ETV Bharat / city

જામનગરમાં લાલપુર ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 50 કોંગી કાર્યકરોની અટકાયત

author img

By

Published : Dec 8, 2020, 3:32 PM IST

ખેડૂત વિરોધી કાયદો રદ કરવામાટે ગત ઘણા દિવસો દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેને સમર્થન આપવા આજે એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે જામનગરમાં આ બંધને સમર્થન આપવા લાલપુર ચોકડી પાસે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. જેથી આ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

ETV BHARAT
50 કોંગી કાર્યકરોની અટકાયત
  • ભારત બંધનું એલાન
  • જામનગરમાં લાલપુર ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • 50 કોંગી કાર્યકરોની અટકાયત

જામનગરઃ દિલ્હીની સરહદ પર 3 કાળા કાયદાને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને પગલે મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. જેને લઇને જામનગરમાં લાલપુર ચોકડી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પોલીસે કોંગી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી છે.

50 કોંગી કાર્યકરોની અટકાયત

કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

ઉલ્લેખનીય છે કે, સોમવારે જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કલમ 144 લગાવી હતી. જેમાં કોરોના મહામારી હોવાના કારણે કોઈપણ વ્યક્તિએ ધરણાં તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આમ છતાં જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાએ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરણાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી છે.

  • ભારત બંધનું એલાન
  • જામનગરમાં લાલપુર ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • 50 કોંગી કાર્યકરોની અટકાયત

જામનગરઃ દિલ્હીની સરહદ પર 3 કાળા કાયદાને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને પગલે મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. જેને લઇને જામનગરમાં લાલપુર ચોકડી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પોલીસે કોંગી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી છે.

50 કોંગી કાર્યકરોની અટકાયત

કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

ઉલ્લેખનીય છે કે, સોમવારે જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કલમ 144 લગાવી હતી. જેમાં કોરોના મહામારી હોવાના કારણે કોઈપણ વ્યક્તિએ ધરણાં તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આમ છતાં જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાએ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરણાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.