ETV Bharat / city

Jamnagar Rain Update: લાલપુર, જામજોધપુર, કાલાવડ જેવા વિસ્તારોમાં નોંધાયો વરસાદ - જામનગર વરસાદ અપડેટ

જામનગર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તેમજ જામજોધપુર પંથકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. જામનગરના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

Jamnagar Rain Update
Jamnagar Rain Update
author img

By

Published : Jul 12, 2021, 7:03 PM IST

  • જામનગર પંથકમાં વરસાદી માહોલ
  • વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો
  • સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો

જામનગર (Rain Update): જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા હતી. જો કે, ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:Rain Update: ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વઘુ સવા ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

સ્થળવરસાદ
ધ્રાફા 70 MM
ભણગોર60 MM
પીઠડ55 MM
ધુંનડા43 MM

લાલપુર, જામજોધપુર, કાલાવડ પંથકમાં સારો વરસાદ

સમગ્ર પંથકમાં પણ ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે. આ વર્ષે પણ મગફળીનું વાવેતર મોટા ભાગના ખેડૂતોએ કર્યું છે. મગફળીના પાકને વરસાદની વધુ જરૂર હોય છે. ત્યારે સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો થશે.

આ પણ વાંચો: 15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રી- એન્ટ્રી, વાહનો પાણીમાં ડૂબ્યા

મગફળીના પાક માટે વરસાદ ફાયદાકારક

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે જામનગર શહેરમાં છુટા છવાયા ઝાપટા પડ્યા છે. જામજોધપુર, લાલપુર અને કાલાવડ પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે.

  • જામનગર પંથકમાં વરસાદી માહોલ
  • વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો
  • સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો

જામનગર (Rain Update): જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા હતી. જો કે, ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:Rain Update: ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વઘુ સવા ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

સ્થળવરસાદ
ધ્રાફા 70 MM
ભણગોર60 MM
પીઠડ55 MM
ધુંનડા43 MM

લાલપુર, જામજોધપુર, કાલાવડ પંથકમાં સારો વરસાદ

સમગ્ર પંથકમાં પણ ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે. આ વર્ષે પણ મગફળીનું વાવેતર મોટા ભાગના ખેડૂતોએ કર્યું છે. મગફળીના પાકને વરસાદની વધુ જરૂર હોય છે. ત્યારે સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો થશે.

આ પણ વાંચો: 15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રી- એન્ટ્રી, વાહનો પાણીમાં ડૂબ્યા

મગફળીના પાક માટે વરસાદ ફાયદાકારક

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે જામનગર શહેરમાં છુટા છવાયા ઝાપટા પડ્યા છે. જામજોધપુર, લાલપુર અને કાલાવડ પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.