ETV Bharat / city

જીજી કોવિડ હોસ્પિટલ મેડિસીન વિભાગના એક પણ ડૉક્ટરે માર્ચ 2020થી રજા નથી લીધી

author img

By

Published : Jan 4, 2021, 8:32 PM IST

કોરોનાની વૈશ્વિક મહામારીમાં દર્દીઓની સેવામાં દિનરાત ખડેપગે જો કોઇ કાર્યરત રહ્યાં હોય તો તબીબી સ્ટાફ છે. જેમાં ડૉકટર્સનો મોટો ફાળો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગના એકપણ ડૉકટરે કોરોના પેનડેમિક શરુ થયું ત્યારથી લઇને હજુ સુધી એકપણ રજા નથી લીધી કે નથી વેકેશન લીધું. આ હોસ્પિટલના સેવાભાવી ડૉક્ટરો વિશે આ અહેવાલમાં જાણીએ.

જીજી કોવિડ હોસ્પિટલ મેડિસીન વિભાગના એક પણ ડોકટરે માર્ચ 2020થી નથી લીધી રજા કે વેકેશન
જીજી કોવિડ હોસ્પિટલ મેડિસીન વિભાગના એક પણ ડોકટરે માર્ચ 2020થી નથી લીધી રજા કે વેકેશન

  • મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા દ્વારા દર્દીઓની સારવાર
  • નિસ્વાર્થ ભાવે જૈન સાધુ મુનિઓની પણ સેવા કરી કમાય છે પુણ્ય
  • કોવિડ હોસ્પિટલમાં મેડિસન, પલ્મોનોલોજી, એનેસ્થેસિયા વિભાગ દ્વારા થાય છે દર્દીઓની સારવાર

    જામનગર : જી.જી.હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા અને પ્રોફેસર ડો. મનીષ મહેતા કહે છે કે કોવિલ હોસ્પિટલમાં સારવારની મુખ્ય જવાબદારી મેડિસીન વિભાગ ઉપર હોય છે. જી.જી. કોવિડ હોસ્પિટલ અત્યારે જે 9 માળની બિલ્ડીંગ છે તે બિલ્ડીંગ બે વર્ષ પહેલા નવી બની હતી. ત્યાં મેડિસીન વિભાગ બેસતો હતો. પરંતુ માર્ચ 2020થી કોરોનાની મહામારી શરૂ થતાં અમારા મેડિસિન વિભાગ તે બિલ્ડીંગ ખાલી કરીને જૂની બિલ્ડીંગમાં આવી ગયો હતો. આ નવા બિલ્ડીંગને અઠવાડિયામાં જ 720 બેડની પથારી ધરાવતી કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી હતી.

    જી જી હોસ્પિટલના ડૉક્ટર્સની કોવિડકાળમાં ઉમદા કામગીરી


    જોકે આગળ જતાં 1200 બેડની વિશાળ કોવિડ હોસ્પિટલ પણ બની ગઈ છે. દરેક બેડ ઉપર ઓકિસજન મશીન, સકશન મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. મેડીસીન , મેનપાવર ઓવરનાઇટ કરે તેવી વ્યવસ્થાઓ સત્વરે ઉભી કરાઇ હતી.

    કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા અનેક ડોકટર્સ બન્યાં કોરોનાગ્રસ્ત

    જી.જી.હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2020માં સૌથી વધુ 600 દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ હતા . આંકડો વધે તો દર્દીઓને સારવાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ન પડે તે માટેે મુખ્યપ્રધાન વિજયઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલના સહયોગથી 720માંથી 1200 બેડ સુધીની સુવિધા વધારી દેવામાં આવી હતી , જેથી દર્દીઓની સારવારમાં મુશ્કેલી ન પડે , કોવિડ બેડનો વ્યાપ વધારવા હોસ્પિટલ પાસે ક્ષમતા હતી એટલે આરોગ્ય વિભાગની મંજૂરીથી નવી બિલ્ડીંગમાં 720 બેડ , સર્જરી વિભાગનું રિનોવેશન થતાં ત્યાં 232 બેડ ( આઈ.સી.યુ . સાથે ) અને જૂના બિલ્ડીંગમાં 120 બેડ કોવિડની સારવાર માટે ફાળવી દેવામાં આવ્યાં હતાં. આમ કુલ ચાર બિલ્ડીંગોમાં કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે. ડો. મનીષ મહેતાના જણાવ્યાનુસાર સાત લાખની વસતી ધરાવતાં જામનગર શહેરમાં હાલમાં 150 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર માટે આવી રહ્યાં છે. જેમાંથી સરેરાશ 20થી 25 દર્દીઓ દરરોજ એડમિટ થતા હોય છે. જે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનું દર્શાવે છે.
    કોવિડ હોસ્પિટલમાં મેડિસન, પલ્મોનોલોજી, એનેસ્થેસિયા વિભાગ દ્વારા થાય છે દર્દીઓની સારવાર

જી જી હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ છે કાર્યરત


ડો . મહેતા વધુમાં કહે છે કે કોવિડ હોસ્પિટલ 24 કલાક ત્રણ શિફ્ટમાં કાર્યરત હોય છે . માર્ચ 2020થી આજ દિન સુધી હોસ્પિટલના કોઇ પણ ડોકટર્સ અને રેસિડન્ટ ડોકટર્સએ દિવાળી કે ઉનાળુ વેકેશનની રજા તો નથી જ લીધી . પરંતુ પરચુરણ રજા પણ નથી લીધી . અમારી ટીમ દિવસ રાત દર્દીઓની સેવા માટે જહેમત ઉઠાવી રહી છે . કોવિડ હોસ્પિટલના સહાયક વહીવટી અધિક્ષક અને સર્જરી વિભાગના ડો . અમરીશ મહેતા કહે છે કે મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા અમારા શિક્ષક રહી ચૂકયા છે. તેઓ દ્વારા દર્દીઓની સારવાર ઉપરાંત નિસ્વાર્થ ભાવે જૈન સાધુ મુનિઓની પણ સેવા કરી પુણ્ય કમાવામાં આવી રહ્યું છે . મેડિસીનના જ સિનિયર ડો . મેહઝબીન હિરાણી કહે છે કે અમારા વિભાગના વડા ડો.મનીષ મહેતાના માર્ગદર્શન અને સહકારથી તમામ તબીબો ભાઇચારાના ભાવ સાથે એકબીજાના સંકલનમાં રહીને કોવિડ અને નોન કોવિડના દર્દીઓની સેવા કરી રહ્યા છીએ.

  • કોવિડ દર્દીની સારવારમાં આ ત્રણ વિભાગની મોટી જવાબદારી

કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ત્રણ વિભાગનું સંકલન હોય છે . જેમાં પહેલું મેડિસન , બીજુ એનેસ્થેસિયા અને ત્રીજી પલ્મોનોલોજી . મેડિસન વિભાગના તબીબો દર્દીઓની સારવાર માટે કામ કરે છે . એનેસ્થેસિયા વિભાગ દર્દીઓ માટે ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ કરાવે છે . જે દર્દીઓના રિપોર્ટ કોરોના નથી પરંતુ આ દર્દીઓના ફેફસા ડેમેજ -ક્ષતિયુકત અને અને ઓકિસજન જરૂર હોય છે તેને કોવિડ હોસ્પિટલનો પરમોનોલોજી વિભાગ સારવાર આપે છે.મેડિસિન વિભાગમાં 15 કન્સલ્ટન્ટ ડોકટરો અને ૫૦ રેસિડન્ટ ડોકટરો કોવિલ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી દિવસ રાત કામ કરી રહયા છે . દર્દીઓ પણ સારવારનો સંતોષ લઇને ઘરે જાય છે . ડો . મહેતા કહે છે કે સપ્ટેમ્બર માસમાં કોરોના પિક ઉપર હતો , દર્દીઓનો ઘસારો ખૂબ હતો . ત્યારે મેડિસીન વિભાગનો સીતેર ટકા સ્ટાફ માત્ર કોવિડ હોસ્પિટલમાં ફરજ ઉપર બજાવતો હતો . ત્રણ - ત્રણ કન્સલટન્ટ ત્રણ - ત્રણ શિફટમાં કામ કરતાં હતાં . મેડિસિન વિભાગમાં ડો.મનીષ મહેતા , ડો.અજય તન્ના , ડો.એસ.એસ.ચેટરજી , ડો.ભૂપેન્દ્ર ગોસ્વામી , ડો.નીતિન રાઠોડ , ડો.યાજ્ઞિક ચોટાલા , ડો.મનીષ ખોખર , ડો . મેહુલ કાલિયા , ડો.સ્નેહા વઢવાણા , ડો.મેહઝબીન હિરાણી , ડો . અમી ત્રિવેદી વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

  • મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા દ્વારા દર્દીઓની સારવાર
  • નિસ્વાર્થ ભાવે જૈન સાધુ મુનિઓની પણ સેવા કરી કમાય છે પુણ્ય
  • કોવિડ હોસ્પિટલમાં મેડિસન, પલ્મોનોલોજી, એનેસ્થેસિયા વિભાગ દ્વારા થાય છે દર્દીઓની સારવાર

    જામનગર : જી.જી.હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા અને પ્રોફેસર ડો. મનીષ મહેતા કહે છે કે કોવિલ હોસ્પિટલમાં સારવારની મુખ્ય જવાબદારી મેડિસીન વિભાગ ઉપર હોય છે. જી.જી. કોવિડ હોસ્પિટલ અત્યારે જે 9 માળની બિલ્ડીંગ છે તે બિલ્ડીંગ બે વર્ષ પહેલા નવી બની હતી. ત્યાં મેડિસીન વિભાગ બેસતો હતો. પરંતુ માર્ચ 2020થી કોરોનાની મહામારી શરૂ થતાં અમારા મેડિસિન વિભાગ તે બિલ્ડીંગ ખાલી કરીને જૂની બિલ્ડીંગમાં આવી ગયો હતો. આ નવા બિલ્ડીંગને અઠવાડિયામાં જ 720 બેડની પથારી ધરાવતી કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી હતી.

    જી જી હોસ્પિટલના ડૉક્ટર્સની કોવિડકાળમાં ઉમદા કામગીરી


    જોકે આગળ જતાં 1200 બેડની વિશાળ કોવિડ હોસ્પિટલ પણ બની ગઈ છે. દરેક બેડ ઉપર ઓકિસજન મશીન, સકશન મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. મેડીસીન , મેનપાવર ઓવરનાઇટ કરે તેવી વ્યવસ્થાઓ સત્વરે ઉભી કરાઇ હતી.

    કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા અનેક ડોકટર્સ બન્યાં કોરોનાગ્રસ્ત

    જી.જી.હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2020માં સૌથી વધુ 600 દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ હતા . આંકડો વધે તો દર્દીઓને સારવાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ન પડે તે માટેે મુખ્યપ્રધાન વિજયઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલના સહયોગથી 720માંથી 1200 બેડ સુધીની સુવિધા વધારી દેવામાં આવી હતી , જેથી દર્દીઓની સારવારમાં મુશ્કેલી ન પડે , કોવિડ બેડનો વ્યાપ વધારવા હોસ્પિટલ પાસે ક્ષમતા હતી એટલે આરોગ્ય વિભાગની મંજૂરીથી નવી બિલ્ડીંગમાં 720 બેડ , સર્જરી વિભાગનું રિનોવેશન થતાં ત્યાં 232 બેડ ( આઈ.સી.યુ . સાથે ) અને જૂના બિલ્ડીંગમાં 120 બેડ કોવિડની સારવાર માટે ફાળવી દેવામાં આવ્યાં હતાં. આમ કુલ ચાર બિલ્ડીંગોમાં કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે. ડો. મનીષ મહેતાના જણાવ્યાનુસાર સાત લાખની વસતી ધરાવતાં જામનગર શહેરમાં હાલમાં 150 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર માટે આવી રહ્યાં છે. જેમાંથી સરેરાશ 20થી 25 દર્દીઓ દરરોજ એડમિટ થતા હોય છે. જે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનું દર્શાવે છે.
    કોવિડ હોસ્પિટલમાં મેડિસન, પલ્મોનોલોજી, એનેસ્થેસિયા વિભાગ દ્વારા થાય છે દર્દીઓની સારવાર

જી જી હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ છે કાર્યરત


ડો . મહેતા વધુમાં કહે છે કે કોવિડ હોસ્પિટલ 24 કલાક ત્રણ શિફ્ટમાં કાર્યરત હોય છે . માર્ચ 2020થી આજ દિન સુધી હોસ્પિટલના કોઇ પણ ડોકટર્સ અને રેસિડન્ટ ડોકટર્સએ દિવાળી કે ઉનાળુ વેકેશનની રજા તો નથી જ લીધી . પરંતુ પરચુરણ રજા પણ નથી લીધી . અમારી ટીમ દિવસ રાત દર્દીઓની સેવા માટે જહેમત ઉઠાવી રહી છે . કોવિડ હોસ્પિટલના સહાયક વહીવટી અધિક્ષક અને સર્જરી વિભાગના ડો . અમરીશ મહેતા કહે છે કે મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા અમારા શિક્ષક રહી ચૂકયા છે. તેઓ દ્વારા દર્દીઓની સારવાર ઉપરાંત નિસ્વાર્થ ભાવે જૈન સાધુ મુનિઓની પણ સેવા કરી પુણ્ય કમાવામાં આવી રહ્યું છે . મેડિસીનના જ સિનિયર ડો . મેહઝબીન હિરાણી કહે છે કે અમારા વિભાગના વડા ડો.મનીષ મહેતાના માર્ગદર્શન અને સહકારથી તમામ તબીબો ભાઇચારાના ભાવ સાથે એકબીજાના સંકલનમાં રહીને કોવિડ અને નોન કોવિડના દર્દીઓની સેવા કરી રહ્યા છીએ.

  • કોવિડ દર્દીની સારવારમાં આ ત્રણ વિભાગની મોટી જવાબદારી

કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ત્રણ વિભાગનું સંકલન હોય છે . જેમાં પહેલું મેડિસન , બીજુ એનેસ્થેસિયા અને ત્રીજી પલ્મોનોલોજી . મેડિસન વિભાગના તબીબો દર્દીઓની સારવાર માટે કામ કરે છે . એનેસ્થેસિયા વિભાગ દર્દીઓ માટે ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ કરાવે છે . જે દર્દીઓના રિપોર્ટ કોરોના નથી પરંતુ આ દર્દીઓના ફેફસા ડેમેજ -ક્ષતિયુકત અને અને ઓકિસજન જરૂર હોય છે તેને કોવિડ હોસ્પિટલનો પરમોનોલોજી વિભાગ સારવાર આપે છે.મેડિસિન વિભાગમાં 15 કન્સલ્ટન્ટ ડોકટરો અને ૫૦ રેસિડન્ટ ડોકટરો કોવિલ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી દિવસ રાત કામ કરી રહયા છે . દર્દીઓ પણ સારવારનો સંતોષ લઇને ઘરે જાય છે . ડો . મહેતા કહે છે કે સપ્ટેમ્બર માસમાં કોરોના પિક ઉપર હતો , દર્દીઓનો ઘસારો ખૂબ હતો . ત્યારે મેડિસીન વિભાગનો સીતેર ટકા સ્ટાફ માત્ર કોવિડ હોસ્પિટલમાં ફરજ ઉપર બજાવતો હતો . ત્રણ - ત્રણ કન્સલટન્ટ ત્રણ - ત્રણ શિફટમાં કામ કરતાં હતાં . મેડિસિન વિભાગમાં ડો.મનીષ મહેતા , ડો.અજય તન્ના , ડો.એસ.એસ.ચેટરજી , ડો.ભૂપેન્દ્ર ગોસ્વામી , ડો.નીતિન રાઠોડ , ડો.યાજ્ઞિક ચોટાલા , ડો.મનીષ ખોખર , ડો . મેહુલ કાલિયા , ડો.સ્નેહા વઢવાણા , ડો.મેહઝબીન હિરાણી , ડો . અમી ત્રિવેદી વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.