ્રમાં સુરક્ષિત રાખવામાં આવે છે. જેનો સંશોધન ક્ષેત્રમાં સમયાંતરે ઉપયોગ થઈ શકે આ ડેટાથી પશુપાલકોને કોઈપણ પ્રકારની તલસ્પર્શી માહિતી પશુધનને લઈને પૂરી પાડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે
![જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પશુધનને કરાય છે ટેગિગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12373069_juanagdfsdfdfdvgfdvd.jpg)
પ્લાસ્ટિક અને પિત્તળના ટેગિગનો ઉપયોગ હાલ કરવામાં આવી રહ્યું છે
પશુધનને ટેગિગ કરવા માટે ખાસ પ્રકારના પીતળ અને પ્લાસ્ટિકમાંથી બનાવેલા ટેગિગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ડિજિટ લખવામાં આવતા હોય છે. ડિજિટ થકી પશુની તમામ વિગતો મળી શકે છે. યુનિવર્સિટી દ્વારા પિત્તળ અને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલા અને દુધાળા પશુઓના કાન પર બિલકુલ સરળતાથી લગાવી શકાય તે પ્રકારના ટેગિગ ઉપયોગમાં લેવામાં આવતા હતા. વર્તમાન સમયમાં મોટા ભાગે પ્લાસ્ટિકના ટેગિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
![જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પશુધનને કરાય છે ટેગિગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12373069_junagadsdfrghh.jpg)
આ પણ વાંચોઃ પોરબંદરઃ પશુઓને કાનમાં લગાવાયેલું ટેગ જ બન્યું પશુઓ માટે આધારકાર્ડ
મુખ્યત્વે ત્રણ પ્રકારે ટેગિગ કરવામાં આવે છે
દુધાળા પશુઓમાં ટેગિગ કરવાને લઈને ત્રણ પ્રકારની પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવી છે. જે પૈકીની હોટ ટેગિંગ રાજ્ય સરકારે પશુઓમાં ક્રૂરતાને લઈને પ્રતિબંધિત કરી છે. હવે હોટ ટેગિગ કોઈ પણ પશુઓમાં કરવામાં આવતું નથી. માત્ર ઈયર ટેગિગ અને ઈયર નોચિગ કરવામાં આવે છે. મોટા ભાગના દુધાળા પશુ ધન પર ઈયર ટેગિગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક પશુઓમા ઈયર નોચિગ પણ કરવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિથી કરવામાં આવેલું ટેગિગ લાંબો સમય રહેતું નથી. જેને કારણે ઈયર ટેગિગ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. દુધાળા પશુધનના બંને કાન પર આ પ્રકારનું ઈયર ટેગિંગ આજે ખૂબ જ પ્રચલિત જોવા મળે છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં અબોલ પશુઓ માટે પશુપાલન વિભાગની કામગીરી