- જામનગરના હાપામાં લોકોએ 1,01,000 રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું
- આ ફંડ ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે એકત્રિત કરાયું છે
- હાપાના લોકોએ જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને રકમ અર્પણ કરી
આ પણ વાંચોઃ સાંસદ પૂનમબેન માડમે બાળદર્દી ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો
જામનગરઃ હાપામાં વિવિધ કાર્યકર્તાઓ દ્વારા બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર અર્થે વિસ્તારના લોકો પાસેથી ફાળો 1,01,000 રૂપિયાનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ રકમ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને અર્પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ધૈર્યરાજ એક જ નહીં, ગુજરાતમાં 19થી પણ વધારે બાળકો છે SMAથી પીડિત
હાપાના નાગરિકો ધૈર્યરાજની મદદે આવ્યા
આ પ્રસંગે રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, ધૈર્યરાજસિંહ રાઠોડની અસાધ્ય બિમારીની સારવાર અર્થે જ્યારે મોટી રકમની આવશ્યકતા છે ત્યારે સમગ્ર ગુજરાત આ બાળક અને તેના માતાપિતાની મદદ માટે તેમની પડખે રહી ફાળો એકત્રિત કરી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યું છે. તે માટે હાપા ખાતેના સમગ્ર સમાજ દ્વારા 1,01,000 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા છે. આ સમયે પ્રધાને અન્ય લોકોને પણ બાળક ધૈર્યરાજને મદદરૂપ થવા આગળ આવવા અપીલ અને બાળકના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.