ETV Bharat / city

જામનગરમાં એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવાયા - લાખોટા નેચર ક્લબ

જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી લાખોટા નેચર ક્લબ દ્વારા જામનગરના ગામડાઓમાંથી એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવ્યા હતા. તેમની આ કામગીરીમાં વન વિભાગની ટીમે પણ મદદ કરી હતી.

જામનગરમાં એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવાયા
જામનગરમાં એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવાયા
author img

By

Published : Sep 25, 2020, 3:17 PM IST

જામનગરઃ જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા બચાવ સેવાની કામગીરી કરવામાં આવે છે. તેમની કામગીરી અંતર્ગત તેમણે માત્ર એક જ દિવસમાં શહેર સહિત અલીયાબાળા, સિક્કા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી 32 સરીસૃપને બચાવ્યા હતા. આ સરીસૃપમાં 17 બિનઝેરી સર્પ, 14 ઝેરી સર્પ તથા 1 ચંદન ઘોનો સમાવેશ થાય છે. નેચર ક્લબના 12 સભ્યો આ સેવાકીય કામગીરીમાં લાગ્યા હતા.

જામનગરમાં એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવાયા
જામનગરમાં એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવાયા

વન વિભાગની ટીમે પણ લાખોટા નેચર ક્લબના સભ્યોને આ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. આ ક્લબ કોઈ પણ પ્રકારની ફી લીધા વિના સરીસૃપોને બચાવવાનું કામ કરે છે. દર રવિવારે લાખોટા નેચર ક્લબ દ્વારા સરીસૃપ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે.

જામનગરઃ જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા બચાવ સેવાની કામગીરી કરવામાં આવે છે. તેમની કામગીરી અંતર્ગત તેમણે માત્ર એક જ દિવસમાં શહેર સહિત અલીયાબાળા, સિક્કા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી 32 સરીસૃપને બચાવ્યા હતા. આ સરીસૃપમાં 17 બિનઝેરી સર્પ, 14 ઝેરી સર્પ તથા 1 ચંદન ઘોનો સમાવેશ થાય છે. નેચર ક્લબના 12 સભ્યો આ સેવાકીય કામગીરીમાં લાગ્યા હતા.

જામનગરમાં એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવાયા
જામનગરમાં એક જ દિવસમાં 32 સરીસૃપને બચાવાયા

વન વિભાગની ટીમે પણ લાખોટા નેચર ક્લબના સભ્યોને આ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. આ ક્લબ કોઈ પણ પ્રકારની ફી લીધા વિના સરીસૃપોને બચાવવાનું કામ કરે છે. દર રવિવારે લાખોટા નેચર ક્લબ દ્વારા સરીસૃપ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.